Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'સત્તામાં હતા ત્યારે અંતરાત્મા કેમ ન જાગ્યો': સત્યપાલ મલિકના આરોપો પર અમિત...

    ‘સત્તામાં હતા ત્યારે અંતરાત્મા કેમ ન જાગ્યો’: સત્યપાલ મલિકના આરોપો પર અમિત શાહનો જવાબ, કહ્યું- ‘જયારે પોતે રાજ્યપાલ હતા ત્યારે કેમ ચૂપ હતા?’

    ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદનો, CBI તરફથી તેમને મળેલા સમન્સ અને આ સમગ્ર મુદ્દે વિપક્ષના નિવેદનો પર પલટવાર કર્યો છે.

    - Advertisement -

    ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને તેમના સમર્થનમાં નિવેદન આપનારા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે. જ્યારે શાહને એક ચેનલના કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે શું મલિકે સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ સીબીઆઈએ તેમને સમન્સ મોકલ્યા હતા તો શાહે કહ્યું કે, “એવું નથી. મારી માહિતી મુજબ તેમને બીજી-ત્રીજી વખત બોલાવવામાં આવ્યા છે. તપાસ ચાલી રહી છે. અમારી વિરુદ્ધ બોલવાને કારણે તેમને બોલાવવામાં આવ્યા છે, એવું નથી.”

    શાહે કહ્યું, “…પણ તમારે એ પણ પૂછવું જોઈએ કે અમારાથી અલગ થયા પછી જ તમને બધું કેમ યાદ આવે છે? સત્તામાં બેઠા હોય ત્યારે આત્મા કેમ જાગતો નથી? તેની વિશ્વસનીયતા વિશે વિચારવું જોઈએ. જ્યારે તમે કહ્યું તે બધું જ સાચું છે તો તમે રાજ્યપાલ હતા ત્યારે ચૂપ કેમ હતા? ઠીક છે, આ બધા જાહેર ચર્ચા માટેના મુદ્દા નથી.”

    ‘અમે એવું કશું કહ્યું નથી જેને છુપાવવાની જરૂર છે’- શાહ

    ગૃહમંત્રીએ કહ્યું, “હું ચોક્કસપણે દેશની જનતાને કહેવા માંગુ છું કે ભાજપ સરકારે એવું કંઈ કર્યું નથી જેને છુપાવવાની જરૂર છે. જો કોઈ પોતાના નિહિત રાજકીય સ્વાર્થ માટે આપણાથી અલગ કંઈ બોલે તો તેનું મૂલ્યાંકન જનતા અને મીડિયાએ કરવું જોઈએ. જ્યારે તમે સત્તામાં નથી હોતા ત્યારે તમે અમારાથી અલગ થઈ જાઓ છો અને જ્યારે તમે આરોપો લગાવો છો ત્યારે આરોપની કિંમત અને તેનું મૂલ્યાંકન બંને કરવું જોઈએ.”

    - Advertisement -

    તેમણે કહ્યું, “તે લાંબા સમયથી અમારી પાર્ટીમાં કામ કરી રહ્યા હતા. તેઓ રાજનાથ સિંહની ટીમમાં હતા. મારી સાથે પણ રહ્યા હતા. હું એટલું જ કહેવા માંગુ છું કે તે લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. જો કોઈ વ્યક્તિ સમયાંતરે તેનું સ્વરૂપ બદલે છે, તો તમે તેના વિશે શું કરી શકો? જનતાએ તેમને ઓળખવા જોઈએ.”

    કયા આરોપોમાં માલિકને CBIના સમન્સ મળ્યા છે?

    નોંધનીય છે કે સીબીઆઈએ વીમા કૌભાંડમાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સમન્સ મોકલ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પૂર્વ રાજ્યપાલને 27 અને 28 એપ્રિલના રોજ તેમના અકબર રોડ ગેસ્ટહાઉસમાં હાજર થવા જણાવ્યું છે.

    17 ઓક્ટોબર 2021ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુમાં એક કાર્યક્રમમાં સત્યપાલ મલિકે કહ્યું કે “કાશ્મીર ગયા પછી મારી પાસે બે ફાઈલો આવી. આ ફાઇલોમાંથી એક આરએસએસ સાથે સંકળાયેલા વ્યક્તિની હતી જે મહેબૂબા મુફ્તી અને ભાજપની અગાઉની ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તેઓ પીએમ મોદીના પણ ખૂબ નજીક હતા. મને સચિવો દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમાં કૌભાંડ થયું છે અને પછી મેં બદલામાં બંને સોદા રદ કર્યા. સચિવોએ મને કહ્યું કે બંને ફાઈલો માટે 150-150 કરોડ રૂપિયા આપવામાં આવશે, પરંતુ મેં તેમને કહ્યું કે હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો છું અને તે જ લઈને જ જઈશ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં