Sunday, June 22, 2025
More
    હોમપેજદેશનોર્થઈસ્ટ ભારતમાં અદાણી ગ્રુપ કરશે ₹1 લાખ કરોડનું રોકાણ, ઇન્વેસ્ટર સમિટમાં ગૌતમ...

    નોર્થઈસ્ટ ભારતમાં અદાણી ગ્રુપ કરશે ₹1 લાખ કરોડનું રોકાણ, ઇન્વેસ્ટર સમિટમાં ગૌતમ અદાણીની જાહેરાત: કહ્યું- પીએમ મોદીના વિઝને કર્યો ઉત્તરપૂર્વનો કાયાકલ્પ

    માર્ચ 2025ની શરૂઆતમાં, અદાણી ગ્રુપે આસામમાં ₹50,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. હવે, આ સમિટમાં, અદાણીએ તે રકમ બમણી કરી દીધી છે, જેનાથી કુલ રોકાણ ₹1 લાખ કરોડ થયું છે.

    - Advertisement -

    દેશના મોટા બિઝનેસ ગ્રુપ અદાણી ગ્રુપ (Adani Group) પૂર્વોત્તર રાજ્યોમાં (northeast india) મોટું રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપે જાહેરાત કરી છે કે તે પૂર્વોત્તર રાજ્યોમાં ₹1 લાખ કરોડનું રોકાણ કરશે. અદાણી ગ્રુપ આગામી 10 વર્ષમાં આ રોકાણ કરવા જઈ રહ્યું છે. આ રોકાણ ઉત્તર પૂર્વના 7 રાજ્યોમાં સ્માર્ટ ઉર્જા, હાઇવે, ડિજિટલ કનેક્ટિવિટી અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે.

    આ રોકાણ યોજનાની જાહેરાત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ‘રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ’માં (Rising Northeast Investors Summit) કરી હતી. આ સમિટનું આયોજન ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં રોકાણ લાવવા માટે કરવામાં આવી રહ્યું છે. શુક્રવાર, 23 મે 2025ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમિટ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત થઈ રહી છે.

    રોકાણની જાહેરાત કરતા ગૌતમ અદાણીએ કહ્યું, “છેલ્લા દાયકામાં, ઉત્તરપૂર્વ ભારતની ટેકરીઓ અને ખીણોમાં ભારતના વિકાસમાં એક નવો અધ્યાય લખાયો છે – વિવિધતા, જોમ અને અનંત શક્યતાઓની આ ભૂમિ હવે આર્થિક અને વ્યૂહાત્મક પ્રગતિનું કેન્દ્ર બની ગઈ છે.”

    - Advertisement -

    ગૌતમ અદાણીએ કરી PM મોદીના વિઝનની પ્રશંસા

    ગૌતમ અદાણીએ પણ ઉત્તર-પૂર્વ ભારતના વિકાસ માટે પીએમ મોદીના વિઝનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનો ‘એક્ટ ઇસ્ટ, એક્ટ ફાસ્ટ, એક્ટ ફર્સ્ટ’નો મંત્ર આ પ્રદેશ માટે પાયાનો પથ્થર સાબિત થયો છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીની ઉત્તરપૂર્વ ભારતની 65 વ્યક્તિગત મુલાકાતોએ સફળતાનો એક અલગ અધ્યાય લખ્યો છે.

    પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોમાં ₹6.2 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને 16,000 કિમીનું રોડ નેટવર્ક બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, 18 એરપોર્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ગૌતમ અદાણીએ આને પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવ્યું છે.

    વર્ષની શરૂઆતમાં હતી ₹50,000 કરોડના રોકાણની યોજના, જે હવે બમણી કરી

    નોંધનીય છે કે માર્ચ 2025ની શરૂઆતમાં, અદાણી ગ્રુપે આસામમાં ₹50,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. હવે, આ સમિટમાં, અદાણીએ તે રકમ બમણી કરી દીધી છે, જેનાથી કુલ રોકાણ ₹1 લાખ કરોડ થયું છે.

    અદાણી ગ્રુપનું આ રોકાણ ગ્રીન એનર્જી, હાઇડ્રો અને પમ્પ્ડ સ્ટોરેજ, પાવર ટ્રાન્સમિશન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ મીટર, રોડ અને હાઇવે, લોજિસ્ટિક્સ, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

    અદાણી ગ્રુપે સ્પષ્ટ કર્યું છે કે આ રોકાણનું કેન્દ્રબિંદુ સ્થાનિક લોકો હશે. જૂથે કહ્યું છે કે આનાથી સ્થાનિક લોકોને રોજગાર, સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન અને સમુદાયની ભાગીદારીને પ્રાથમિકતા આપવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં