Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકંગનાએ પંજાબી સંગીતકાર દિલજીત દોસાંઝને ટેગ કરી પૂછ્યું ‘કિત્થે હૈ?’: પોસ્ટમાં લખ્યું...

    કંગનાએ પંજાબી સંગીતકાર દિલજીત દોસાંઝને ટેગ કરી પૂછ્યું ‘કિત્થે હૈ?’: પોસ્ટમાં લખ્યું ખાલિસ્તાનીનું સમર્થન કરવું ભારે પડશે, મિમ શેર કરી ઉડાવી મજાક

    પંજાબી ગાયક દિલજીત દોસાંઝ કોઈ ખાસ જવાબ તો નથી આપ્યો, પરંતુ એક સ્ટોરી પોસ્ટ કરીને પંજાબી ભાષામાં લખ્યું હતું કે “મારું પંજાબ ફળતું ફૂલતું રહે”

    - Advertisement -

    બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પોતાના અભિપ્રાયો સોશિયલ મીડિયામાં પણ મુકતા હોય છે. આગાઉ તેમનું ટ્વીટર હેન્ડલ પણ સસ્પેન્ડ થયું હતું, જો કે તે હાલમાં જ રીસ્ટોર કરવામાં આવ્યું છે. આજે પાછા તેમણે ખાલિસ્તાની વિરોધમાં સોશિયલ મીડિયામાં લખીને પંજાબી ગાયક દિલજીત દોસાંઝને પણ ટેગ કર્યા હતા. 

    મળતી માહિતી અનુસાર, કંગના રનૌતે સોશિયલ મીડિયામાં ઉપરાઉપરી ત્રણ પોસ્ટ કરી હતી, જેમાં પ્રથમ પોસ્ટમાં  દિલજીત દોસાંઝને ટેગ કરીને લખ્યું હતું કે ‘pols aagyi pols aagai’ આ વાક્ય જયારે પંજાબ પોલીસ ખાલિસ્તાનીઓને પકડવા ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે એક ખાલિસ્તાની ડરીને બોલ્યો હતો. ત્યાર બાદ લોકો આના પર મિમ પણ બનાવી રહ્યા હતા. કંગનાએ એક મિમ શેર કરીને જ આ પોસ્ટ કરી હતી. 

    કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ

    તેની બીજી પોસ્ટમાં તેણે લખ્યું હતું કે “જે લોકો ખાલિસ્તાનીઓનું સમર્થન કરી રહ્યા છે, યાદ રાખજો આગલો નંબર તમારો છે. પોલીસ આવી ચુકી છે. આ તે સમય નથી કે કોઈ પણ દેશ વિરોધી ષડ્યંત્ર કરી જાય, હવે સમય બદલાઈ ગયો છે. દેશ સાથે દગો કરવો હવે મોંઘો પડશે.” આડકતરી રીતે આ પોસ્ટ પણ દિલજીત દોસાંઝ પર જ લખવામાં આવી હતી. 

    - Advertisement -
    કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ

    આટલે નહીં થોભતા તેમને ત્રીજી પોસ્ટ પણ મૂકી હતી જેમાં ફરી એકવાર દિલજીત દોસાંઝને ટેગ કરી પૂછ્યું હતું કે “કિત્થે હૈ:” અર્થાત “ક્યાં છો?’ સાથે લખ્યું હતું કે “પહેલા તો આ દિલજીત દોસાંઝ ઘણો ઉછળતો હતો, તેના સમર્થકો પણ મને ધમકીઓ આપતા હતા અને ટ્વીટર પર ટ્રેન્ડ ચલાવતા હતા. તો પહેલા કોની મદદથી કરતા હતા અને હવે કોના ડરથી છુપાઈ ગયા છે?”

    આ બબાતે આખો દિવસ મીડિયા અને સોશિયલ મડિયામાં ચર્ચા ચાલુ રહી હતી. તેના પર પંજાબી ગાયક દિલજીત દોસાંઝ કોઈ ખાસ જવાબ તો નથી આપ્યો, પરંતુ એક સ્ટોરી પોસ્ટ કરીને પંજાબી ભાષામાં લખ્યું હતું કે “મારું પંજાબ ફળતું ફૂલતું રહે” આ સિવાય કંગનાને કોઈ વ્યક્તિગત જવાબ આપ્યો હતો નહીં. 

    દિલજીત દોસાંઝની સોશિયલ મીડિયા પોસ્ટ

    આ પહેલીવાર નથી કે કંગના અને દિલજીત દોસાંઝ સોશિયલ મીડિયા પર બાઝ્યાં હોય. કિશાન આંદોલન વખતે પણ બન્ને આમને સામને થયા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં