Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'કાટ ડાલો સાલોં કો': તેલંગાણામાં ઇસ્લામવાદીઓએ RSS સ્વયંસેવકોની હત્યા કરવા માટે સૂત્રોચ્ચાર...

    ‘કાટ ડાલો સાલોં કો’: તેલંગાણામાં ઇસ્લામવાદીઓએ RSS સ્વયંસેવકોની હત્યા કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા, માત્ર એક કલીમ ઉદ્દીનની ધરપકડ

    વિરોધ રેલી દરમિયાન જે અન્ય સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા તેમાંથી એક વિડિયોમાં સંભળાય છે તે હતું “બોલો બોલો ક્યા ચાહિયે, ગુસ્તાખ-એ-નબી કા સર ચાહિયે” (આપણે શું જોઈએ છે? નિંદા કરનારનું માથું).

    - Advertisement -

    24 ઓગસ્ટના રોજ, તેલંગાણા પોલીસે ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહ સામેની રેલી દરમિયાન ‘RSS સ્વયંસેવકોના માથા કાપો’ અને બીજા તેની હત્યા માટે બોલાવતા સૂત્રોચ્ચાર કરવા બદલ કલીમ ઉદ્દીન નામના ઇસ્લામિક કટ્ટરપંથીની ધરપકડ કરી હતી. નાલગોંડાના પોલીસ અધિક્ષક (SP) રેમા રાજેશ્વરીએ જણાવ્યું હતું કે તેની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153, 295(A) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

    કલીમ ઉદ્દીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો જ્યાં ઇસ્લામવાદીઓનું એક જૂથ પ્રોફેટ મુહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે ટી રાજા સિંહ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું. વીડિયોમાં, આરોપી “કાટ ડાલો સાલોં કો” ના નારા લગાવતો જોવા મળ્યો હતો, જેના પર ભીડે કહ્યું, “RSS વાલોં કો” (સૂત્રનો અનુવાદ ‘RSS સ્વયંસેવકોના માથા કાપો’).

    વિરોધ રેલી દરમિયાન જે અન્ય સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા તે વિડિયોમાં સંભળાય છે તે હતું “બોલો બોલો ક્યા ચાહિયે, ગુસ્તાખ-એ-નબી કા સર ચાહિયે” (તેનો અનુવાદ થાય છે “આપણે શું જોઈએ છે? નિંદા કરનારનું માથું”).

    - Advertisement -

    ટાઇગર રાજા સિંહ વિવાદ

    ટાઇગર રાજા સિંહની તાજેતરમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પ્રોફેટ મુહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે ધરપકડ કરવામાં આવી હતી. જેના પગલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તે અંગે દસ દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.

    તેમણે અમુક પ્રથાઓની ટીકા કરતો વિડિયો પ્રકાશિત કર્યો હતો, જેને ઈસ્લામવાદીઓ દ્વારા ‘પયગમ્બરની નિંદા’ તરીકે જોવામાં આવ્યો હતો. એઆઈએમઆઈએમના ભૂતપૂર્વ આઈટી સેલના વડા અને સોશિયલ મીડિયા પ્રભાવક સૈયદ અબ્દાહુ કશાફે તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ટી રાજા વિરુદ્ધ ‘સર તન સે જુડા‘ (માથું કાપી નાખવાનું) કૉલ ઉઠાવ્યું હતું. પ્રતિક્રિયા બાદ, વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. જો કે, હવે ટી રાજાએ ધમકી આપી છે કે તે વિડિયોનો બીજો ભાગ કથિત રીતે સમાન ટિપ્પણી સાથે પ્રકાશિત કરશે.

    ટી રાજા વિરુદ્ધ ડબીરપુરા અને મંગલહાટમાં અનેક કેસ નોંધાયા હતા. એક નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે, “અમને તેની વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો મળી રહી છે. તમામ કેસો ક્લબ કરવામાં આવશે.”

    પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી હોવા છતાં કોર્ટે તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં, ટી રાજાએ કહ્યું કે કે તેઓ પીએમ મોદી માટે વફાદાર પાયાના સૈનિક તો રહેશે જ, પરંતુ તેમના માટે પાર્ટી કરતાં ધર્મનું રક્ષણ કરવું વધુ મહત્વનું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં