Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'બિન-મુસ્લિમો આપણા દુશ્મન છે, આપણાં સંતાનોને તે સારી રીતે શીખવવું જોઈએ': કટ્ટરપંથી...

    ‘બિન-મુસ્લિમો આપણા દુશ્મન છે, આપણાં સંતાનોને તે સારી રીતે શીખવવું જોઈએ’: કટ્ટરપંથી કેનેડિયન ધર્મગુરૂ શેખ યુનુસ કાથરડાનો વિડીયો વાઇરલ

    અગાઉ શેખ યુનુસ કાથરાડા સામે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા બિન-મુસ્લિમો વિરુદ્ધના તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે અને દ્વેષપૂર્ણ ભાષણ માટે તપાસ કરવામાં આવી હતી.

    - Advertisement -

    શેખ યુનુસ કાથરાડા નામના ઈસ્લામ ધર્મના મૌલવીના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વિડીયો કેનેડાનો છે. વિડીયો 30મી ડિસેમ્બર 2022ના રોજ યુટ્યુબ ચેનલ મુસ્લિમ યુથ વિક્ટોરિયા પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં શેખ યુનુસ કાથરાડાએ પોતાના ઉશ્કેરણીજનક ભાષણમાં કહ્યું હતું કે વિડીયોમાં મૌલવી મુસ્લિમોને એમ કહેતા જોવા મળે છે કે બિન-મુસ્લિમો તેમના દુશ્મન છે અને તેમના સંતાનોને સમજાવવું જોઈએ, ‘અલ્લાહ નાસ્તિકોનો નાશ કરે’.

    શેખ યુનુસ કાથરાદાએ કહ્યું, “તેઓ આ ખોટા આરોપો ઇસ્લામ પર લગાવે છે કારણ કે તેઓ અલ્લાહના દુશ્મનો છે. જ્યારે તેઓ અલ્લાહનું અપમાન કરે છે ત્યારે તેઓ અલ્લાહના દુશ્મન કેવી રીતે નથી? કુરાનમાં અલ્લાહ પોતાના વિશે શું કહે છે? તે જન્મતો નથી, કે તે જન્મ્યો નથી. તેને બાળકો નથી, અને તે કોઈનું સંતાન નથી. પરંતુ (ખ્રિસ્તીઓ) શું કહે છે? તેઓ કહે છે કે અલ્લાહને એક પુત્ર છે. શું આ અલ્લાહ પ્રત્યેની દુશ્મની નથી? તેઓ અલ્લાહના દુશ્મનો કેવી રીતે નથી જ્યારે તેઓ અલ્લાહ પર ચુસ્ત હોવાનો, કંજુસ હોવાનો, ઉદાર ન હોવાનો આરોપ લગાવે છે?”

    ઈસ્લામ ધર્મના મૌલવીના વિડીયોમાં વધુમાં કહેવાયુ કે, “ખાતરી કરો કે આ તમારા મગજમાં સ્પષ્ટ છે. શું તમને લાગે છે કે તેઓ તમારા મિત્રો છે? ના. તેઓ અલ્લાહના દુશ્મનો છે. તો જો તેઓ અલ્લાહના દુશ્મનો છે, તો તેઓ તમારા નજીકના મિત્રો કેવી રીતે છે? હું ઈચ્છું છું કે તમારા બાળકો આ સારી રીતે સમજે. બિન-મુસ્લિમો અલ્લાહના દુશ્મન છે તેથી તેઓ તમારા દુશ્મન છે. તેમાંના કેટલાક તો એવું પણ માનતા નથી કે અલ્લાહ છે. શું તમે ઇચ્છો છો કે એવી વ્યક્તિ તમારો નજીકનો મિત્ર બને? હે અલ્લાહ, ઇસ્લામ અને મુસલમાનોને શક્તિ આપો, કાફિરો અને મુશિકોને અપમાનિત કરો, આપણા ધર્મના દુશ્મનોનો નાશ કરો અને વિધર્મીઓ અને નાસ્તિકોનો નાશ કરો!”

    - Advertisement -

    આ પહેલા પણ કાથરાડાએ અનેક વિવાદાસ્પદ ભાષણો આપ્યા છે

    મૌલવીએ આવું ભાષણ આપ્યું હોય તેવી તેમની પહેલી ઘટના નથી. અગાઉ પણ ઈસ્લામ ધર્મના મૌલવીના આવા વિવાદાસ્પદ ભાષણો સામે આવી ચૂક્યા છે. 2018માં, શેખ યુનુસ કાથરાડાએ બ્રિટિશ કોલંબિયામાં એક ભાષણ આપ્યું હતું, જ્યાં તેમણે કહ્યું હતું કે, “એવા લોકો છે જેઓ તમને ‘મેરી ક્રિસમસ’ કહેશે – તમે તેમને શું અભિનંદન આપી રહ્યા છો? શું આ તમારા ભગવાનના જન્મની અભિનંદન છે? શું તે મુસ્લિમને સ્વીકાર્ય છે? શું તમે હવે તેમની માન્યતાઓને મંજૂર કરો છો? એમ કહીને કે તમે તેને મંજૂર કરો છો.”

    અગાઉ શેખ યુનુસ કાથરાડા સામે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા બિન-મુસ્લિમો વિરુદ્ધના તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે અને દ્વેષપૂર્ણ ભાષણ માટે તપાસ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં