Wednesday, May 14, 2025
More
    હોમપેજદેશગુજરાતમાં શરૂ થયું દેશનું સૌપ્રથમ મેગા ડિપોર્ટેશન: 300 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ખાસ...

    ગુજરાતમાં શરૂ થયું દેશનું સૌપ્રથમ મેગા ડિપોર્ટેશન: 300 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ખાસ વિમાનમાં મોકલાયા પરત, તબક્કાવાર થશે આગળની કાર્યવાહી

    જે દિવસે અમદાવાદ અને સુરતમાં બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા તે દિવસથી જ ડિપોર્ટેશન હાથ ધરાયું હતું. આખું ઑપરેશન ગુપ્ત રીતે રાજય સરકારની સૂચનાથી ખાસ ઓફિસરની દેખરેખમાં પાર પાડવામાં આવ્યું છે.

    - Advertisement -

    ગુજરાત પોલીસે (Gujarat Police) રાજ્યના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઑપરેશન હાથ ધરીને લગભગ 300 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને (Illegal Bangladeshi Infiltrators) ખાસ વિમાન દ્વારા તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલ્યા છે. આ મેગા ડિપોર્ટેશન (Mega Deportation) ગુજરાત પોલીસની કાર્યક્ષમતા, રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેની કડક કાર્યવાહીનું પ્રતીક બન્યું છે.

    નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ઘૂસણખોરો વિરુદ્ધ કડક એક્શનની શરૂઆત કરવામાં આવી હતી. આવા ઘૂસણખોરો રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેરકાયદે રહેતા હોવાની માહિતી પોલીસને મળી હતી. ગુજરાત પોલીસે આ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે એક વ્યાપક તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

    આ ઑપરેશન માટે ગુજરાત પોલીસે કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલય અને બાંગ્લાદેશની સરકાર સાથે સંકલન કર્યું હતું. ડિપોર્ટેશન પહેલાં, આ લોકોની ઓળખ, દસ્તાવેજો અને નાગરિકત્વની ચકાસણી કરવામાં આવી હતી, જેથી ખાતરી કરી શકાય કે તેઓ બાંગ્લાદેશના નાગરિકો છે. આ ઘૂસણખોરોને શોધવા અને ચકાસવામાં સમય અને સંસાધનોનો ભારે ઉપયોગ થયો, પરંતુ ગુજરાત પોલીસે આ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.

    - Advertisement -

    ગુજરાત સમાચારના અહેવાલ અનુસાર આ ઑપરેશનનમાં અમદાવાદમાંથી 800 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતાં. આ તમામની અટકાયત કરી તેમના દસ્તાવેજો તપાસતા સુરતના 134માંથી 90 વ્યક્તિએ અને અમદાવાદમાં 800માંથી 200 જેટલા લોકો ગેરકાયદે ઘૂસણખોરી કરવાનું સામે આવ્યું હતું. આ તમામને ગુપ્ત રીતે રાજ્ય સરકારે પોતાના વતન પરત મોકલી દીધા છે.

    આ અભિયાનમાં ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો સહયોગ મળ્યો હતો. ચોક્કસ માહિતીના આધારે, પોલીસે રાજ્યના વિવિધ ભાગોમાંથી આ લોકોને ઝડપી પાડ્યા. આ ઑપરેશનનું આયોજન એટલું ઝીણવટભર્યું હતું કે તેમાં કોઈ મોટી અડચણ વિના લગભગ 300 લોકોને એકસાથે ડિપોર્ટ કરવાનું શક્ય બન્યું.

    ખાસ વિમાન દ્વારા ડિપોર્ટેશન

    આ ઑપરેશનની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને એકસાથે ડિપોર્ટ કરવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિમાન દ્વારા 300 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને સુરક્ષિત રીતે બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા. આ પ્રક્રિયા દરમિયાન આંતરરાષ્ટ્રીય નિયમો, માનવાધિકારો અને બાંગ્લાદેશ સરકાર સાથેના દ્વિપક્ષીય કરારોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.

    અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસમાં ભરીને એસ્કોર્ટિંગ સાથે વડોદરા લઈ જવાયા હતાં અને ત્યારબાદ ત્યાંથી તેમને હવાઈ માર્ગે ડિપોર્ટ કરવામાં આવ્યા હતાં. અહેવાલ મુજબ અગરતલામાં એરક્રાફ્ટ ઉતારીને વાહનોમાં આ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોને છોડી મુકવામાં આવ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે બાંગ્લાદેશ મોકલાયેલા ઘૂસણખોરોનો આ પ્રથમ સ્લોટ છે. આ સિવાય પણ જે ઘૂસણખોરો મળી આવશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

    નોંધનીય છે કે જે દિવસે અમદાવાદ અને સુરતમાં બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા તે દિવસથી જ ડિપોર્ટેશન હાથ ધરાયું હતું. આખું ઑપરેશન ગુપ્ત રીતે રાજય સરકારની સૂચનાથી ખાસ ઓફિસરની દેખરેખમાં પાર પાડવામાં આવ્યું છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓને પોતાના વતન પાછા મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા દેશભરમાં પાર પાડવામાં આવેલું પ્રથમ ઑપરેશન છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં