Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ10.78 લાખનાં કમોડ, 91 લાખનાં શાવર ટૂલ્સ: કેજરીવાલના ઘરમાં ટોયલેટ-બાથરૂમ પાછળ ખર્ચાયા...

    10.78 લાખનાં કમોડ, 91 લાખનાં શાવર ટૂલ્સ: કેજરીવાલના ઘરમાં ટોયલેટ-બાથરૂમ પાછળ ખર્ચાયા દોઢ કરોડ, AAPએ કહ્યું- PM મોદી સામે પ્રદર્શન કરીશું

    અરવિંદ કેજરીવાલના ઘરે 15 જેટલાં ટોયલેટ-બાથરૂમ બનાવવામાં આવ્યાં છે અને આ દરેકને બનાવવા પાછળ 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલે કોરોનાના સમયમાં પોતાના નિવાસસ્થાનનું રિનોવેશન કરવા માટે 44 કરોડનો ખર્ચ કર્યો હોવાની વિગતો સામે આવ્યા બાદ આ મુદ્દો ચર્ચામાં છે. હવે એક તાજા રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેજરીવાલના ઘરમાં 1.45 કરોડ માત્ર ટોયલેટ-બાથરૂમ બનાવવા માટે ખર્ચવામાં આવ્યા હતા. 

    ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરીવાલના ઘરમાં 15 જેટલાં ટોયલેટ-બાથરૂમ બનાવવામાં આવ્યાં છે અને આ દરેકને બનાવવા પાછળ 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાંથી 10.78 લાખ રૂપિયા સેનિટરી ઈન્સ્ટોલેશન (કમોડ) માટે, 91 લાખ સ્પેશિયલ શાવર ટૂલ્સ માટે, હોટ વોટર જનરેટર માટે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

    જેથી રિપોર્ટ્સ અનુસાર કેજરીવાલે દોઢ કરોડ રૂપિયા માત્ર બાથરૂમ બનાવવા પાછળ ખર્ચી નાંખ્યા હતા. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ બાથરૂમમાં લગાવવામાં આવેલાં ટોયલેટ્સ એકદમ હાઈટેક છે અને રિમોટ કન્ટ્રોલથી પણ ચાલે છે. 

    - Advertisement -

    રિપોર્ટ્સમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ રિનોવેશન માટે પહેલી વખત 7.92 કરોડ, બીજી વખત 1.64 કરોડ, ત્રીજી વખત 8.17 કરોડ અને પાંચમી વખત 9.34 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. દર વખતે રકમ 10 કરોડ રૂપિયાથી ઓછી હતી જેના કારણે ટેન્ડર બહાર પાડવાની જરૂર જ પડી ન હતી. 

    કેજરીવાલના આ 44 કરોડના રિનોવેશનનો ભાંડો ફૂટ્યા બાદ આમ આદમી પાર્ટી પર માછલાં ધોવાઈ રહ્યાં છે અને ભાજપ સતત પ્રહારો કરી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આજે મૌન તોડ્યું હતું અને સ્પષ્ટતા કરવાની જગ્યાએ દર વખતની આદત અનુસાર પીએમ મોદી પર હુમલો કર્યો હતો. 

    આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી હતી કે તેઓ જનતાના પૈસાનો વેડફાડ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રદર્શન કરશે! પ્રેસ કોન્ફરન્સમાં દૂધ, ગેસ, પેટ્રોલ-ડિઝલ, સિલિન્ડર વગેરેના ભાવો વધી ગયા હોવાનું જણાવીને દાવો કર્યો કે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. એવો પણ દાવો કર્યો કે પીએમ મોદીએ આ મોંઘવારી વધારીને એકઠો કરેલો પૈસો પોતાના એશોઆરામમાં લગાવી દીધો જેથી તેઓ તેમની સામે પ્રદર્શન કરશે. 

    રાઘવ ચઢ્ઢાના દાવા અનુસાર, પીએમ મોદીએ નવું આવાસ બનાવવા, એર પ્લેન માટે, વિદેશી યાત્રાઓ અને નિવાસસ્થાનના રિનોવેશન માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હોવાના કારણે તેઓ તેમની સામે વિરોધ પ્રદર્શન કરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં