કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) ગુરુવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) આગેવાની હેઠળની સરકાર કાશ્મીરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને (cultural heritage of Kashmir) પુનર્જીવિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને અમે ટૂંક સમયમાં ‘જે ગુમાવ્યું છે તે પાછું મેળવીશું.’ (reclaim).
શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં ‘જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રુ ધ એજીસઃ એ વિઝ્યુઅલ નેરેટિવ ઓફ કન્ટિન્યુટીઝ એન્ડ લિન્કેજ’ (Jammu Kashmir and Ladakh Through the Ages) નામના પુસ્તકનું વિમોચન કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. અમિત શાહે ભારપૂર્વક કહ્યું કે કાશ્મીર હંમેશાથી ભારતનો અવિભાજ્ય હિસ્સો (inseparable part of India) રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે.
#WATCH | Delhi: At the launch of the book 'J&K and Ladakh Through the Ages,' Union Home Minister Amit Shah said, “Article 370 and 35A were the provisions that hindered Kashmir's full integration with the rest of the country. It was through PM Modi's strong resolve that Article… pic.twitter.com/goE3wHbhdr
— Organiser Weekly (@eOrganiser) January 2, 2025
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ કાનૂની જોગવાઈ આ સંબંધને ક્યારેય તોડી શકશે નહીં. સાથે ઉમેર્યું હતું કે, “ભૂતકાળમાં કાશ્મીરને ભારતથી અલગ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સમયએ તે પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા છે.”
આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના (ICHR) અધ્યક્ષ અને પુસ્તકના સંપાદક પ્રોફેસર રઘુવેન્દ્ર તંવર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
‘ભારત કયારેય એક નહોતું’- એ માત્ર એક દંતકથા: અમિત શાહ
તેમના સંબોધનમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે નેશનલ બુક ટ્રસ્ટે (NBT) તેના નવીનતમ પ્રકાશન દ્વારા અસરકારક રીતે તથ્યો અને પુરાવાઓ રજૂ કરીને ભારત વિશે લાંબા સમયથી ચાલતી માન્યતાઓને તોડી પાડી છે, જેના કારણે ઐતિહાસિક સત્યો છે સ્થાપિત. તેમણે કહ્યું કે એક દંતકથા હતી કે ભારત ક્યારેય એક થઈ શક્યું ન હતું અને આ દેશની આઝાદીનો વિચાર અર્થહીન હતો – એક ખોટી માન્યતા જેને ઘણા લોકો સાચી માને છે.