Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રા રોકવામાં આવી, કટ્ટરવાદી મુસ્લિમોએ ભક્તોને ગંદી ગાળો આપીઃ...

    મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રા રોકવામાં આવી, કટ્ટરવાદી મુસ્લિમોએ ભક્તોને ગંદી ગાળો આપીઃ મધ્યપ્રદેશ પોલીસે બાજી સંભાળી

    હાલમાં તે વિસ્તારમાં મોટી પોલીસ બળ લગાવી દેવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. આજ વિસ્તારમાં મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો પણ એક કાર્યક્રમ છે. 

    - Advertisement -

    મધ્યપ્રદેશના છિંદવાડામાં મહાશિવરાત્રીના દિવસે શિવ વિવાહ શોભાયાત્રા મુસ્લિમો દ્વારા રોકીને શિવ ભક્તો સાથે ગાળાગાળી કરી હતી. ડીજેને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ મામલે હિંદુવાદી સંગઠનોએ વિરોધ નોધાવી કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. 

    મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના  છિંદવાડા જીલ્લામાં આવેલ ચાંદ પોલીસ સ્ટેશનનો મામલો છે, આ વિસ્તારમાં આવેલ લાલગાવના લોકોએ મહાશિવરાત્રીના દિવસે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્ય હતું. જે  છિંદવાડા વિસ્તારના અલગ અલગ ગામોમાંથી પસાર થવાની હતી. આ દરમિયાન DJ પણ ધાર્મિક ગીતો પણ વાગી રહ્યા હતા. ત્યારે કેટલાક મુસ્લિમ યુવાઓ આવીને DJ બંધ કરાવ્યું હતું, અને ભક્તો સાથે ગાળા ગાળીઓ પણ કરી હતી. 

    આ ધટના બાદ બંને જુથો વચ્ચે તનાવપૂર્ણ માહોલ બન્યો હતો. આ બનાવને લઈને એક વિડીયો પણ વાયરલ થઇ રહો છે. જેમાં  DJ દેખાઈ રહ્યું છે, જેના પર એક જનરેટર પણ બાંધેલું છે. સામે કેટલાક યુવાનો રેલીનો વિરોધ કરી રહ્યા છે અને ભક્તો સાથે ગાળા ગાળી કરી રહ્યા છે. આ દરમિયાન ભક્તોએ પણ પ્રતિકાર કર્યો હતો ઘટના સ્થળે માહોલ ગરમ થઇ ગયો હતો. 

    - Advertisement -

    અન્ય એક વાયરલ વિડીઓમાં જોઈ શકાય છે કે લોકો પોલીસ સ્ટેશન સામે ભેગા થયા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ તમામ લોકો હિંદુવાદી સંગઠનોના માનવામાં આવી રહ્યા છે. આ લોકોએ પોલીસ સ્ટેશન સામે નારાબાજી કરી હતી. તેઓએ આરોપ પણ લગાવ્યો હતો કે આ લોકો પહેલીવાર આવું નથી કર્યું, આ પહેલા પણ આ અસામાજિકતત્વોએ આ  રીતની જ હરકતો કરીને ખલેલ પહોચાડવાનો પ્રયન્ત કર્યો હતો. માટે આ લોકો પર રસુકા કાયદા હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. 

    જો કે હાલમાં તે વિસ્તારમાં મોટી પોલીસ બળ લગાવી દેવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. આજ વિસ્તારમાં મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો પણ એક કાર્યક્રમ છે. 

    કોઈ હિંદુ તહેવાર પર હમલો થયા હોય તે આ પહેલો કિસ્સો નહિ, હાલમાં જ ઝારખંડના પલામુમાં મહાશિવયાત્રી દરમિયાન મુસ્લિમો દ્વારા યાત્રાણ વિરોધ કરવામાં આવ્યો હતો. હાલમાં ત્યાં પણ તનાવપૂર્ણ માહોલ છે.  શોભાયાત્રા કાઢવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં