Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતજૂનાગઢ હિંસા વખતે પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપીઓને પાઠ ભણાવનાર 32 પોલીસકર્મીઓને...

    જૂનાગઢ હિંસા વખતે પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપીઓને પાઠ ભણાવનાર 32 પોલીસકર્મીઓને હાઇકોર્ટની નોટિસ!: મુસ્લિમ સંગઠનોએ કરી હતી અરજી, 12 દિવસમાં જવાબ આપવા આદેશ

    મુસ્લિમ સમાજ સંગઠનો લોક અધિકાર સંઘ અને લઘુમતી સંકલન સમિતિએ જાહેર હિતની અરજી સાથે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં તેમના દ્વારા કહવાયું હતું કે જૂનાગઢ પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો તેમ જ કસ્ટડીમાં પણ તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ગત 16 જૂને જૂનાગઢમાં ગેરકાયદેસર બનેલા આઠ ઈસ્લામિક અતિક્રમણ હટાવવા માટે કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામા આવી હતી. જેમાં મજેવડી દરવાજા પાસેની ગેબનશા દરગાહને પણ નોટિસ મોકલવામાં આવી હતી. જેનાથી ઉશ્કેરાયેલ મુસ્લિમ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે વિડીયો પુરાવાઓના આધારે અમુક તોફાનીઓને પકડીને તેમની જાહેરમાં સરભરા કરી હતી. જેને લઈને ગુજરાત હાઇકોર્ટે 32 પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.

    અહેવાલો અનુસાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જૂનાગઢમાં પથ્થરમારાના બનાવમાં પકડાયેલ 6 આરોપી અને 4 સગીરને જાહેરમાં માર મારતા અને કસ્ટડીમાં અમાનવીય વ્યવહાર બદલ ડીવાયએસપી અને 3 પીઆઈ સહિત 32 પોલીસ કર્મચારી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કોર્ટે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને જવાબ રજૂ કરવા આદેશ કરી વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુલતવી રાખી છે.

    મુસ્લિમ સંગઠનોએ પોલીસ વિરુદ્ધ કરી હતી પિટિશન

    અહેવાલોની માનીએ તો મુસ્લિમ સમાજ સંગઠનો લોક અધિકાર સંઘ અને લઘુમતી સંકલન સમિતિએ જાહેર હિતની અરજી સાથે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં તેમના દ્વારા કહવાયું હતું કે જૂનાગઢ પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો તેમ જ કસ્ટડીમાં પણ તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    પિટિશનમાં જૂનાગઢમાં 16 જૂને નગરપાલિકા દ્વારા પાંચ ઈસ્લામિક અતિક્રમણને હટાવવા માટેની નોટિસો જાહેર કર્યા પછી હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ કેટલાક આરોપીની પોલીસ દ્વારા જાહેરમાં થયેલ મારપીટ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

    અરજી પર સંક્ષિપ્ત સુનાવણી બાદ કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચે સોમવારે અરજદારોને સરકારી વકીલને એક નકલ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આ બાબતને વધુ વિચારણા માટે 28 જૂન પર મુલતવી રાખ્યો હતો.

    અતિક્રમણ કરીને બનાવાયેલ દરગાહને નોટિસ મળતા મુસ્લિમ ટોળાએ શહેર બાનમાં લીધું હતું

    ગત મહિને જૂનાગઢના રસ્તાઓ પર નડતરરૂપ આઠ જેટલા ઈસ્લામિક અતિક્રમણો દૂર કરવા નોટિસ આપતા મામલો ઉગ્ર બન્યો હતો. મજેવાડી દરવાજા નજીક આવેલી ગેબનશા દરગાહને પણ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ મુદ્દાને લઈને દરગાહ પર મુસ્લિમોનાં ટોળાં એકઠા થયા હતા. જેમાં બેકાબૂ થયેલા કટ્ટરવાદી ટોળાં દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને ચાર વાહનોને આંગ ચાંપી દેવામાં આવી હતી.

    પોલીસ દ્વારા ટોળાને સમજાવવા જતાં ટોળાં દ્વારા પોલીસ પર જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ડીવાયએસપી ,ત્રણ મહિલા પીએસઆઈ સહિત પાંચ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા પાંચ ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા હતા. આ ભયંકર હિંસામાં એક નાગરિકનું મૃત્યુ પણ થયું હતું.

    સમગ્ર મામલાની જાણ એસપી, આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બાદ જૂનાગઢવાસીઓમાં ભયનો માહોલ પેદા થયો હતો. પથ્થરમારાના બનાવમાં પકડાયેલા 6 આરોપી અને 4 સગીરને પોલીસ દ્વારા જાહેરમાં માર મારી અને કસ્ટડીમાં લવાયા હતા.

    ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારતા હિંસક ટોળામાં ભય ઊભો થયો હતો અને જૂનાગઢ પંથકમાં તે બાદ જ શાંતિ જળવાઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં