Wednesday, May 14, 2025
More
    હોમપેજદુનિયાપહેલાં હિંદુ સંત ચિન્મય દાસના જામીન પર લગાવી રોક, હવે મર્ડર કેસમાં...

    પહેલાં હિંદુ સંત ચિન્મય દાસના જામીન પર લગાવી રોક, હવે મર્ડર કેસમાં પણ ધરપકડ: 6 મહિનાથી બંધ કરી રાખ્યા છે જેલમાં, બાંગ્લાદેશમાં સતત ચાલુ છે હિંદુઓનું ઉત્પીડન

    હાઇકોર્ટે પોતાના આદેશમાં સંત ચિન્મય દાસને જામીન આપ્યા હતા. પરંતુ તેના એક દિવસ પછી સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે મૂકી દીધો હતો અને ચિન્મય કૃષ્ણ દાસનો જેલમાંથી બહાર આવવાનો રસ્તો બંધ કરી દીધો હતો.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાના (Sheikh Hasina) રાજીનામાં બાદ હિંદુઓની પરિસ્થિતિ કફોડી બની છે, જેના ઘણા અહેવાલો સામે આવી ચૂક્યા છે. આ જ ક્રમમાં ચટગાંવમાં (Chittagong) હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની (Chinmoy Krishna Das) એક વકીલની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેણે દેશના ધાર્મિક અને રાજકીય વાતાવરણમાં નવો વિવાદ જન્માવ્યો છે. ISKCONના ચિન્મય કૃષ્ણ દાસ હિંદુ ધર્મના સંત છે, તેમને આ કેસમાં અગાઉ જામીન મળ્યા હતા. પરંતુ ચટગાંવની અદાલતે તાજેતરમાં જારી કરેલ આદેશના પગલે તેમની પુનઃ ધરપકડ કરવામાં આવી છે.

    અહેવાલ અનુસાર, ચિન્મય દાસની ધરપકડ માટે કોર્ટના જજ એસએમ અલાઉદ્દીને સોમવારે (5 મે, 2025) આ આદેશ આપ્યો છે. ન્યાયાધીશે આદેશ આપ્યો છે કે, ચિન્મય કૃષ્ણ દાસને વકીલની હત્યાના આરોપીનો દરજ્જો આપવામાં આવે અને તેમને આ કેસમાં પણ ધરપકડ કરાયેલા બતાવવામાં આવે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ થયેલા પ્રદર્શનમાં આ વકીલનું મૃત્યુ થયું હતું.

    પોલીસે કોર્ટને વિનંતી કરી છે કે ચિન્મય કૃષ્ણ દાસને વધુ ૩ કેસમાં ધરપકડ કરાયેલા બતાવવાનો આદેશ આપવામાં આવે. આ અંગે સુનાવણી મંગળવારે (5 મે, 2025) થવાની છે. ચિન્મય કૃષ્ણ દાસની મુક્તિ માટે પ્રદર્શન કરનારા ઘણા હિંદુઓને પણ વકીલની હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. ચિન્મય કૃષ્ણ દાસના જામીન રદ કર્યા પછી તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે અગાઉ 30 એપ્રિલ, 2025ના રોજ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો.

    - Advertisement -

    હાઇકોર્ટે પોતાના આદેશમાં સંત ચિન્મય દાસને જામીન આપ્યા હતા. પરંતુ તેના એક દિવસ પછી સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે મૂકી દીધો હતો અને ચિન્મય કૃષ્ણ દાસનો જેલમાંથી બહાર આવવાનો રસ્તો બંધ કરી દીધો હતો. હવે તેમને વધુ કેસોમાં આરોપી બનાવવામાં આવ્યા છે, હવે તેમની મુક્તિની શક્યતાઓ પણ ઓછી થઈ ગઈ છે.

    શું છે સમગ્ર મામલો

    આ મામલો ઑક્ટોબર 2024નો છે. આ સમયે બાંગ્લાદેશના ચટગાંવમાં હિંદુઓએ એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનું નેતૃત્વ ચિન્મય કૃષ્ણ દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હજારો હિંદુઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શન હિંદુઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર સમક્ષ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

    સંત ચિન્યમ દાસની આ રેલીથી ઇસ્લામિક કટ્ટરપંથીઓ ગુસ્સે થયા હતા. આ આધારે, ફિરોઝ ખાન નામના વ્યક્તિએ ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકો સામે FIR નોંધાવી હતી. ફિરોઝ ખાને રાજદ્રોહ સાથે આરોપ લગાવ્યો હતો કે આ આંદોલન દ્વારા ચિન્મય કૃષ્ણ દાસ દેશમાં અશાંતિ ફેલાવવા માંગે છે. ત્યારથી તેમની વિરુદ્ધ આ કેસ ચાલી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં