Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશબ્બીર અહમદે કરી નાંખી મહિલાની હત્યા, લાશના ટુકડા કરીને ફેંકી દીધા: પોલીસના...

    શબ્બીર અહમદે કરી નાંખી મહિલાની હત્યા, લાશના ટુકડા કરીને ફેંકી દીધા: પોલીસના હાથે ઝડપાયા બાદ ગુનો કબૂલ્યો

    સંદિગ્ધોમાં પોલીસે બડગામના મોહંદપોરામાં રહેતા શબ્બીર અહમદને પણ પકડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે હત્યાની કબૂલાત કરી લીધી હતી. 

    - Advertisement -

    કાશ્મીરમાં એક 30 વર્ષીય મહિલાની હત્યા મામલે શબ્બીર અહમદ વાણી નામના ઈસમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે યુવતીની હત્યા કરીને તેની લાશના ટુકડા કરીને જુદી-જુદી જગ્યાઓએ ફેંકી દીધા હતા. પોલીસે તેને હિરાસતમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. 

    મામલો મધ્ય કાશ્મીરના બડગામનો છે. અહીં એક તન્વીર અહમદ નામના વ્યક્તિએ આઠમી માર્ચે તેની બહેન લાપતા થઇ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 30 વર્ષીય બહેન 7 માર્ચે કોચિંગ ક્લાસમાં જવા માટે નીકળી હતી પરંતુ ત્યાંથી ઘરે પરત જ આવી નથી.

    યુવકની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી અને સંદિગ્ધોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ હાથ ધરી હતી. આ સંદિગ્ધોમાં પોલીસે બડગામના મોહંદપોરામાં રહેતા શબ્બીર અહમદને પણ પકડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે હત્યાની કબૂલાત કરી લીધી હતી. 

    - Advertisement -

    શબ્બીરે કબૂલાત કરી લીધા બાદ તેની દોરવણી હેઠળ જ પોલીસે મહિલાના શરીરના ભાગો પણ મેળવી લીધા હતા. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. 

    45 વર્ષીય આરોપી શબ્બીર પરણિત છે. પોલીસને હત્યા પાછળના મકસદ વિશે જાણવા મળ્યું નથી પરંતુ રિપોર્ટ અનુસાર, મહિલાના સબંધીઓએ જણાવ્યું હતું કે શબ્બીરે નિકાહ માટે યુવતીના પરિવારનો સંપર્ક કરીને પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ યુવતીએ ફગાવી દીધો હતો. 

    કાશ્મીરમાં શબ્બીર દ્વારા કરવામાં આવેલ મહિલાની હત્યા મામલે પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, મહિલા છેલ્લા 4 દિવસથી ઘરેથી ગુમ હતી. આરોપીએ ઘટસ્ફોટ કર્યો કે તેણે મહિલાની હત્યા કરીને શરીરના ટુકડા-ટુકડા કરી નાંખ્યા હતા અને તેને રેલવે બ્રિજ ઓમપોરા અને સેબદેન સહિત અલગ-અલગ ઠેકાણે ફેંકી દીધા હતા. પોલીસે શનિવારે રાત્રે પીડિતાનું માથું અને અન્ય અંગો જપ્ત કરી લીધાં હતાં. પોલીસની તપાસ હાલ ચાલી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જમ્મુમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સુમેધા શર્મા નામની એક ડોક્ટરને તેના બોયફ્રેન્ડ જોહર મહમૂદે હત્યા કરી નાંખી હતી. 

    અહીં હોળીની રજાઓમાં દિલ્હીથી જમ્મુ પહોંચતા ડો. સુમેધા શર્મા પોતાના ઘરે ન ગઈ અને સીધી જ પોતાના મિત્ર જોહરને તેના પમ્પોશ કોલોની સ્થિત ઘરે મળવા ગઈ હતી. કોઈ બાબતે ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન જોહર રસોડામાંથી છરી લાવ્યો હતો અને સુમેધાના પેટમાં હુલાવી દીધો હતો. ત્યારબાદ તેણે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં