Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક વિધાનસભા ચૂંટણી: ભાજપ સોનિયા ગાંધી વિરુદ્ધ ઇલેક્શન કમિશન પાસે પહોચ્યું, 'સાર્વભૌમત્વ'...

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી: ભાજપ સોનિયા ગાંધી વિરુદ્ધ ઇલેક્શન કમિશન પાસે પહોચ્યું, ‘સાર્વભૌમત્વ’ ટિપ્પણી પર કાર્યવાહીની માંગ કરી

    કોંગ્રેસે સોનિયાના ચૂંટણી ભાષણનો ઉલ્લેખ કરતા ટ્વીટ કર્યું, "કોંગ્રેસ કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ અથવા અખંડિતતા માટે જોખમ ઊભું કરવા દેશે નહીં".

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીએ સોમવારે ‘કર્ણાટકના સાર્વભૌમત્વ’ પર કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી, જેણે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારે રાજકીય વાવાઝોડું ઉભું કર્યું છે.

    બીજેપીનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રીય રાજધાનીમાં ચૂંટણીપંચના કાર્યાલયમાં ગયું હતું. “તેમણે (સોનિયા ગાંધી) જાણીજોઈને સાર્વભૌમત્વ શબ્દનો ઉપયોગ કર્યો. કોંગ્રેસનો ઢંઢેરો એ ‘ટુકડે-ટુકડે’ ગેંગનો એજન્ડા છે અને તેથી તેઓ આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે EC આ રાષ્ટ્ર વિરોધી કૃત્ય સામે પગલાં લેશે”, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પત્રકારોને જણાવ્યું હતું.

    કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર પ્રહારો કર્યા હતા, “આજે અમે સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. તેમણે હુબલીમાં ભાષણ આપ્યું હતું જેમાં તેમણે કર્ણાટકના સાર્વભૌમત્વની વાત કરી હતી. અમે દેશ માટે સાર્વભૌમત્વનો ઉપયોગ કરીએ છીએ. ‘ટુકડે-ટુકડે’ ગેંગનું નેતૃત્વ કરી રહી છે. અમે માંગ કરી હતી કે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવે.”

    - Advertisement -

    “આ કર્ણાટકના સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે, જેમણે ભારતની આઝાદી માટે લડત ચલાવી હતી. તે કરોડો દેશભક્ત કન્નડીગાઓનું અપમાન છે, જેઓ ભારતની શપથ લે છે અને તેમની ભારતીયતાની કદર કરે છે,” કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રીએ કહ્યું.

    શનિવારે સોનિયા ગાંધીએ કર્ણાટકના હુબ્બલી જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું, “CPP અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીજી 6.5 કરોડ કન્નડિયોને સખત સંદેશ મોકલે છે, ‘કોંગ્રેસ કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ અથવા અખંડિતતા માટે જોખમ ઊભું કરવાની મંજૂરી આપશે નહીં.'”

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ આ ટિપ્પણીને લઈને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા રાજકીય તોફાન ફાટી નીકળ્યું હતું. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આ ટિપ્પણી મહત્વની ગણવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં