Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટMVAમાં મહાસંગ્રામ: 'અગલા સીએમ એનસીપી સે હોગા' - NCP નેતા ધનંજય મુંડે,...

    MVAમાં મહાસંગ્રામ: ‘અગલા સીએમ એનસીપી સે હોગા’ – NCP નેતા ધનંજય મુંડે, કોંગ્રેસે તેને ‘દિવાસ્વપ્ન’ ગણાવ્યું, રાઉતને જોઈએ 25 વર્ષ સુધી શિવસેનાના સીએમ

    મહારાષ્ટ્ર રાજ્યમાં વર્તમાન એમવીએ સરકારે અઢી વર્ષ પૂરા કર્યા છે અને આગામી ચૂંટણીને હજુ 2 વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ એવું લાગે છે કે પાંચ વર્ષ પૂરા કરશે નહીં.

    - Advertisement -

    આગામી ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન પદને લઈને મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનના સભ્યો નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ વચ્ચે શબ્દ યુદ્ધ ફાટી નીકળ્યું છે. હાલમાં, સીએમ પદ ગઠબંધનના ત્રીજા સભ્યપક્ષ શિવસેના પાસે છે, જેની અધ્યક્ષતા પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે છે.

    મહારાષ્ટ્ર કેબિનેટમાં સામાજિક ન્યાય અને વિશેષ સહાયતા પ્રધાન અને NCPના વરિષ્ઠ નેતા ધનંજય મુંડેએ ગઈ કાલે દાવો કર્યો હતો કે આગામી મુખ્ય પ્રધાન તેમની પાર્ટીના જ હશે. પરભણી શહેરમાં એક જાહેર સભાને સંબોધતા મુંડેએ કહ્યું હતું કે, “જો આવતીકાલે સામાજિક ન્યાય વિભાગ કોને સોંપવો તે અંગે પ્રશ્ન ઊભો થાય છે, તો આગામી મુખ્ય પ્રધાન કોણ હશે, અને મુખ્યમંત્રી ફક્ત અમારા (એનસીપીના) જ હશે. સીએમ કહેશે કે સામાજિક ન્યાય પોર્ટફોલિયો અમારી પાસે રહેવા દો (NCP). આ વિભાગે ખૂબ જ નામના મેળવી છે.”

    NCP પાસે મહા વિકાસ અઘાડી સભ્યોમાં બીજા નંબરે સૌથી વધુ ધારાસભ્યો છે, જે શિવસેના કરતાં ઓછા છે, અને નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલય જેવા ઘણા મહત્વપૂર્ણ વિભાગોને નિયંત્રિત કરે છે.

    - Advertisement -

    કોંગ્રેસ અનુસાર NCP જુએ છે ‘દિવાસ્વપ્ન’

    મુંડેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ તેને ‘દિવાસ્વપ્ન’ ગણાવ્યું.

    જ્યારે મીડિયા દ્વારા મુંડેના નિવેદન પર પ્રતિક્રિયા માટે પૂછવામાં આવ્યું ત્યારે પટોલેએ કહ્યું, “મોટાભાગના લોકો રાત્રે સ્વપ્ન જુએ છે, પરંતુ કેટલાક દિવસ દરમિયાન સપના જુએ છે. તેમ છતાં, તે લોકશાહી છે અને દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. દરેક રાજકીય પક્ષને વિસ્તાર કરવાનો અધિકાર છે.

    શિવસેનાના સંજય રાઉતનો અલગ જ સ્વેગ

    વર્તમાનમાં જ્યારે મુખ્યમંત્રી પદ માટે એનસીપી અને કોંગ્રેસ એકબીજાના પગ ખેંચી રહ્યા છે ત્યારે અઘાડીનો ત્રીજો પક્ષ શાંત છે એવું નથી.

    ત્રીજા પક્ષા શિવસેનાના મોટા નેતા સંજય રાઉતે તો આ સરકાર બનાયા પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે મહારાષ્ટ્રમાં આવતા 25 વર્ષ સુધી શિવસેના જ સરકાર ચલાવશે. એટ્લે કે CM શિવસેના જ હશે. તો હવે ચાલુ ચર્ચાઓમાં તેઓ ફ્રી કઈક સળગતું નિવેદન આપે તો નવાઈ ન થવી જોઈએ.

    મહારાષ્ટ્ર રાજ્યમાં વર્તમાન એમવીએ સરકારે અઢી વર્ષ પૂરા કર્યા છે અને આગામી ચૂંટણીને હજુ 2 વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ એવું લાગે છે કે ગઠબંધનના સભ્યો વચ્ચે આગામી સીએમ માટે દલીલ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરે ઘણા લાંબા સમયથી મોટા ભાગે ગાયબ જ રહે છે. તો હવે સીએમ પદના આ આંતરિક યુદ્ધમાં કોણ વિજેતા થઈને બહાર આવશે એ જોવાનું રહેશે.

    જોવાની વાત એ પણ રહેશે કે મહા વિકાસ અઘાડીની આ લડાઈનો ફાયદો લઈને વિરોધપક્ષ એટ્લે કે ભાજપ કઈક નવા જૂની કરવામાં સફળ તો નહીં થાયને. કારણ કે જ્યારથી MVAની સરકાર બની છે ત્યારથી પૂર્વ સીએમ અને ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસ ક્યારેય જંપીને નથી બેઠા અને દરેક મુદ્દે મહારાષ્ટ્ર સરકારનો જોરદાર વિરોધ કર્યો છે. અને જોવામાં એ પણ આવું છે કે પહેલા કરતાં એમની લોકચાહનામાં વધારો જ થયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં