Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મોદીને હરાવવો હોય તો મરેલા મુસલમાનો પાસેથી વોટિંગ કરાવો': NCPની લઘુમતી સમાજની...

    ‘મોદીને હરાવવો હોય તો મરેલા મુસલમાનો પાસેથી વોટિંગ કરાવો’: NCPની લઘુમતી સમાજની સભામાં કોંગ્રેસના નેતા ઉસ્માન હિરોલી મોદીદ્વેષમાં ભાન ભૂલ્યા

    કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યાં સુધી મુસ્લિમો મોટી સંખ્યામાં મતદાન નહીં કરે ત્યાં સુધી પીએમ મોદીને હરાવી શકાય નહીં. કોંગ્રેસ નેતાએ એનસીપીની લઘુમતી વિધાનસભામાં આ નિવેદન આપ્યું હતું.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં વિધાનસભાની બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. શુક્રવારે (24 ફેબ્રુઆરી, શુક્રવાર) પુણેની કસ્બા સીટ અને પિંપરી ચિંચવાડની ચિંચવાડ સીટ માટે પ્રચારનો છેલ્લો દિવસ હતો. 26 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ગઈકાલે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉસ્માન હિરોલીના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

    અહેવાલો મુજબ ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું, “મુસ્લિમ જ્યાં પણ હોય, પછી ભલે તે સાઉદી, દુબઈ, કુવૈતમાં હોય, તેમને ફોન કરો અને તેમને વોટિંગ કરાવો. મૃત મુસલમાનોને પણ બોલાવો, તો જ પીએમ મોદી અને આરએસએસને હરાવી શકાશે.”

    કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યાં સુધી મુસ્લિમો મોટી સંખ્યામાં મતદાન નહીં કરે ત્યાં સુધી પીએમ મોદીને હરાવી શકાય નહીં. કોંગ્રેસ નેતાએ એનસીપીની લઘુમતી સમાજની સભામાં આ નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે જે રીતે લઘુમતીઓનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે તે ઘાતક છે.

    - Advertisement -

    ભાજપ નેતાઓએ પ્રશ્ન ઉઠાવતા આપી સફાઈ

    દેવેન્દ્ર ફડણવીસે એનસીપીની લઘુમતી સમાજની બેઠકમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘શરદ પવારની પાર્ટીની બેઠકમાં કોઈ આવું સાંપ્રદાયિક નિવેદન કરે છે. મૃત લોકોને મતદાન માટે લાવવાની વાત કરે છે, તે ધ્રુવીકરણને પ્રોત્સાહન આપે છે. જેના કારણે કસ્બા સીટની લડાઈ હવે કલમ 370 હટાવવા પર છાતી ઠોકીને રાષ્ટ્રવાદી વિચારધારાઓની લડાઈ બની ગઈ છે.”

    ભાજપની મહિલા પાંખના પ્રમુખ ચિત્રા વાળાએ પણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉસ્માન હિરોલીના આ નિવેદનની આકરી નિંદા કરી છે. તેમણે આ નિવેદનને જેહાદી માનસિકતાની ઉપજ ગણાવી છે. જ્યારે ચારે બાજુથી પ્રતિક્રિયાઓ આવવા લાગી ત્યારે ઉસ્માન હિરોલીએ પોતાના નિવેદનની સ્પષ્ટતા કરી.

    તેમણે કહ્યું કે, “પુણેના કસ્બા વિસ્તારના લગભગ 1500 છોકરા-છોકરીઓ સાઉદી, દુબઈ અને કુવૈતમાં રહે છે. તેમને વોટિંગ માટે બોલાવો, તે જ મેં કહ્યું હતું. આ લોકો આવતા-જતા રહે છે. તેઓ મતદાનના દિવસે અહીં હાજર રહે અને તેઓ મતદાન કરવા પ્રેરિત થાય, આ હેતુથી મેં આ નિવેદન કર્યું છે. મારો હેતુ મતદાનની ટકાવારી વધારવાનો છે, મેં શું ખોટું કર્યું?”

    શરદ પવારે કર્યું સમર્થન

    શરદ પવારે પુણેમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસની આ વાતનો જવાબ આપ્યો હતો. શરદ પવારે કહ્યું, ‘જો મતદાતાઓ ક્યાંક ચાલ્યા ગયા છે. જેઓ દુબઈ, કાઠમંડુ ગયા છે, જો કોઈ તેમને વોટ આપવા માટે પાછા આવવા માટે બોલાવે છે, તો તેમાં ખોટું શું છે? તેમના ભાષણ પર જાણ્યે-અજાણ્યે બિનજરૂરી પ્રતિક્રિયાઓ આપવી એ ચૂંટણીને જાણી જોઈને સાંપ્રદાયિક રંગ આપવા જેવું છે.’

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં