Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલાલ કિલ્લાની રામલીલા, 'આદિ પુરુષ' પ્રભાસના હસ્તે રાવણ દહનઃ રાષ્ટ્રપતિ મુર્મુ અને...

    લાલ કિલ્લાની રામલીલા, ‘આદિ પુરુષ’ પ્રભાસના હસ્તે રાવણ દહનઃ રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીને પણ આમંત્રણ, કોરોનાના કારણે 2 વર્ષથી આ કાર્યક્રમ રદ્દ હતો

    લવ કુશ રામલીલાના ચેરમેન અર્જુન કુમારે કહ્યું હતું કે, “દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય નામ હોવા ઉપરાંત, પ્રભાસ એવા પ્રોજેક્ટ્સ કરી રહ્યો છે જેના મૂળ ભારતીય ઇતિહાસમાં ઉંડે સુધી વિસ્તરાયેલા છે. પ્રભાસે બાહુબલી ફિલ્મ કરી છે અને તે તેના આગામી પ્રોજેક્ટ આદિપુરુષમાં રામની ભૂમિકામાં પણ જોવા મળશે. તેથી, અમને લાગ્યું કે આ વર્ષે રાવણ દહન કરવા માટે તે શ્રેષ્ઠ વિકલ્પ છે.”

    - Advertisement -

    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસ લાલ કિલ્લામાં આયોજિત ઐતિહાસિક ‘લવ કુશ રામલીલા’ના દશેરા ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને રાવણ દહન કરશે. નોંધનીય છે કે છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કારણે આ વિશાળ આયોજન થઈ શક્યું નથી, આ વખતે રામલીલા અને રાવણ દહનમાં ઘણા સુપરસ્ટાર સામેલ થશે.પરંતુ આ વખતે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસ લાલ કિલ્લામાં રાવણ દહન કરેશે

    ઐતિહાસિક લવ કુશ રામલીલામાં રાવણ દહન માટે પ્રભાસની પસંદગી અંગે જણાવતા લવ કુશ રામલીલાના ચેરમેન અર્જુન કુમારે કહ્યું હતું કે, “દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય નામ હોવા ઉપરાંત, પ્રભાસ એવા પ્રોજેક્ટ્સ કરી રહ્યો છે જેના મૂળ ભારતીય ઇતિહાસમાં ઉંડે સુધી વિસ્તરાયેલા છે. પ્રભાસે બાહુબલી ફિલ્મ કરી છે અને તે તેના આગામી પ્રોજેક્ટ આદિપુરુષમાં રામની ભૂમિકામાં પણ જોવા મળશે. તેથી, અમને લાગ્યું કે આ વર્ષે રાવણ દહન કરવા માટે તે શ્રેષ્ઠ વિકલ્પ છે.”

    અર્જુન કુમારે એમ પણ કહ્યું હતું કે, “અમે પ્રભાસને આમંત્રણ આપવાનું બીજું કારણ છે તેની લોકપ્રિયતા. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ આજે ​​સમગ્ર ભારતમાં એટલી લોકપ્રિયતા મેળવી છે. તેમાં પ્રભાસ સૌથી આગળ છે. અમારે હજુ અન્ય સેલિબ્રિટીઝને આમંત્રિત કર્યા નથી, અમે ખૂબ જ ખુશ છીએ કે પ્રભાસ આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં આવીને તેઓ નવી પેઢી અને યુવાનોને આપણી સંસ્કૃતિ તરફ આકર્ષિત કરશે.”

    - Advertisement -

    અર્જુન કુમારે એમ પણ કહ્યું છે કે દશેરામાં કુલ ત્રણ પૂતળાં હશે. એક રાવણનું, એક કુંભકરણનું અને એક મેઘનાદનું. પ્રભાસ આ ત્રણેય પૂતળા બાળશે. તેમણે એમ પણ કહ્યું કે આ વર્ષે પૂતળા 100 ફૂટ ઉંચા હશે. લવ કુશ રામલીલા સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આમંત્રણ આપ્યું છે. જો કે, આ બંનેની હાજરીની પુષ્ટિ થવાની બાકી છે.

    નોંધપાત્ર રીતે, પ્રભાસ તેની આગામી ફિલ્મ આદિપુરુષના પ્રમોશનમાં વ્યસ્ત છે. આદિપુરુષ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે જે હિન્દુઓની શ્રદ્ધા અને પ્રેરણાનું મહાપ્રતીક છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત સોનલ ચૌહાણ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન મહત્વની ભૂમિકામાં છે.આ ફિલ્મનું નિર્માણ ટી-સીરીઝ ફિલ્મ્સ અને રેટ્રોફાઈલ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે એક જ સમયે હિન્દી અને તેલુગુ બંને ભાષામાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ ડબ અને રિલીઝ થશે.

    પૌરાણિક ઐતિહાસિક મહાકાવ્ય રામાયણ પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ રામની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે કૃતિ સેનન જાનકી (સીતા) અને સૈફ અલી ખાન લંકેશ (રાવણ)ના પાત્રમાં જોવા મળશે. આદિપુરુષ 12 જાન્યુઆરી, 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં એક સાથે રિલીઝ થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં