પશ્ચિમ બંગાળમાં (West Bengal) અરાજકતાની સ્થિત છે. મુસ્લિમ ટોળાં વક્ફના નામે ઉત્પાત મચાવી રહ્યા છે અને મમતા સરકાર નરસંહાર પર મુકદર્શન બનીને બેસી રહી છે. જોકે, તેણે કાયદા અમલીકરણ અધિકારીઓને પોતાની પ્રોપગેન્ડા મશીનરી (Propaganda machinery) તરીકે સામેલ કરી લીધા છે. હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં (Murshidabad) હિંદુઓની રક્ષા કરવામાં, તેમના ઘરો-સંપત્તિઓને બચાવવામાં અને પીડિત હિંદુઓને પલાયન કરતા રોકવામાં નિષ્ફળ રહેલી બંગાળ પોલીસ (Police) હવે TMCના ‘મુખપત્ર’ તરીકે કામ કરી રહી છે.
રવિવારે (20 એપ્રિલ) બંગાળ પોલીસે પોતાના X હેન્ડલ પર મુખ્યમંત્રી દ્વારા હસ્તાક્ષર કરાયેલી એક ‘શાંતિ અપીલ’ પોસ્ટ કરી છે. 4 પાનાંની આ શાંતિ અપીલ રાજકારણ પ્રેરિત હતી અને સીધી રીતે વિપક્ષી ભાજપને ટાર્ગેટ કરવા માટે હતી. તેમ છતાં બંગાળ પોલીસે તેને પોસ્ટ કરી છે. અંગ્રેજી અને બંગાળી ભાષામાં પોલીસે પોસ્ટ કરેલી આ ‘શાંતિ અપીલ’માં ભાજપ અને RSS પર ‘આક્રમક’ હોવાનો અને રાજ્યમાં કથિત રીતે ‘ખોટા અભિયાનો’ ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
— West Bengal Police (@WBPolice) April 20, 2025
કથિત શાંતિ અપીલમાં દાવો કરવામાં આવ્યો છે કે, “આ તાકતો ઉશ્કેરણી પર બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાન પૃષ્ઠભૂમિનો ઉપયોગ કરી છે. તે આ પૃષ્ઠભૂમિનો ઉપયોગ વિભાજનકારી રાજકારણ ખેલવા માટે કરી રહી છે. તેઓ ‘ભાગલા પાડો અને રાજ કરો’નો ખેલ ખેલવાની યોજના બનાવી રહ્યા છે. આ ખરેખર ભયાનક બાબત છે.” મમતા બેનર્જીએ પાયાવિહોણા આરોપ લગાવ્યા કે, ભાજપ અને RSS રામનવમી દરમિયાન ‘આગથી ખેલવા’ માંગતા હતા. બેનર્જીએ નવા વક્ફ કાયદાના વિરોધના નામે પોતાની મુસ્લિમ વોટબેન્ક દ્વારા આચરવામાં આવેલી હિંસાથી ધ્યાન ભટકાવવાના પ્રયાસો પણ કર્યાં છે.
તેમણે એવું પણ કહ્યું કે, “ભાજપ અને તેમના સહયોગીઓ પોતાના તથાકથિત રાજકીય એજન્ડાના નામ પર આપણાં સનાતન હિંદુ ધર્મને બદનામ કરી રહ્યા છે.” મમતા બેનર્જીએ ભરી-ભરીને જુઠ્ઠા આરોપો લગાવ્યા છે અને તેમ છતાં પશ્ચિમ બંગાળ પોલીસ આવા જૂઠને પ્રોત્સાહન આપતા પોતાને રોકી શકી નહીં. મમતા બેનર્જીએ અન્ય ભાજપશાસિત રાજ્યો વિશે પણ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપ જે વાત કરે છે તે જુઠ્ઠાણું છે અને ખોટા નિવેદનો પર આધારિત છે. ભાજપની વાતો પર ભરોસો ન કરવો જોઈએ. તેમણે કહ્યું, તેઓ હિંસા ભડકાવવા માંગે છે.
— West Bengal Police (@WBPolice) April 20, 2025
તેમણે મુર્શિદાબાદમાં મુસ્લિમ ટોળાંની ભૂમિકાને ઓછી આંકવા માટે સેક્યુલર ટિપ્પણીઓ કરી હતી. તેમણે પોતાની તુષ્ટિકરણની રાજનીતિ જારી રાખી અને કહ્યું કે, “કૃપા કરીને એ યાદ રાખો કે, હિંસા ન તો હિંદુઓ ભડકાવે છે અને ન તો મુસ્લિમો. રમખાણો તો ગુનેગારો દ્વારા કરાવવામાં આવે છે.” તેમણે હિંદુઓને ‘બંગાળી વિરુદ્ધ બાહરી’ તરીકે વિભાજિત કરવાની તેમની નીતિ હેઠળ આરોપ લગાવ્યો કે, “રમખાણોને જન્મ આપનારા હંમેશા બહારથી આવે છે અને પછી ચાલ્યા જાય છે.”
તેમણે કહ્યું કે, “આવા બાહરી લોકો પર ભરોસો ન કરો કે જે આવે છે, સાંપ્રદાયિક તણાવ ઊભો કરે છે અને પોતાના સંકીર્ણ રાજકીય લાભો માટે રમખાણો પેદા કરે છે.” જોકે, હકીકત એ છે જે મુર્શિદાબાદના સ્થાનિકોએ જણાવી છે. પીડિતોના નિવેદનોથી જાણવા મળે છે કે, હિંસા ભડકાવનારા ‘કોઈ બાહરી લોકો’ નહોતા, પરંતુ સ્થાનિક મુસ્લિમો જ હતા. મુખ્યમંત્રી દ્વારા ફેલાવવામાં આવેલી આ માહિતી જુઠ્ઠી હોવા છતાં પોલીસે પોતાના આધિકારિક X હેન્ડલ પર ‘શાંતિ અપીલ’ પોસ્ટ કરી છે.
નિષ્કર્ષ
જોકે, રાજકીય દળો માટે આરોપ-પ્રત્યારોપ લગાવવા અને રાજકીય લાભ મેળવવા એકદમ સામાન્ય બાબત છે. પરંતુ પશ્ચિમ બંગાળ પોલીસ (જેણે નિષ્પક્ષતાથી કામ કરવાનું હોય છે) દ્વારા રાજ્યના એક મુખ્ય વિપક્ષી દળને ટાર્ગેટ કરવું ખૂબ આશ્ચર્યની બાબત ગણાય છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, કઈ રીતે તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની અનેક સંસ્થાઓ પર પોતાનો કબજો જમાવી દીધો છે. તેના કારણે રાજકીય નિર્દેશો વગર કામ કરવું પણ અશક્ય બની ગયું છે.