Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાતવલસાડમાં ચાલુ ટ્રેનમાં આગ: સુરત તરફ જઈ રહી હતી હમસફર એક્સપ્રેસ, તમામ...

    વલસાડમાં ચાલુ ટ્રેનમાં આગ: સુરત તરફ જઈ રહી હતી હમસફર એક્સપ્રેસ, તમામ મુસાફરો સુરક્ષિત

    જનરેટર કોચમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, રેલવેની તપાસમાં જ વધુ વિગતો સામે આવી શકશે. 

    - Advertisement -

    વલસાડમાં એક ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. શ્રી ગંગાનગર હમસફર એક્સપ્રેસ વલસાડ સ્ટેશનેથી ઉપાડ્યા બાદ થોડા જ અંતરે આગળ વધતાં જનરેટર કોચમાં આગ લાગી ગઈ હતી. જોકે, સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઈ નથી. 

    હમસફર એક્સપ્રેસ ટ્રેન તામિલનાડુના તિરુચિરાપલ્લીથી રાજસ્થાનના ગંગાનગર સુધી દોડે છે. શનિવારે બપોરે 2 વાગ્યાના અરસામાં ટ્રેન ગુજરાતના વલસાડ રેલવે સ્ટેશને પહોંચી હતી. ત્યારબાદ આગલું સ્ટેશન સુરત હતું. વલસાડ સ્ટેશનેથી નીકળ્યાની તરત બાદ 2:20 વાગ્યે જનરેટર કોચમાં આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ તરત જ ટ્રેનને થોભાવીને યાત્રીઓને ઉતારી દેવામાં આવ્યા. 

    ઘટનાને લઈને DRM વડોદરા દ્વારા X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, તિરુચિરાપલ્લીથી શ્રીગંગાનગર જતી ટ્રેન નંબર 22498ના પાવર કોચમાં આગની પલટો જોવા મળી હતી. ત્યારબાદ તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતરી લેવામાં આવ્યા. કોઇને ઈજા પહોંચી નથી કે કોઇ જાનહાનિ પણ નોંધાઈ નથી. આગળ જણાવ્યા અનુસાર, કોચ અલગ કર્યા બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવશે. રેલવે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું પણ ઉમેરવામાં આવ્યું. 

    - Advertisement -

    જનરેટર કોચમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, રેલવેની તપાસમાં જ વધુ વિગતો સામે આવી શકશે. 

    આગ લાગી તે દરમિયાન અમુક મુસાફરો અને સ્થાનિકોએ વીડિયો ઉતારી લીધા હતા, જે સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. વીડિયોમાં પાટા પર ઉભેલી ટ્રેનમાંથી આગની લપટો નીકળતી જોવા મળી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં