Saturday, April 20, 2024
More
    હોમપેજક્રાઈમગોરખપુરમાં જીતુલ્લાહ ખાને તિરંગાથી પોતાની ઈ-રિક્ષા સાફ કરી: રાષ્ટ્રધ્વજના અપમાન પર લોકોમાં...

    ગોરખપુરમાં જીતુલ્લાહ ખાને તિરંગાથી પોતાની ઈ-રિક્ષા સાફ કરી: રાષ્ટ્રધ્વજના અપમાન પર લોકોમાં રોષ, પોલીસ ફરિયાદ દાખલ

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યાનો મામલો સામે આવ્યો છે. અહીં ગોરખપુરમાં એક જીતુલ્લાહ ખાન નામના ઈસમે તિરંગાથી પોતાની ઈ-રિક્ષા સાફ કરી હતી. એટલું જ નહીં, જ્યારે લોકોએ તેને પૂછ્યું ત્યારે તેણે વાત હસવામાં કાઢી નાંખી હતી. તેની આ કરતૂતનો વિડીયો કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો, ત્યારબાદ તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

    અહેવાલો અનુસાર, ગોરખપુરમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા જીતુલ્લાહ ખાને તિરંગાથી ઈ-રિક્ષા સાફ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આ વ્યક્તિ જીતુલ્લાહ ખાન બિહારનો રહેવાસી છે. વીડિયોમાં આ વ્યક્તિ તિરંગાથી ઈ-રિક્ષા સાફ કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે તેને ‘હિન્દુસ્તાની છો?’ તેમ પૂછવામાં આવ્યું, તેના જવાબમાં તે એક નફ્ફટાઈ ભરેલું સ્મિત આપીને જાણે કશું કર્યું જ ન હોય તેમ રાષ્ટ્રધ્વ્જથી રિક્ષા સાફ કરવામાં લાગી જાય છે.

    વિડીયો વાયરલ થયા બાદ લોકોએ તેની સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસને અપીલ કરી હતી. ફરિયાદ પર ગોરખપુર પોલીસે તરત જ સંજ્ઞાન લઈને કેસ નોંધી મામલાની તપાસ શરૂ કરી દીધી. ઇન્સ્પેક્ટર દુર્ગેશ સિંહે આ બાબતે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર મળેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે.”

    - Advertisement -

    ગોરખપુર પોલીસે ટ્વિટર પર પણ આ બાબતની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, આ મામલે ગોરખનાથ પોલીસ મથકે કાયદેસર ફરિયાદ દાખલ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    બિહારનો રહેવાસી છે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર મુસ્લિમ વ્યક્તિ

    વીડિયોમાં તિરંગાથી ઈ-રિક્ષા સાફ કરતો વ્યક્તિ પોતાનું નામ જીતુલ્લાહ ખાન જણાવી રહ્યો છે અને તે બિહારનો રહેવાસી હોવાનો દાવો કરી રહ્યો છે. વીડિયોમાં આ વ્યક્તિ તિરંગાથી જે ઈ-રિક્ષા સાફ કરી રહ્યો છે, તેનો નંબર યુપી-53-એફટી-6293 છે. જ્યારે આ ઈ-રિક્ષા ગોરખપુર આરટીઓમાં મમતા ત્રિપાઠી નામની મહિલાના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રિક્ષા દોઢ મહિના પહેલાં મુજીબુર્રહમાન ખાનને વેચી દેવામાં આવી હતી. મમતા ત્રિપાઠીના પતિના કહેવા અનુસાર તેમણે મુજીબુર્રહમાન ખાનને અનેક વખત રિક્ષા નામે કરવા કહેવા છતાં તેને એમ જ કોઈને ફેરવવા આપી દીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં