Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પત્ની અને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા: મધરાતે રોડ પર...

    અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પત્ની અને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા: મધરાતે રોડ પર રડતા જોવા મળ્યા; લગ્ન માટે પત્નીએ કર્યું હતું ધર્માંતરણ

    આલિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી વચ્ચે આ ખટપટ ઘણા સમયથી ચાલી રહી છે. આલિયા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સાથે થઈ રહેલા દુર્વ્યવ્હારને લોકોને બતાવી રહી છે.

    - Advertisement -

    અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની વચ્ચે ચાલી રહેલી ‘ઘરેલું લડાઈ’ હવે ઘરની બહાર, રસ્તા પર આવી ગઈ છે. નવાઝની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે કે તેને રાત્રે 11.30 વાગ્યે નવાઝના બંગલામાંથી બહાર કાઢવામાં આવી છે અને વીડિયોમાં તે તેના બે બાળકો સાથે રસ્તા પર ઉભી જોવા મળી રહી છે. આલિયા સિદ્દીકીએ કહ્યું કે, “હવે મારી પાસે માત્ર 81 રૂપિયા છે, મને સમજાતું નથી કે શું કરવું. મારી બાળકી ત્યાં રડતી ઊભી છે…” નોંધનીય છે કે વર્ષો પહેલા નવાઝ સાથે લગ્ન કરવા માટે તે અંજનામાંથી આલિયા બની હતી.

    વીડિયોમાં આલિયા સિદ્દીકી કહેતી જોવા મળી રહી છે, “હું આ સમયે નવાઝના બંગલાની બહાર છું. અમને આ બંગલાની બહાર ફેંકી દેવામાં આવ્યા છે. એ મારી દીકરી ઊભી છે જે રડી રહી છે. ખૂબ જ ચિંતા થઈ રહી છે. હવે મને સમજાતું નથી, મારી પાસે 81 રૂપિયા છે, ન તો મારી પાસે હોટેલ છે કે ન ઘર. હું શું કરું? મને સમજાતું નથી કે નવાઝ આટલો નીચે ઉતરી ગયો છે, હું કલ્પના પણ કરી શકતી નથી. હું નવાઝ તને ક્યારેય માફ નહીં કરી શકું. મારા બાળકો સાથે જે પણ થઈ રહ્યું છે, હું તને ક્યારેય માફ નહીં કરું. મારા બાળકની સ્થિતિ, હું તમને બતાવવા માંગુ છું કે શું થઈ રહ્યું છે.”

    આલિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી વચ્ચે આ ખટપટ ઘણા સમયથી ચાલી રહી છે. આલિયા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સાથે થઈ રહેલા દુર્વ્યવ્હારને લોકોને બતાવી રહી છે. આલિયાનું કહેવું છે કે તેને તેના જ પતિના ઘરમાં રહેવા દેવામાં આવતી નથી. તે જ સમયે, નવાઝના વકીલે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે આલિયા તેની પત્ની નથી કારણ કે તેણે કોઈ અન્ય સાથે લગ્ન કર્યા છે.

    - Advertisement -

    બીજી તરફ એવા સમાચાર છે કે નવાઝના ભાઈએ ખુદ નવાઝને તેની માતાને મળવાથી રોક્યા છે. અહેવાલ છે કે તાજેતરમાં નવાઝ તેની બીમાર માતાને જોવા માટે વર્સોવામાં તેના ભાઈના બંગલે પહોંચ્યો હતો, પરંતુ તેમ છતાં તે તેની માતાનો ચહેરો જોઈ શક્યો ન હતો અને પાછો પાછો ફર્યો હતો.

    નવાઝને તેની પત્ની ઉપરાંત તેના ભાઈઓ સાથે પણ નથી બનતું. પહેલા ભાઈ શમાસ નવાબ સિદ્દીકી સાથે અને હવે બીજા ભાઈ ફૈઝુદ્દીન સાથે તેની લડાઈ જગજાહેર થઇ છે. નવાઝ 2 માર્ચે તેની બીમાર માતા મહરુનિસાને મળવા માટે તેના બીજા ભાઈ ફૈઝુદ્દીનના ઘરે પહોંચ્યો હતો, પરંતુ અભિનેતાને તેની માતાને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

    નવાઝ સાથે લગ્ન કરવા અંજના પાંડે બની હતી આલિયા

    આ પહેલા નવાઝની પત્નીના ધર્માંતરણને લઈને પણ વિડીયો વાઇરલ થયો હતો. આલિયાએ સ્વીકાર્યું કે તેણે ઘણા વર્ષો પહેલા હિંદુ ધર્મમાંથી ઇસ્લામિક ધર્મ અપનાવ્યો હતો. વર્ષો પહેલા નવાઝ સાથે લગ્ન કરવા માટે તે અંજનામાંથી આલિયા બની હતી.

    તેના નિર્ણયની ખુબ પણ ટીકા થઇ હતી કે તેને માત્ર લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલ્યો હતો. ધર્મ અને નામ બદલ્યા બાદ જ નવાઝએ તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ધર્મ બદલીને આલિયા તરીકે 10 વર્ષ સુધી સાથે રહેવા છતાંય હાલ તેના લગ્નજીવનમાં શાંતિ નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં