Saturday, May 3, 2025
More
    હોમપેજરાજકારણએક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત,...

    એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું

    “આપણા દેશમાં બૉમ્બ પડે તો ખબર ન પડે? કહે કે અમે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી. ક્યાંય કશું થયું નથી. ક્યાંય સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી."

    - Advertisement -

    પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે, ઠેરઠેરથી સરકાર સમક્ષ પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહી છે, સેનાઓ પણ તૈયારી કરી રહી છે અને વિપક્ષ પણ આમ તો કહી રહ્યો છે કે તેઓ સરકારની સાથે છે, પણ મુખ્ય વિપક્ષ કોંગ્રેસના અમુક નેતાઓ અલગ જ બફાટ કરી રહ્યા છે. તાજા કિસ્સામાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સાંસદ ચરણજીત સિંઘ ચન્નીએ સર્જિકલ સ્ટ્રાઈક પર વિવાદિત વાત કહી દીધી અને વિવાદ થયો તો પછી ફેરવી તોળ્યું હતું. 

    કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બાદ એક પ્રેસ કૉન્ફરન્સમાં ચન્નીએ કહ્યું હતું કે, “પહલગામ હુમલાના 10 દિવસ થઈ ગયા છે, પણ સરકાર કોઈ ઠોસ કાર્યવાહી કરી રહી નથી. દેશ જોવા માંગે છે કે પાકિસ્તાન વિરુદ્ધ શું કાર્યવાહી થશે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર તુરંત પ્રતિક્રિયા આપે.”

    ત્યારબાદ તેમણે સર્જિકલ સ્ટ્રાઈક પર પ્રશ્નો કરતાં કહ્યું, “આપણા દેશમાં બૉમ્બ પડે તો ખબર ન પડે? કહે કે અમે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી. ક્યાંય કશું થયું નથી. ક્યાંય સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી. આજે દેશના લોકોના ઘા પર મલમ લગાવવાની જરૂર છે. અમે માંગ કરીએ છીએ કે દેશને જણાવવામાં આવે કે તેઓ કોણ લોકો હતા.”

    - Advertisement -

    વચ્ચે એક પત્રકાર તેમને પૂછે છે કે આજે પણ તમે સબૂત માંગો છો? તેના જવાબમાં તો કહે છે, હું તો હંમેશા માંગતો રહ્યો છું. 

    ચન્નીના આ નિવેદનથી વિવાદ સર્જાયો હતો. ભાજપે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, કોંગ્રેસ હવે પાકિસ્તાન પરસ્ત પાર્ટી બની ચૂકી છે. કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા કહે છે કે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થવી જોઈએ. રોબર્ટ વાડ્રા અને અન્ય કોંગ્રેસ નેતાઓ પાકિસ્તાનને ક્લીન ચિટ આપીને હિંદુત્વ પર દોષ નાખી ચૂક્યા છે. જ્યારે દેશ આખો સેનાની સાથે ઊભો છે ત્યારે કોંગ્રેસ સેનાનું મનોબળ ઘટાડવાનાં કામ કરી રહી છે.”

    બીજી તરફ વિવાદ જોઈને ચરણજીત સિંઘ ચન્નીએ ફેરવી તોળ્યું અને કહ્યું કે તેમણે ક્યારેય સર્જિકલ સ્ટ્રાઈકના સબૂત માંગ્યા નથી. સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ દુઃખની ઘડીમાં દેશ અને સરકાર સાથે છે અને સરકાર જે કોઈ કાર્યવાહી કરશે તેમાં સરકાર સાથે હશે. 

    તેમણે કહ્યું કે, અમે તો માત્ર ઇચ્છીએ છીએ કે સરકાર કાર્યવાહી કરે અને અમે તેમાં તેમની સાથે છીએ. સર્જિકલ સ્ટ્રાઇકની વાત આજે છે જ નહીં. ન તેના સબૂત માંગવામાં આવે છે, ન હું સબૂત માગી રહ્યો છું. હું નથી માંગી રહ્યો. હું માત્ર એટલું કહી રહ્યો છું કે વાતને અહીંતહીં ફેરવવામાં ન આવે. સરકાર ન્યાય અપાવે, અમે તેમની સાથે છીએ.” જોકે પ્રેસ કૉન્ફરન્સમાં તેઓ સ્વીકારી ચૂક્યા હતા કે પોતે સબૂત માંગી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં