Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશિંદે - ફડણવીસની જોડીએ વિશ્વાસનો મત જીત્યો: વિશ્વાસ મત પહેલાં ઉદ્ધવની સેના...

    શિંદે – ફડણવીસની જોડીએ વિશ્વાસનો મત જીત્યો: વિશ્વાસ મત પહેલાં ઉદ્ધવની સેના વધુ તૂટી

    મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની જોડીએ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત આસાનીથી અને મોટા માર્જીનથી જીતી લીધો છે.

    - Advertisement -

    જેમ અટકળો લગાવવામાં આવી રહી હતી તેમ શિંદે-ફડણવીસની જોડી મહારાષ્ટ્રની વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી ચૂકી છે. ગઈકાલે સ્પિકર તરીકે ભાજપના રાહુલ નાર્વેકરની નિમણુંક થતાં જ ગૃહમાં આ જોડી પાસે પૂરતો બહુમત હોવાનું સાબિત થઇ જતાં આજનો વિશ્વાસનો મત ફક્ત ઔપચારિક જ હોવાનું જણાઈ આવ્યું હતું.

    ગઈકાલે શિંદે-ફડણવીસની જોડી સ્પિકરના ઈલેક્શનમાં 164 ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહી હતી જ્યારે મહા વિકાસ આઘાડીના ઉમેદવારને ફક્ત 104 મત જ મળ્યા હતા.

    આજે સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરુ થઇ હતી. સ્પિકર રાહુલ નાર્વેકરે ધ્વનિમત દ્વારા વિશ્વાસનો મત લેવાનું કહ્યું હતું પરંતુ વિપક્ષ દ્વારા આ પ્રસ્તાવનો વિરોધ થતાં, દરેક વિધાનસભ્યોના માથાં ગણવાની પ્રક્રિયા વિધાનસભાના સેક્રેટરીએટના સભ્યો દ્વારા શરુ થઇ હતી. આ દરમ્યાન શિંદે-ફડણવીસની જોડી કુલ 164 મત જીતવામાં સફળ થઇ હતી જ્યારે વિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં 99 મત પડ્યા હતા. મહા વિકાસ આઘાડીને અગાઉ સમર્થન આપનાર પક્ષોના 4 વિધાનસભ્યો તટસ્થ રહ્યા હતા.

    - Advertisement -

    પ્રસ્તાવ પસાર થતા મિલિન્દ નાર્વેકરે તેના પરિણામ જાહેર કર્યા હતા અને શિંદે સરકાર વિશ્વાસ ધરાવતી હોવાનું જાહેર કર્યું હતું.

    મહા વિકાસ આઘાડી સરકારના જેલમાં રહેલા પૂર્વ મંત્રીઓ નવાબ મલિક અને અનિલ દેશમુખ મતદાન સમયે હાજર રહ્યા ન હતા. વિશ્વાસનો મત લેવાય એ અગાઉ ઉદ્ધવ ઠાકરે જૂથના એક અન્ય વિધાનસભ્ય શ્યામસુંદર શિંદે છેલ્લી ઘડીએ શિંદે જૂથમાં જોડાઈ ગયા હતા.

    અગાઉ સ્પિકર રાહુલ નાર્વેકરે શિવસેનાના વિધાનસભા પક્ષના નેતા તરીકે ઉદ્ધવ જૂથ દ્વારા નીમવામાં આવેલા અજય તિવારીને તેમના પદેથી દૂર કરીને એકનાથ શિંદેને શિવસેનાના વિધાનસભા પક્ષના નેતા તરીકે માન્યતા આપી હતી.

    વિશ્વાસનો મત લેવાય એ અગાઉ શિવસેનાના ઉદ્ધવ જુથે ફરીથી સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને પોતાના જૂથના સભ્યો પર થયેલી કાર્યવાહી રોકવાની માંગ કરી હતી, પરંતુ સુપ્રિમ કોર્ટે આ બાબત પણ 11 જુલાઈએ થનાર સુનાવણી દરમ્યાન એકસાથે જ સાંભળવાનું કહીને તેને ફગાવી દીધી હતી.

    આ રીતે જ્યારે શિંદે-ફડણવીસની જોડીએ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લેતા લગભગ બે અઠવાડિયાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા સંકટનો લગભગ અંત આવી ગયો છે. હવે જે બાબત બાકી છે તે 11 જુલાઈએ સુપ્રિમ કોર્ટમાં કયા જૂથના સભ્યોનું સભ્યપદ રદ્દ કરવું તે અને એકનાથ શિંદે જૂથને સાચી શિવસેનાની માન્યતા ભારતનું ચૂંટણી પંચ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં