Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું...

    ઉત્તર પ્રદેશ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન

    નેતાજી તરીકે ઓળખાતા, મુલાયમ સિંહ યાદવ એક પીઢ રાજકારણી હતા જેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ છેલ્લે લોકસભામાં મૈનપુરી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. મુલાયમ સિંહ યાદવે ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં 82 વર્ષની વયે અવસાન થયું. સોમવારે (10 ઓક્ટોબર) સવારે 8 થી 8:30 ની વચ્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાના અહેવાલ છે.

    આ વિશેની જાણકારી સમાજવાડીના આધિકારિક ટ્વીટર હેન્ડલ તરફથી પણ આપવામાં આવી છે. જેમ આલેખ્યું છે કે, “મારા આદરણીય પિતા અને દરેકના નેતા નથી રહ્યા – શ્રી અખિલેશ યાદવ”

    ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલે રવિવારે જણાવ્યું હતું કે, તે ગંભીર હાલતમાં હતા અને સઘન સંભાળ એકમ (ICU) માં જીવનરક્ષક દવાઓ પર હતા. “મુલાયમ સિંહ યાદવ જીની હાલત આજે ખૂબ જ નાજુક છે અને તેઓ જીવન બચાવતી દવાઓ પર છે. નિષ્ણાતોની એક વ્યાપક ટીમ દ્વારા ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં તેની સારવાર કરવામાં આવી રહી છે,” આ પહેલા હોસ્પિટલે હેલ્થ બુલેટિનમાં જણાવ્યું હતું.

    - Advertisement -

    સમાજવાદી પાર્ટીના સ્થાપક 22 ઓગસ્ટથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને 2 ઓક્ટોબરે તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને જુલાઈમાં પણ સુવિધામાં દાખલ કરવામાં આવ્યા હતા, સૂત્રોએ જણાવ્યું હતું.

    સતત કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર હતા

    મેદાન્તામાં દાખલ મુલાયમ સિંહ યાદવની સારવાર કરી રહેલા ડૉ. યતિન મહેતાના જણાવ્યા અનુસાર 9 ઑક્ટોબરથી તેમની હાલત નાજુક હતી. તેઓ 2 ઓક્ટોબરથી લાઇફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર પર હતા. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. આ સાથે તેમની કિડની પણ સામાન્ય રીતે કામ કરી રહી ન હતી. આ તમામ કારણોસર તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

    જો કે મુલાયમ સિંહ યાદવ આ હોસ્પિટલમાં એક મહિનાથી વધુ સમયથી દાખલ હતા, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં તેમની તબિયત ખૂબ જ બગડી હતી. પાર્ટીનું કહેવું હતું કે અત્યારે તેમને લોકોની પ્રાર્થનાની જરૂર છે. તેમની તબિયત બગડતી હોવાથી તેમના પુત્ર અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ મેદાંતા હોસ્પિટલમાં હાજર રહેતા હતા, જ્યારે ભાઈ શિવપાલ સિંહ યાદવની હોસ્પિટલમાં મુલાકાત લીધા કરતા હતા. આ સિવાય પૂર્વ સીએમ મુલાયમ સિંહના સંબંધીઓ અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ તેમની સંભાળ લેવા મેદાંતા હોસ્પિટલ પહોંચેલા હતા.

    કોણ હતા મુલાયમ સિંહ યાદવ

    નેતાજી તરીકે ઓળખાતા, મુલાયમ સિંહ યાદવ એક પીઢ રાજકારણી હતા જેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ છેલ્લે લોકસભામાં મૈનપુરી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. મુલાયમ સિંહ યાદવે ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

    મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઉત્તર પ્રદેશના સૈફઈ ગામમાં મૂર્તિ દેવી અને સુગર સિંહ યાદવને ત્યાં થયો હતો. 82 વર્ષીય યાદવે B.A., B.T., અને પોલિટિકલ સાયન્સમાં M.A. જેવી ડિગ્રીઓ જુદી જુદી યુનિવર્સીટીઓમાંથી પ્રાપ્ત કરી હતી.

    મુલાયમ સિંહ યાદવની પહેલી પત્નીનું નામ માલતી દેવી હતું. તેમના પ્રથમ બાળક, અખિલેશ યાદવને જન્મ આપતી વખતે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને 2003 માં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ યાદવે સાધના યાદવ સાથે લગ્ન કર્યા અને દંપતીએ પ્રતીક યાદવને જન્મ આપ્યો, જે અખિલેશ યાદવના સાવકા ભાઈ છે.

    હાલ સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ આપણી વચ્ચે નથી રહ્યા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં