Thursday, May 16, 2024
More
    હોમપેજદેશબકરીદ પર હલાલ કરવા મોહસીન શેખ 2 બકરા સાથે સોસાયટીમાં આવ્યો, સભ્યોએ...

    બકરીદ પર હલાલ કરવા મોહસીન શેખ 2 બકરા સાથે સોસાયટીમાં આવ્યો, સભ્યોએ વિરોધમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યાઃ મુંબઈના મીરા રોડની ઘટના, 11 પર FIR

    નિયમો અનુસાર રહેણાંક સોસાયટી પરિસરમાં પશુઓની કતલ થઈ શકતી નથી. પોલીસે ચેતવણી આપી છે કે જો મોહસીન શેખ નિયમનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પછી મોહસીન શેખે હાઉસિંગ સોસાયટીમાંથી પોતાના બે બકરા બહાર કાઢ્યા હતા.

    - Advertisement -

    બકરીદ પહેલા, મુંબઈમાં હાઉસિંગ સોસાયટીમાં એક મુસ્લિમ વ્યક્તિ હલાલ કરવા માટે 2 બકરા લાવ્યો, પરંતુ આનાથી આસપાસના લોકો ગુસ્સે થઈ ગયા. મીરા રોડ પર સ્થિત હાઉસિંગ સોસાયટીના લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને વિરોધ પ્રદર્શન પણ કર્યું. આ ઘટનાક્રમના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આમાં જોઈ શકાય છે કે મોહસીન શેખ નામનો વ્યક્તિ બે બકરા લઈને આવ્યો, જેના કારણે સોસાયટીના સભ્યો ગુસ્સે થઈ ગયા. આ પછી મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા.

    મોહસીન શેખનો દાવો છે કે મહારાષ્ટ્રની રાજધાનીમાં સ્થિત આ હાઉસિંગ સોસાયટીમાં 200-250 મુસ્લિમ પરિવારો રહે છે. તેમણે દાવો કર્યો હતો કે રહેણાંક સોસાયટીના બિલ્ડરે દર વર્ષે મુસ્લિમોને બકરા રાખવા માટે અલગ જગ્યા આપી છે. જોકે, આ વર્ષે બિલ્ડરે સૌપ્રથમ સોસાયટીના રહીશોને આ અંગે પૂછપરછ કરવા જણાવ્યું હતું. તેણે પહેલાની જેમ બકરા માટે અલગ જગ્યા આપવાની ના પાડી. આમ છતાં મોહસીન ખાન બે બકરા લઈને આવ્યો.

    મોહસીન શેખનું કહેવું છે કે જ્યારે સોસાયટીએ તેને બકરાં રાખવાની જગ્યાનો ઉપયોગ કરવા દેવાની ના પાડી ત્યારે તે બકરાં લઈને ઘરે આવ્યો. હવે મોહસીન શેખ કહી રહ્યો છે કે તે હાઉસિંગ સોસાયટીના પરિસરમાં બકરા કાપવા નથી જઈ રહ્યો, તેની પાસે આવી કોઈ યોજના નહોતી. આ પછી મુંબઈ પોલીસે આ મામલામાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. પોલીસે સોસાયટીના રહેવાસીઓને ખાતરી આપી હતી કે પરિસરમાં પશુઓની કતલને મંજૂરી આપવામાં આવશે નહીં.

    - Advertisement -

    આ પછી સોસાયટીના લોકો શાંત થઈ ગયા. નિયમો અનુસાર રહેણાંક સોસાયટી પરિસરમાં પશુઓની કતલ થઈ શકતી નથી. પોલીસે ચેતવણી આપી છે કે જો મોહસીન શેખ નિયમનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પછી મોહસીન શેખે હાઉસિંગ સોસાયટીમાંથી પોતાના બે બકરા બહાર કાઢ્યા હતા. આ ઘટના મંગળવારે (27 જૂન, 2027) ના રોજ બની, જ્યારે લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું. આ મામલામાં 11 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં