લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) જ્યારે પણ વિદેશ પ્રવાસ પર હોય છે ત્યારે દેશ વિષે એલ-ફેલ બોલતા હોય છે. આ વખતે પણ એવો જ મામલો સામે આવ્યો છે. વર્તમાનમાં કોંગ્રેસ (Congress) નેતા અમેરિકાના 2 દિવસીય પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે બ્રાઉન યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ફરીથી તેમણે અમેરિકામાં (America) ભારતીય ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા છે.
તેમણે મહારાષ્ટ્ર ચૂંટણી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે દેશની ચૂંટણી પ્રણાલીમાં ‘મોટી સમસ્યા’ છે. રાહુલ ગાંધીએ કહ્યું, “સરળ શબ્દોમાં કહીએ તો, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનારા લોકોની સંખ્યા મહારાષ્ટ્રમાં પુખ્ત વયના લોકોની સંખ્યા કરતા વધુ છે અને હું આ એક હકીકતના આધારે કહી રહ્યો છું.”
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, “સાંજે 5:30 વાગ્યા સુધી મતદાનનો ડેટા ઉપલબ્ધ હતો, પરંતુ 5:30થી 7:30 વાગ્યાની વચ્ચે, જ્યારે મતદાન સમાપ્ત થવું જોઈતું હતું, ત્યારે પણ 65 લાખ મત અલગથી પડ્યા હતા.”
રાહુલ ગાંધીએ તેને અશક્ય ગણાવ્યું અને કહ્યું, “એક વ્યક્તિને મતદાન કરવામાં લગભગ 3 મિનિટ લાગે છે, તેથી જો આપણે આનો હિસાબ કરીએ, તો તેનો અર્થ એ કે લોકો અડધી રાતના 2 વાગ્યા સુધી મતદાન કરવા માટે લાઇનમાં ઉભા હતા અને આખી રાત મતદાન ચાલ્યું, જે સાચું નથી.”
Anti Democracy, Anti India Rahul Gandhi who could not win the trust of Indian electorate begins to question Indian democratic process on a foreign soil.
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) April 21, 2025
Why does Rahul always defame India on a foreign soil?
An agent of George Soros who is Fighting Indian state – that's what… pic.twitter.com/jzN7ihOYV8
ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા આપ્યા પછી પણ રાહુલ ગાંધી ચૂંટણીમાં મતદાન ટકાવારીમાં વધારાનો આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. મહારાષ્ટ્ર ચૂંટણી પછી ડિસેમ્બર 2024માં પણ રાહુલ ગાંધીએ આ જ વાત કહી હતી. ત્યારપછી, ચૂંટણી પંચે કહ્યું હતું કે મતદાનના છેલ્લા આંકડામાં અને વોટીંગના દિવસે આવેલ આંકડાઓમાં બદલાવ સંભવ છે.
રાહુલ ગાંધીના આ નિવેદન અંગે ભાજપ હવે આક્રમક બન્યું છે. તેમના ભારત વિરોધી નિવેદન પર કટાક્ષ કરતા, ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ X પર લખ્યું, “રાહુલ ગાંધી જે પોતાના દેશના મતદારોનો વિશ્વાસ જીતી શકતા નથી, તેઓ વિદેશ જઈને ભારતીય લોકશાહી પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે.”
ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધીને ‘લોકશાહી વિરોધી’ અને ‘ભારત વિરોધી’ કહ્યા. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી જ્યોર્જ સોરોસના એજન્ટ છે, જે હંમેશા દેશને બદનામ કરે છે અને વિદેશી ધરતી પર ઝેર ઓકતા રહે છે.”
નોંધનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું જ્યારે રાહુલ ગાંધીએ ભારત અને વિદેશમાં ભારતીય એજન્સીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હોય. આ પહેલાં, સપ્ટેમ્બર 2024માં અમેરિકાની મુલાકાત દરમિયાન, તેમણે ભારતીય લોકશાહી વિશે પણ એલફેલ નિવેદન આપ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતની સરખામણી સીરિયા અને ઇરાક સાથે કરી હતી, જેનો ઘણો વિરોધ થયો હતો.