Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તે સેટ પર ડ્રગ્સ લેતો, થપ્પડ પણ મારી’: તુનિષાની માતાના શીઝાન પર...

    ‘તે સેટ પર ડ્રગ્સ લેતો, થપ્પડ પણ મારી’: તુનિષાની માતાના શીઝાન પર ગંભીર આરોપ, કહ્યું- ધર્માંતરણ કરવા માટે દબાણ પણ કરતો હતો

    મૃતક અભિનેત્રીની માતાએ કહ્યું, "શીઝાન ખાને તુનિષાને સેટ પર થપ્પડ મારી હતી, તે તુનિષાને મુસ્લિમ બનાવવા માંગતો હતો. તેને મળ્યા બાદ મારી દીકરીના વર્તનમાં બહુ મોટો ફેરફાર આવી ગયો હતો. જ્યાં સુધી તેને આકરામાં આકરી સજા નહી થાય ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસી શકીએ."

    - Advertisement -

    જાણીતી ટીવી અભિનેત્રી તુનિષા શર્માના શંકાસ્પદ મૃત્યુ બાદ અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. તુનિષાનો કો-સ્ટાર શીઝાન ખાન હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે અને તેની કડકાઈથી પૂછપરછ ચાલી રહી છે. મૃતક અભિનેત્રીના પરિવારજનો પણ આરોપિત શીઝાન પર ગંભીર આરોપો લગાવી ચુક્યા છે, તેવામાં અભિનેત્રીની માતા વનિતા શર્માએ આરોપ લગાવ્યા છે કે શીઝાન ખાને તુનિષાને સેટ પર થપ્પડ મારી હતી, આ સાથે જ તેમણે કહ્યું હતું કે શીઝાન સેટ પર ડ્રગ્સ પણ લેતો હતો.

    અહેવાલો મુજબ મૃતક અભિનેત્રીની માતા વનિતા શર્માએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, “બીજી ગર્લફ્રેન્ડ વિશે પૂછવા પર શીઝાન ખાને તુનિષાને સેટ પર થપ્પડ મારી હતી, તે તુનિષાને મુસ્લિમ બનાવવા માંગતો હતો. તેને મળ્યા બાદ મારી દીકરીના વર્તનમાં બહુ મોટો ફેરફાર આવી ગયો હતો. જ્યાં સુધી તેને આકરામાં આકરી સજા નહી થાય ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસી શકીએ.”

    સેટ પર ડ્રગ્સ લેતો, ઇસ્લામ અપનાવવા મજબુર કરતો

    મીડિયા સાથેની વાતચીતમાં વનીતા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, શીઝાન ટીવી સીરીયલના સેટ પર જ ડ્રગ્સનું સેવન કરતો હતો. તેની બહેન તુનિષાને દરગાહ પર પણ લઇ જતી હતી, તે બુરખો/હિજાબ પણ પહેરતી થઇ ગઈ હતી. તેના વર્તનમાં બહુ મોટો ફેરફાર આવી ગયો હતો. શીઝાન તુનિષા પાસે મોંઘી ગિફ્ટ પણ મંગાવતો હતો. એક વાર તુનિષા શીઝાનના ફોનમાં અન્ય કોઈ યુવતી સાથેની ચેટ વાંચી જતા શીઝાન તેના પર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ગુસ્સામાં તુનિષાને થપ્પડ મારી દીધી હતી.”

    - Advertisement -

    તુનિષાની મોત હત્યાનો મામલો: વનિતા શર્મા

    તેમણે આગળ જણાવ્યું કે તુનિષાના મૃત્યુના દિવસે સવારે તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ કરી હતી પણ ત્યારબાદ શું થયું તેની અમને કશી જાણ નથી. શીઝાન પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, “શીઝાન તુનિષાને મેકપરૂમમાંથી ઉતારીને હોસ્પિટલ લઇ ગયો હતો, પણ તેણે એમ્બ્યુલન્સને ફોન કેમ ન કર્યો? આ આત્મહત્યા નહીં પણ હત્યા હોય શકે છે.” મૃતક અભિનેત્રીની માતાએ શીઝાન પર તુનિષાને ધર્માંતરણ કરવા દબાણ કરતો હતો અને તેનો પરિવાર તુનિષાનો ફાયદો ઉઠાવતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

    તુનિષા શર્મા આત્મહત્યા કેસ

    અભિનેત્રી તુનિષા શર્માએ એક ટીવી સિરિયલના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તે 20 વર્ષની હતી. તુનિષા સેટ પર મેક-અપ રૂમમાં પંખાથી લટકતી મળી આવી હતી. તેને તાત્કાલિક નાયગાંવ, વસઈની રેંગ ઓફિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ પહોંચ્યા પછી તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વાલીવ પોલીસના જણાવ્યા અનુસાર, તેમને માહિતી મળી હતી કે ટી બ્રેક પછી અભિનેત્રી શૌચાલયમાં ગઈ હતી અને જ્યારે તે પાછી ન આવી ત્યારે પોલીસે દરવાજો તોડીને ખોલ્યો અને જાણવા મળ્યું કે તેણે કથિત રીતે ગળે ફાંસો ખાઈ લીધો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં