Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી હાઈકોર્ટ તરફથી AAP સરકારને આંચકો: ડોર સ્ટેપ રાશન ડિલિવરી સ્કીમ પર...

    દિલ્હી હાઈકોર્ટ તરફથી AAP સરકારને આંચકો: ડોર સ્ટેપ રાશન ડિલિવરી સ્કીમ પર પ્રતિબંધ, ડીલરોએ કર્યો હતો વિરોધ

    દિલ્હી સરકારની મહત્વાકાંક્ષી યોજના ડોર સ્ટેપ રાશન પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. આ યોજનાનો વિરોધ દિલ્હીની રેશનની દુકાનના માલિકો કરી રહ્યા હતા.

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ડોર સ્ટેપ રાશન ડિલિવરી કરવાની દિલ્હી સરકારની યોજનાને ફગાવી દીધી હતી. કાર્યવાહક ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની ડિવિઝન બેંચે આમ આદમી પાર્ટી (AAP) સરકારની મુખ્ય યોજના, મુખ્યમંત્રીની ઘર ઘર રાશન યોજનાને રદ કરવાનો આદેશ આપ્યો છે.

    મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ મહત્વાકાંક્ષી યોજનાને દિલ્હી સરકારના રાશન ડીલર્સ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ડીલર્સ યુનિયનની દલીલ હતી કે આ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટ, પીડીએસ નિયમો અને બંધારણના નિયમનું ઉલ્લંઘન છે. ડીલરોએ કોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં ડોર સ્ટેપ રાશન ડિલિવરી સ્કીમને સમાપ્ત કરવાની માંગ કરી હતી.

    ડીલર્સ એસોસિએશને અરજીમાં માગણી કરી હતી કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને કડકપણે એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવે કે PDS હેઠળ ખાદ્યાન્નનો પુરવઠો દિલ્હી સરકારને ફૂડ, સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે પણ અરજદારોની દલીલને સમર્થન આપ્યું હતું કે વાજબી ભાવની દુકાનો ખાદ્ય સુરક્ષા કાયદાનો અભિન્ન ભાગ છે. જે ડોર સ્ટેપ રાશન વિતરણ યોજના શરૂ થવાથી બરબાદ થઈ જશે.

    જો કે, દિલ્હી સરકારે આ યોજનાનો બચાવ કરતા કહ્યું હતું કે ડોર સ્ટેપ રાશન ડિલિવરી યોજના રાશનના વિતરણની લાંબી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારને કાબૂમાં રાખશે. રાજ્ય સરકારે આ મામલે કેન્દ્રને સવાલ કર્યો હતો કે જો રાજ્ય શૂન્ય કિંમતે રાશન આપવા તૈયાર છે અને નેવું ટકા લોકો ઈચ્છે છે તો કેન્દ્રને તેમાં કોઈ સમસ્યા કેમ છે.

    શું છે દિલ્હી સરકારની ડોર સ્ટેપ રાશન ડિલિવરી યોજના

    દિલ્હી સરકારની આ યોજના દ્વારા દિલ્હીના લોકોને ઘરે બેઠા રાશન આપવાની વાત કરવામાં આવી હતી. દિલ્હી સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે દિલ્હીના મોટાભાગના લોકોએ આ યોજનાને સમર્થન આપ્યું હતું. આ સાથે, આ યોજનામાં એક વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો કે સક્ષમ લોકો મફત રાશન વિતરણની યોજનામાંથી બહાર નીકળી શકે છે. દિલ્હીના ડીલરો પહેલાથી જ સરકારની આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં