Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂંછ આતંકી હુમલો: નિસાર, ફરીદ, મુસ્તાક સહિત આતંકવાદીઓને આશરો આપનારા 6 સ્થાનિકોની...

    પૂંછ આતંકી હુમલો: નિસાર, ફરીદ, મુસ્તાક સહિત આતંકવાદીઓને આશરો આપનારા 6 સ્થાનિકોની ધરપકડ, હુમલામાં 5 જવાનો વીરગતિ પામ્યા હતા

    નિસાર નામનો એક સ્થાનિક વ્યક્તિ ફરીદ, મુસ્તાક અને અન્ય સ્થાનિકોની મદદથી આતંકવાદીઓને ભોજન પૂરું પડવાથી માંડીને આશરો આપવા સુધીની મદદ કરી રહ્યો હતો.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંઘે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે પૂંછમાં થયેલા હુમલામાં આતંકવાદીઓને આશ્રય આપનાર 6 સ્થાનિક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં ભારતીય સેનાના 5 જવાન વીરગતિ પામ્યા હતા. આ જવાનો ઇફતાર માટેનો સમાન લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહન પર IEDથી હુમલો કરવામાં આવ્યો હતો.

    સ્થાનિક સમર્થન વગર હુમલો શક્ય નથી: DGP દિલબાગ સિંઘ

    DGP દિલબાગ સિંઘે મીડિયાને જણાવતા કહ્યું હતું કે, “પૂછપરછ દરમિયાન અમને કડીઓ મળી રહી છે અને આવડા હુમલાને સફળ બનાવવા માટે સ્થાનિક સમર્થન હોવું જ જોઈએ. સ્થાનિક સમર્થન વગર આ પ્રકારનો હુમલો થવો શક્ય જ નથી. તેમણે જણાવ્યું હતું કે, “આ એક આખું મોડ્યુલ છે, નિસાર નામનો એક સ્થાનિક વ્યક્તિ ફરીદ, મુસ્તાક અને અન્ય સ્થાનિકોની મદદથી આતંકવાદીઓને ભોજન પૂરું પડવાથી માંડીને આશરો આપવા સુધીની મદદ કરી રહ્યો હતો. આ સ્થાનિકોએ જ સરહદ પારથી આવેલા હથિયારો અને વિસ્ફોટકો આતંકવાદીઓ સુધી પહોંચાડ્યા હતા.” પૂંછ હુમલામાં આતંકવાદીઓને આશરો આપનારા કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જયારે 221 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.

    તેમણે ઉમેર્યું કે સુરક્ષા દળો આતંકવાદીઓને આશરો આપનાર વધુ સ્થાનિક લોકોની ઓળખ કરી રહ્યા છે. તેઓ તેના પર મજબૂતીથી કામ કરશે. આતંકવાદીઓ જંગલોની નજીકના સ્થળો વધુ પસંદ કરે છે, જ્યાં તેમને સ્થાનિક લોકોનો ટેકો મળી રહે છે, અને જોખમ જણાતા તેઓ પાસે જંગલોમાં ભાગી જવાના પણ અનેક માર્ગો હોય છે.

    - Advertisement -

    આતંકવાદીઓને મદદ કરનારા 6ની ધરપકડ

    ડીજીપીએ તેમ પણ જણાવ્યું કે નિસાર અહેમદ ગુરસાઈ ગામનો રહેવાસી છે. તેણે આતંકવાદીઓને સંતાડ્યા હોવાનો ગુનો પણ કબુલી લીધો છે. ડીજીપીના જણાવ્યા અનુસાર નિસાર પહેલેથી જ શંકાસ્પદો માટેની પોલીસ યાદીમાં સામેલ હતો, કારણકે તે 1990થી જ આતંકવાદીઓનો ઓવર ગ્રાઉન્ડ વર્કર રહી ચૂક્યો છે. આ મામલે નિસાર અહેમદ, ફરીદ, મુસ્તાક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    આ દરમિયાન ડીજીપીએ આતંકવાદીઓની મોડસ ઓપરેન્ડી અંગે પણ માહિતી આપી હતી. આ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, “આતંકવાદીઓએ પહેલાં જ આખા વિસ્તારની રેકી કરી હતી. ઘટનાના દિવસે તેમણે સેનાના વાહનની ગતિ ધીમી પડતાંની સાથે જે તેના પર હુમલો કરી દીધો હતો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે રાજૌરી-પૂંછ વિસ્તારમાં 9થી 12 આતંકવાદીઓ સક્રિય હોય શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં