Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ચોરી ઉપર સે સીના જોરી': કોંગ્રેસના ધારાસભ્ય એ મૃતક દંગાઈ માટે માગ્યા...

    ‘ચોરી ઉપર સે સીના જોરી’: કોંગ્રેસના ધારાસભ્ય એ મૃતક દંગાઈ માટે માગ્યા ₹50 લાખ માંગ્યા અને કહ્યું સરકારી નોકરી આપો

    કર્ણાટકના બેલાગવી જિલ્લામાં કિલા રોડ પર એક દરગાહ પાસે નૂપુર શર્માનું પૂતળું લટકાવવામાં આવ્યું હતું. ભાજપ અને હિન્દુત્વવાદી નેતાઓની ફરિયાદના આધારે પોલીસે આ પૂતળાને હટાવી દીધું હતું.

    - Advertisement -

    કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અન્સારીએ રાંચીમાં માર્યા ગયેલા તોફાનીઓ માટે ₹ 50 લાખ માંગ્યા હતા અને સરકાર પાસે માર્યા ગયેલા તોફાનીઓના પરિવારને સરકારી નોકરી આપવા કહ્યું હતું, કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અન્સારીએ પોલીસ કાર્યવાહી ઉપર સવાલ ઉભા કર્યા હતા.

    ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ટીવી ડિબેટમાં આપેલા જવાબ બાદ શુક્રવારે (10 જૂન 2022) ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થયા હતા. તેમાં દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, કર્ણાટક વગેરેનો શમાવેશ થાય છે.

    ઝારખંડની રાજધાની રાંચીમાં પોલીસ પર હુમલો થયો, જેના કારણે પોલીસે ગોળીબાર કર્યો અને તેમાં 2 તોફાનીઓ માર્યા ગયા. હિંસાને જોતા રાજધાનીના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી અને ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. અનેક જગ્યાએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ, વીડિયો વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    રાંચીમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા બે તોફાઓની ઓળખ મુદસ્સીર ઉર્ફે કૈફી અને મોહમ્મદ સાહિલ જણાવવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ પર પથ્થરમારો શરૂ થયો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી ત્યારે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. કેટલાક અહેવાલોમાં તોફાનીઓ તરફથી પણ ગોળીબાર થયો હોવાની વાત સામે આવી છે.

    ઝારખંડના જામતાડાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અંસારીએ તોફાનીઓને બદલે પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. ગોળીબાર માટે પોલીસની નિંદા કરતા, તેણે રાંચી એસપી સિટી પર કાર્યવાહી અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવાની માંગ કરી છે.

    તે જ સમયે, કર્ણાટકના બેલાગવી જિલ્લામાં કિલા રોડ પર એક દરગાહ પાસે નૂપુર શર્માનું પૂતળું લટકાવવામાં આવ્યું હતું. ભાજપ અને હિન્દુત્વવાદી નેતાઓની ફરિયાદના આધારે પોલીસે આ પૂતળાને હટાવી દીધું હતું. હિંદુ સંગઠનોએ આવું કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ડીસીપી બેલાગવીના જણાવ્યા અનુસાર, પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે.

    મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા. નવી મુંબઈ નજીક પનવેલમાં લગભગ 2,000 મહિલા પ્રદર્શનકારીઓએ નુપુર શર્માને ફાંસીની સજાની માંગ કરી હતી. મુંબઈના વાશી, શિવજી પાર્કમાં ભીડે નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવા જ દેખાવો થાણે, ઔરંગાબાદ, પુણે, સોલાપુર, નંદુરબાર, ભંડારા, ચંદ્રપુર અને લાતુરમાં પણ થયા હતા.

    પશ્ચિમ બંગાળના હાવડામાં નૂપુર શર્માના વિરોધમાં ઉગ્રવાદી પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કરી દીધો હતો. જેના કારણે નેશનલ હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. આ દરમિયાન રસ્તા પર ટાયરો મૂકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તેના પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રદર્શનકારીઓને દિલ્હી જઈને વિરોધ કરવા કહ્યું હતું.

    તે જ સમયે, લગભગ 1500 પ્રદર્શનકારીઓની ભીડ દિલ્હીની જામા મસ્જિદમાં પરવાનગી વિના એકઠી થઈ હતી. આ પછી પ્રદર્શનકારીઓએ હંગામો શરૂ કર્યો, પરંતુ પોલીસે લગભગ 15 મિનિટમાં પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી. પોલીસે પરવાનગી વગર ભેગા થવા બદલ કેસ નોંધ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં