Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાઇરલ વિડીયો: બેંગલુરુના ડૉક્ટરે ટ્રાફિકમાં ફસાયેલી કાર છોડી, અતિ મહત્વની સર્જરી કરવા...

    વાઇરલ વિડીયો: બેંગલુરુના ડૉક્ટરે ટ્રાફિકમાં ફસાયેલી કાર છોડી, અતિ મહત્વની સર્જરી કરવા દોડ્યા 3 કિમી

    બેંગલુરુ રોડ પર દોડી રહેલા સરજાપુરની મણિપાલ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજી સર્જન ડો. ગોવિંદ નંદકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    - Advertisement -

    બેંગલુરુમાં ટ્રાફિક એટલી ભયાનક સમસ્યા સર્જે છે, જ્યાં તે ટૂંકા અંતરને કવર કરવા માટે ખૂબ જ લાંબો સમય લે છે. પરંતુ એક ડૉક્ટરની વાત કરીએ જેણે પોતાના દર્દીનો જીવ બચાવવા માટે અસામાન્ય નિર્ણય લીધો તે એક પ્રેરણાદાયી વાર્તા સાબિત થઈ રહી છે.

    ગેસ્ટ્રોએન્ટેરોલોજી સર્જન ડો. ગોવિંદ નંદકુમારે 30 ઓગસ્ટના રોજ બેંગલુરુના સરજાપુરની મણિપાલ હોસ્પિટલમાં ઇમરજન્સી લેપ્રોસ્કોપિક પિત્તાશયની સર્જરી નક્કી કરી હતી. જ્યારે તેઓ હોસ્પિટલ તરફ તેમની મુસાફરી શરૂ કરી ત્યારે તેઓ સમયસર હતા. પરંતુ બેંગલુરુના રસ્તાઓ પર, સમયસર નીકળવું એ કોઈ ગેરેંટી નથી કે તમે સમયસર ગંતવ્ય પર પહોંચી જશો.

    તે હોસ્પિટલ તરફના અંતિમ પટ્ટા દરમિયાન હતું કે તેમને સમજાયું કે વસ્તુઓ યોજના મુજબ ચાલી રહી નથી. સરજાપુર-મરાઠાહલ્લી પટ્ટો, જે સામાન્ય રીતે 10 મિનિટ લે છે, ટ્રાફિકને કારણે અડધો કલાક જેટલો સમય લેતો હતો. શસ્ત્રક્રિયા માટે મોડું પહોંચવું તેના દર્દીને નુકસાન પહોંચાડી શકે છે. કર્તવ્યનિષ્ઠ તબીબ આવું થવા દેવા ઇચ્છતા ન હતા અને વાહનને પાછળ છોડી હોસ્પિટલ તરફ દોડી ગયા હતા. સમયસર હોસ્પિટલ પહોંચવા માટે તેમણે પગપાળા ત્રણ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

    - Advertisement -

    “હું દરરોજ સેન્ટ્રલ બેંગ્લોરથી મણિપાલ હોસ્પિટલ, સરજાપુર, જે બેંગલોરના દક્ષિણપૂર્વમાં છે, સુધી સફર કરું છું. સર્જરી માટે હું સમયસર ઘરેથી નીકળી ગયો હતો. હોસ્પિટલ પર મારી ટીમ તૈયાર હતી અને હું પહોંચતાની સાથે જ સર્જરી કરવાની તૈયાર હતી. ભારે ટ્રાફિકને જોતા, મેં ડ્રાઇવર સાથે કાર છોડી દેવાનું નક્કી કર્યું અને વિચાર્યા વિના હોસ્પિટલ તરફ ભાગ્યો,” તેમણે એક વિડીયોમાં કહ્યું.

    ડૉક્ટર નંદકુમારની ટીમ, જે દર્દીને એનેસ્થેસિયા આપવા માટે તૈયાર હતી, તે ઓપરેશન થિયેટરમાં પહોંચતાની સાથે જ કાર્યમાં લાગી ગઈ. કોઈપણ વિલંબ કર્યા વિના, ડૉક્ટર ઓપરેશન કરવા માટે સર્જિકલ પોશાક પહેરીને હાજર થઇ ગયા હતા.

    અંતે શસ્ત્રક્રિયા સફળ રહી, અને દર્દીને સમયસર રજા આપવામાં આવી હતી.

    અગાઉ, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે લગભગ 12 મિલિયન લોકોની વસ્તી માટે 10 મિલિયનથી વધુ વાહનો ધરાવતા બેંગલુરુમાં ટ્રાફિક ગીચતાનું સંચાલન કરવા માટે એક ખાસ સત્તાની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં