Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમથુરા વિવાદિત શાહી ઈદગાહ હટાવવાની અરજી કોર્ટે સ્વીકારી, વિવાદિત માળખામાં લડ્ડુ...

    મથુરા વિવાદિત શાહી ઈદગાહ હટાવવાની અરજી કોર્ટે સ્વીકારી, વિવાદિત માળખામાં લડ્ડુ ગોપાલના ‘જળાભિષેક’ પર સુનાવણી

    મથુરાના કૃષ્ણ જન્મસ્થાન માટે ચાલી રહેલા શાહી ઇદગાહ વિવાદમાં મથુરાની કોર્ટે હવે લડ્ડુ ગોપાલના જલાભિષેક માટેની અરજી સ્વીકારી લીધી છે.

    - Advertisement -

    મથુરા શાહી ઈદગાહના વિવાદિત માળખામાં જલાભિષેક અને લડ્ડુ ગોપાલની પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી સ્વીકાર્યા બાદ કોર્ટે આ મામલે વધુ એક અરજી સ્વીકારી છે. માહિતી અનુસાર, ગુરુવારે (19 મે, 2022) ના રોજ મથુરા કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદિત ઢાંચાના કેસમાં મંદિરની નજીક બનેલા વિવાદિત ઢાંચાને હટાવવાની અરજીને સ્વીકારી લીધી હતી. મથુરા વિવાદિત શાહી ઈદગાહ વિવાદ હવે ધીમે ધીમે પ્રસરી રહ્યો છે.

    આ અરજી લખનઉના રહેવાસી રંજના અગ્નિહોત્રીએ કેશવ દેવ મંદિર માટે દાખલ કરી હતી. કોર્ટે આ અંગેની અરજી સ્વીકારતા કહ્યું કે રંજના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણી કરવા યોગ્ય છે. આ કેસ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાનના નામે દાખલ છે. એડવોકેટ હરિશંકર જૈને કહ્યું હતું કે કોર્ટે એવી તમામ અરજીઓને સ્વીકારી લીધી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરની જમીન પર મસ્જિદ બનાવવામાં આવી છે. હવે કોર્ટે આ મામલો સિવિલ કોર્ટમાં સુનાવણી માટે મોકલી આપ્યો છે.

    અહીં એ નોંધનીય છે કે અગાઉ વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનામાં મથુરા સિવિલ કોર્ટે શાહી ઈદગાહ વિવાદિત માળખાને હટાવવાની અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં શાહી ઈદગાહને હટાવવા અને 13.37 એકર જમીન ભગવાન કૃષ્ણને હસ્તાંતરિત કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સિવિલ કોર્ટે તેને ફગાવી દીધી હટી. ત્યાર બાદ આ મામલો જિલ્લા કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સુનાવણી બાદ અરજી સ્વીકારવામાં આવી હતી.

    - Advertisement -

    નોંધનીય છે કે જ્ઞાનવાપી સર્વે બાદ મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિને લઈને કોર્ટમાં અરજીઓ ઝડપથી દાખલ થઇ રહી છે. તાજેતરમાં, શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદના સંદર્ભમાં, મનીષ યાદવ નામના વ્યક્તિ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કેટલાક લોકો શાહી ઇદગાહમાંથી પુરાવાને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી શકે છે જે સાબિત કરે છે કે તે ઇદગાહનો ભાગ છે. .

    નોંધનીય છે કે આ પહેલા અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ કૌશિકે બુધવારે સિવિલ જજ સિનિયર ડિવિઝન મથુરામાં અરજી દાખલ કરીને શાહી ઈદગાહમાં લડ્ડુ ગોપાલના જલાભિષેકની પરવાનગી માંગી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી અને આગામી સુનાવણી માટે તારીખ 1 જુલાઈ નક્કી કરાઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં