Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPM મોદીના ભાઈ પ્રહલાદ મોદીને માર્ગ અકસ્માત નડ્યો, તેમની પત્ની અને બાળકો...

    PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીને માર્ગ અકસ્માત નડ્યો, તેમની પત્ની અને બાળકો પણ હતા સાથે: કર્ણાટકના મૈસુરની ઘટના, બધાને જેએસ હોસ્પિટલ લઇ જવાયા

    પીએમ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેમનો પરિવાર મંગળવારે બપોરે કર્ણાટકના મૈસુરમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત થયો ત્યારે કારમાં પાંચ લોકો સવાર હતા.

    - Advertisement -

    કર્ણાટકના મૈસુરથી એક તાજા સમાચાર આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી આજે બપોરે કર્ણાટકના મૈસુર નજીક તેમની કારને અકસ્માત નડતાં ઈજાગ્રસ્ત થયા હતા. અહેવાલો અનુસાર, આ દુર્ઘટના મૈસુરની બહાર કડકોલ્લા નામના વિસ્તારની નજીક બની હતી.

    નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી, તેમની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે, મર્સિડીઝ-બેન્ઝ એસયુવીમાં બાંદીપુરા જઈ રહ્યા હતા. ત્યારે તે ગાડી બપોરે 2 વાગ્યાની આસપાસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત થયો ત્યારે તેમનો સુરક્ષા કાફલો પણ તેમની સાથે મુસાફરી કરી રહ્યો હતો.

    કોઈ જાનહાની નહિ, માત્ર સામાન્ય ઈજાઓ

    પ્રહલાદ મોદીના પૌત્રને પગમાં ફ્રેક્ચર થયું છે જ્યારે અન્યોને નાની ઈજાઓ સાથે મૈસરુની જેએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને અન્ય તબીબી તપાસ કરવામાં આવી હતી.

    - Advertisement -

    ઘટનાસ્થળેથી સામે આવેલા ફોટા-વિડીયોમાં કારના આગળના ભાગને ભારે નુકસાન જોવા મળ્યું હતું. દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે.

    તાજા જાણકારીઓ સાથે અહેવાલને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં