Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ'રસ્તા પર નમાજ અદા કરશો તો થશે FIR': યુપી પોલીસે બકરીદ પહેલા...

    ‘રસ્તા પર નમાજ અદા કરશો તો થશે FIR’: યુપી પોલીસે બકરીદ પહેલા મસ્જિદો પર નોટિસ ચોંટાડી, લાઉડસ્પીકર દ્વારા પણ જાહેરાત કરી; એમપીના ભોપાલમાં પણ સૂચના અપાઈ

    મેરઠમાં હિંદુવાદી નેતા સચિન સિરોહીએ જાહેરાત કરી છે કે જો બકરીદના દિવસે રસ્તા પર નમાજ પઢવામાં આવશે તો તેઓ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરીને રસ્તા પર હિંદુત્વવાદી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. જેને જોતા વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે.

    - Advertisement -

    રસ્તા પર નમાજ અદા કરવાથી સામાન્ય લોકોને તો ઘણી તકલીફ પડે છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા માટે પણ પડકાર ઊભો થાય છે. હવે, બકરીદના તહેવારને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં પોલીસ પ્રશાસને મુસ્લિમોને ચેતવણી આપી છે કે તેઓ રસ્તા પર નમાજ ન પઢે. પ્રશાસન રસ્તા પર ઈદની નમાજ અદા કરનારાઓ સામે કેસ નોંધશે.

    ઉત્તર પ્રદેશમાં ઈદ-ઉલ-અઝહાને ધ્યાનમાં રાખીને પોલીસે બુધવારે (28 જૂન, 2023) મેરઠની તમામ મસ્જિદો પર પ્રશાસનનો આદેશ ચોંટાડ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો ઈદગાહ કે મસ્જિદોની બહાર નમાજ પઢવામાં આવશે તો સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક રિપોર્ટ દાખલ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    આ અંગે મસ્જિદોના મૌલવીઓનું કહેવું છે કે તમામ લોકોને સરકારના આદેશની જાણ કરી દેવામાં આવી છે. તેઓએ તેનું પાલન કરવું જોઈએ. તે જ સમયે, મેરઠ શહેરની વિવિધ મસ્જિદોના મૌલવીઓ, શહેરના કાઝી અને અન્ય મુસ્લિમ ધાર્મિક નેતાઓએ લોકોને સરકારના આદેશોનું પાલન કરવા કહ્યું છે.

    - Advertisement -

    અગાઉ દેવબંદ સ્થિત દારુલ ઉલૂમ મદરેસાએ પણ મુસ્લિમોને અપીલ કરી હતી કે, “અમારા વડીલોએ હંમેશા પ્રતિબંધિત પ્રાણીઓના બલિદાનની મનાઈ ફરમાવી છે. એટલા માટે દરેક મુસ્લિમે આનું ધ્યાન રાખવું જોઈએ અને પ્રતિબંધિત પ્રાણીઓના બલિદાનથી દૂર રહેવું જોઈએ.” તેમજ ખુલ્લામાં અને રસ્તા પર નમાજ ન કરવા જણાવ્યું હતું.

    તે જ સમયે, પ્રશાસને યુપીના અમેઠીમાં પણ આવી જ ચેતવણી આપી છે. પ્રશાસને મુસ્લિમ ધર્મગુરુઓને સ્પષ્ટપણે કહ્યું છે કે પ્રતિબંધિત પ્રાણીઓ એટલે કે ઢોરની કોઈ પણ કિંમતે બલિદાન ન આપવું જોઈએ. આ સાથે બહાર અથવા જાહેર સ્થળોએ બલિ ચઢાવવાની મનાઈ કરવામાં આવી છે.

    અમેઠી પોલીસ લાઉડ સ્પીકર દ્વારા મુસ્લિમ સમુદાયના લોકોને અને મૌલવીઓને અપીલ કરી રહી છે કે કોઈ પણ સંજોગોમાં જાહેર સ્થળોએ નમાજ ન પઢવામાં આવે. નમાજ મસ્જિદ અથવા કોઈપણ કમ્પાઉન્ડમાં પઢવા માટે કહેવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેઠી પોલીસને એક કંપની PAC અને 100 રિક્રુટ SI આપવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે મેરઠમાં હિંદુવાદી નેતા સચિન સિરોહીએ જાહેરાત કરી છે કે જો બકરીદના દિવસે રસ્તા પર નમાજ પઢવામાં આવશે તો તેઓ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરીને રસ્તા પર હિંદુત્વવાદી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. જેને જોતા વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે. ગુરુવારે (29 જાન્યુઆરી 2023) દેશભરમાં બકરીદની ઉજવણી કરવામાં આવનાર છે.

    મધ્ય પ્રદેશમાં પણ અપાઈ છે સૂચના

    તે જ સમયે, ભોપાલમાં રસ્તા પર નમાજ ન પઢવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બલિદાનનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવો જોઈએ. મધ્ય પ્રદેશ વક્ફ બોર્ડે આ અંગે એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે રસ્તા પર બિનજરૂરી રીતે નમાજ ન પઢવામાં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં