Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ10 ખટારામાં 150 પશુઓ!: પાલનપુરના ચિત્રાસણી પાસેથી પશુપ્રેમીઓએ ઈદ પહેલા કતલખાને લઇ...

    10 ખટારામાં 150 પશુઓ!: પાલનપુરના ચિત્રાસણી પાસેથી પશુપ્રેમીઓએ ઈદ પહેલા કતલખાને લઇ જવાતા પશુઓને બચાવ્યા, ટ્રકચાલકોએ હુમલો પણ કર્યો

    નોંધનીય છે કે રમઝાન દરમિયાન અને ઈદ આસપાસ આ રીતે પશુઓની અવૈધ તસ્કરીની ઘટનાઓ હમેશા વધતી જોવા મળે છે.

    - Advertisement -

    પાલનપુરના ચિત્રાસણી પાસેથી 150 જેટલાં પશુઓને કતલખાને લઈ જતી 10 ટ્રકને જીવદયાપ્રેમીઓએ ઝડપી પાડી હતી. રાજસ્થાન તરફથી આવતી 10 ટ્રકને ચિત્રાસણી નજીક રોકાવી હતી. એ દરમિયાન જીવદયાપ્રેમીઓ પર ડ્રાઈવરોએ હુમલો કર્યો હતો. જોકે તેમ છતાં જીવદયાપ્રેમીઓએ હિંમત કરીને ટ્રકમાં તપાસ કરી હતી, જેમાં ઘાસચારા વગર અને ખીચોખીચ ભરેલાં પશુઓ જોવા મળતાં એમને છોડાવાયાં હતાં.

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચિત્રાસણી પાસેથી જીવદયાપ્રેમીઓએ 10 ટ્રકને ઝડપી હતી. જીવદયાપ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી કોઈ પાસ કે પરમિટ વગરની 10 ટ્રકમાં ઘાસચારાની કે પાણીની સગવડ કર્યા વગર પશુઓને ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે રમઝાન દરમિયાન અને ઈદ આસપાસ આ રીતે પશુઓની અવૈધ તસ્કરીની ઘટનાઓ હમેશા વધતી જોવા મળે છે.

    ટ્રકચાલકોએ જીવદયાપ્રેમીઓ પર કર્યો હુમલો

    આ બાતમીને આધારે જીવદયાપ્રેમીઓએ ચિત્રાસણી નજીક આ ટ્રકોને રોકાવી હતી. જોકે ટ્રકચાલકોએ જીવદયાપ્રેમીઓ ઉપર હુમલો કર્યો હતો. એમ છતાં જીવદયાપ્રેમીઓએ હિંમત કરીને ટ્રકોમાં તપાસ કરતાં 150 જેટલાં પશુઓ ખીચોખીચ હાલતમાં ભરેલા જોવા મળ્યાં હતાં. એ બાદ જીવદયાપ્રેમીઓએ ટ્રકોને પોલીસના હવાલે કરી હતી.

    - Advertisement -

    પોલીસે 10 ટ્રક સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રકોનો કબજો લઈ પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી ટ્રકચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

    અહીં બચાવેલાં પશુઓને રખરખાવ માટે ડીસાની કાંટ પાંજરાપોળને સોંપ્યાં હતાં અને આ પશુઓ ભરેલી 10 ટ્રક પાંજરાપોળ પહોંચતાં જ સંચાલકોએ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી હતી તેમજ બીમાર અને અશક્ત પશુઓને ડોક્ટરી સારવાર આપવાની તજવીજ હાથ ધરી હતી.

    આ પહેલા પણ આવા બનાવ બન્યા છે

    પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે થોડા દિવસ પહેલાં પણ કતલખાને લઈ જવાતાં ઘેટાં-બકરાઓને બચાવ્યાં હતાં. એક ટ્રકમાંથી 56 ઘેટાં અને 213 બકરાં મળી આવ્યાં હતાં. જેથી પોલીસે 273 ઘેટાં-બકરાંને છોડાવી ટ્રકચાલક સામે પશુ તરફ ઘાતકી વર્તન અટકાવાના કાયદાની કલમ 11-1 ઘ,ચ,ડ થતાં પશુ સંરક્ષણ અધિનિયમ કલમ 5,6 અને 7 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

    જ્યારે કતલખાને લઈ જવાતાં 273 ઘેટાં-બકરાંને રાજપુર કાંટ પાંજરાપોળને સોંપ્યાં હતાં. પાંજરાપોળના સંચાલકોએ તાત્કાલિક ધોરણે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. તેમજ તમામ ડોક્ટરની ટીમ બોલાવી ઘેટાં-બકરાંને સારવાર આપી હતી.

    નોંધનીય છે કે રમઝાન દરમિયાન અને ઈદ આસપાસ આ રીતે પશુઓની અવૈધ તસ્કરીની ઘટનાઓ હમેશા વધતી જોવા મળે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં