Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'નારા એ તકબીર, અલ્લાહુ અકબર'ના નારા સાથે ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનું મૌલાનાનું...

    ‘નારા એ તકબીર, અલ્લાહુ અકબર’ના નારા સાથે ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનું મૌલાનાનું આહવાન: બાંગ્લાદેશમાં હિંદુવિરોધ માટે કુખ્યાત છે મૌલાના

    મૌલાના ઇનાયતુલ્લાહ અબ્બાસી બાંગ્લાદેશમાં હિંદુ અને ભારત વિરોધી નિવેદનો માટે કુખ્યાત છે.

    - Advertisement -

    પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ બન્ને હિંદુઓ માટે નર્ક સમાન માનવામાં આવે છે, ત્યાં લઘુમતી સમાજ પર ધાર્મિક અત્યાચાર કોઈ નવી વાત નથી. હિંદુ મહિલાઓ પર બલાત્કાર હોય કે પછી હિંદુ પુરુષોની હત્યા. ત્યાં બેઠેલા કેટલાક કટ્ટર મૌલાનાઓ દ્વારા આવા કૃત્યો માટે ઉશ્કેરવામાં આવે છે. આવો જ નફરત ફેલાવતો એક વિડીઓ હાલમાં સોશિયલ મડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ભારતને ઇસ્લામિક દેશ બનવવાનું આહ્વાન કરી રહ્યો છે.

    મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશના એક મૌલાનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ મૌલાનાનું નામ ઇનાયતુલ્લાહ અબ્બાસી (Enayetullah Abbasi) જણાવવામાં આવી રહ્યું છે. જાણકારોનું માનીએ તો આ મૌલાના હમેશાથી બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓના વિરોધમાં નફરત ફેલાવતો આવ્યો છે. હાલમાં જે વિડીયો વાયરલ થયો છે જેમાં તે બાંગ્લાદેશી મુસ્લિમોને દિલ્લીમાં ઇસ્લામિક ઝંડો લહેરાવવાનું કહી રહ્યો છે. પોતાના કર્કશ અને આક્રમક અવાજમાં બાંગલાદેશની સેનાએ તમામ પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ તેવું પણ કહી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ તેને બાંગ્લાદેશના દરેક મદ્રેસાને હથિયારોથી સજ્જ કરી દેવા જોઈએ જેથી કો આક્રમણ કરી જ ન શકે. 

    મૌલાના બાંગ્લાદેશમાં ઇસ્લામિક સ્કોલર તરીકે ઓળખવામાં આવે છે. ભારતને ધમકી આપવા પહેલા તેણે મ્યાનમારને ઈચ્છે ત્યારે બાંગ્લાદેશના મુસ્લિમો કબજે કરી શકે છે તેવી હેકડી મારી હતી. આ વિડીઓ Voice Of Bangladeshi Hindus નામના ટ્વીટર હેન્ડલ પરથી તારીખ 23 માર્ચ 2023ના રોજ ટ્વીટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને લખ્યું હતું કે “આ મૌલાના બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી તરીકે કુખ્યાત છે, જે કહી રહ્યો છે કે દિલ્લીમાં ઇસ્લામિક ઝંડો ફહેરાવવામાં આવશે.” 

    - Advertisement -

    આ જ વિડીયો Pkistan Untold નામના ટ્વીટર પરથી ગત રોજ ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું છે કે “આ જુઓ પાકિસ્તાન બાદ આ બાંગ્લાદેશનો મૌલાના ગજવા એ હિન્દની વાત કરી રહ્યો છે.”

    આ મૌલનાની સ્પીચ પૂરી થયા બાદ અલ્લાહુ અકબરના નારા પણ લાગી રહ્યા છે. આ પહેલીવાર નથી કે કોઈ મૌલાના કે નેતાએ હિંદુઓ અને ભારત વિરોધમાં ઝેર ફેલાવ્યું હોય, થોડા સમય પૂર્વે જ બાંગ્લાદેશના વિપક્ષના નેતા તરીકે હિંદુ ગ્રંથો વિષે પણ અશ્લીલ ટીપ્પણી કરી હતી. આટલું જ નહીં પરંતુ રોહીન્ગ્યાઓને હથિયાર પકડાવવાની વાત કરી હતી. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ દિનપ્રતિદિન વિકટ બનતી જાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં