Saturday, April 27, 2024
More
    હોમપેજક્રાઈમદિલ્હીના ઉપરાજ્યપાલનો મોટો ખુલાસો: કેજરીવાલે એ કેસ 45 દિવસથી દબાવી રાખ્યો છે,...

    દિલ્હીના ઉપરાજ્યપાલનો મોટો ખુલાસો: કેજરીવાલે એ કેસ 45 દિવસથી દબાવી રાખ્યો છે, જેમાં પ્રોફેસર સલીમ શેખે મેડિકલ કોલેજની 13 વિદ્યાર્થિનીઓનું કર્યું છે યૌન શોષણ

    આરોપો બાદ આખરે 22 ફેબ્રુઆરી 2024ના રોજ આસિસ્ટન્ટ પ્રોફેસર સલીમ શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં 13 MBBS ગર્લ સ્ટુડન્ટ્સે સહી કરી હતી.

    - Advertisement -

    દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે કહ્યું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ યૌન શોષણના એક કેસમાં કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. એલજી ઓફિસે કહ્યું છે કે સીએમ કેજરીવાલે 14 ફેબ્રુઆરીથી રોહિણી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને હટાવવા સંબંધિત ફાઇલને રોકી રાખી છે. આ મેડિકલ કોલેજમાં 13 વિદ્યાર્થીનીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો.

    LG વિનય સક્સેનાની ઓફિસે ગુરુવારે (28 માર્ચ, 2024) એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “એક તરફ, દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર મેડિકલ કોલેજમાં કથિત જાતીય સતામણી અંગે સતત હંગામો મચાવી રહ્યા છે અને ત્યાંના પ્રિન્સિપાલને હટાવવાની માંગ કરી રહ્યા છે, બીજી બાજુ સીએમ કેજરીવાલે છેલ્લા 45 દિવસથી તે પ્રિન્સિપાલની ટ્રાન્સફરની ફાઇલ દબાવી રાખી છે.”

    એલજી ઓફિસે જણાવ્યું કે 20 માર્ચ, 2024ના રોજ સૌરભ ભારદ્વાજે એલજી વિનય સક્સેનાને પત્ર લખીને આ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ઇશ્વર સિંહને હટાવવાની માંગ કરી હતી. ભારદ્વાજે આરોપ લગાવ્યો હતો કે પ્રિન્સિપાલે પ્રોફેસર સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર વિદ્યાર્થિનીઓને સમર્થન આપ્યું નથી. પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓને મામલો દબાવવા અને તેને ન વધારવા માટે પણ કહ્યું હતું.

    - Advertisement -

    એલજી ઓફિસે જણાવ્યું છે કે સીએમ કેજરીવાલને માર્ચ મહિનામાં બે વખત ઇશ્વર સિંહની ફાઇલ પર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ફાઈલ 14 ફેબ્રુઆરી 2024થી સીએમ ઓફિસમાં લટકેલી છે. એલજી ઓફિસે કહ્યું કે સીએમ કેજરીવાલ કમિટીના અધ્યક્ષ છે જે આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરે છે પરંતુ તેઓ કાર્યવાહી નથી કરી રહ્યા.

    દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે આ મામલે કહ્યું કે જે ફાઇલમાં ઈશ્વર સિંહના નામનો ઉલ્લેખ છે, તેમાં 17 અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ સંબંધિત દસ્તાવેજો છે. આ એક રૂટીન ફાઈલ છે અને તેમાં યૌન શોષણનો કોઈ ઉલ્લેખ નથી.

    13 વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર સલીમ શેખ પર સતામણીનો લગાવ્યો હતો આરોપ

    નોંધનીય છે કે થોડા દિવસો પહેલા દિલ્હીના રોહિણી વિસ્તારમાં સ્થિત ડો બાબા ભીમરાવ આંબેડકર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં છેડતીનો મામલો સામે આવ્યો હતો. MBBS કોર્સ કરી રહેલી 13 વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર સલીમ શેખ પર શારીરિક શોષણ અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

    આ ઘટના 31 જાન્યુઆરી, 2024 ના રોજ બની હતી પરંતુ ધીમે ધીમે મામલો પ્રકાશમાં આવ્યો. આરોપ હતો કે સલીમ શેખે વાઇવા દરમિયાન વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી હતી. તે સમયે બે વિદ્યાર્થીનીઓએ સલીમ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બાદમાં અન્ય વિદ્યાર્થિનીઓ પણ આવી હતી અને સલીમ શેખે તેમની સાથે પણ છેડતી કરી હોવાનું જણાવ્યું હતું.

    આ આરોપો બાદ આખરે 22 ફેબ્રુઆરી 2024ના રોજ આસિસ્ટન્ટ પ્રોફેસર સલીમ શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં 13 MBBS ગર્લ સ્ટુડન્ટ્સે સહી કરી હતી. આ ઉપરાંત આ કેસમાં સલીમ શેખ સામે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. વિરોધીઓએ કહ્યું હતું કે- “અમે આ જગ્યાને સંદેશખાલી નહીં બનવા દઈએ.” પોલીસે સલીમ શેખની ધરપકડ કરી હતી.

    નોંધનીય છે કે સીએમ કેજરીવાલ હાલમાં તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. 21 માર્ચ 2024ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પોતાની ધરપકડ સામે અરજી કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં