Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોઈને ટ્રકે કચડયા, તો કોઈને કારે ઉડાવ્યા,ભારત જોડો યાત્રામાં અત્યાર સુધી 4...

    કોઈને ટ્રકે કચડયા, તો કોઈને કારે ઉડાવ્યા,ભારત જોડો યાત્રામાં અત્યાર સુધી 4 લોકોના મોત, વરિષ્ઠ નેતાઓથી લઇને કાર્યકર્તાઓ સામેલ

    ભારત જોડો યાત્રામાં જોડાતી વખતે 4 લોકોના મોત પણ થયા હતા. ભારત જોડો યાત્રામાં મોત નીપજ્યાં હોય તેવા લોકોમાં વરિષ્ઠ નેતાથી માંડીને સામાન્ય કાર્યકર્તા તો ઠીક પણ એક પોલીસકર્મીનું પણ નામ છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ 30 જાન્યુઆરી 2023 સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાશ્મીરમાં એક મોટી ઈવેન્ટ બાદ તેને પૂરી કરી દેવામાં આવશે. જ્યારે સપ્ટેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી ચાલેલી આ યાત્રાએ રાહુલ ગાંધીની છબી બનાવવાનું કામ કર્યું હતું, તો બીજી તરફ ભારત જોડો યાત્રામાં જોડાતી વખતે 4 લોકોના મોત પણ થયા હતા. ભારત જોડો યાત્રામાં મોત નીપજ્યાં હોય તેવા લોકોમાં વરિષ્ઠ નેતાથી માંડીને સામાન્ય કાર્યકર્તા તો ઠીક પણ એક પોલીસકર્મીનું પણ નામ છે. કોઈને કરે ઉડાવવ્યા, તો કોઈને ટ્રકચડ્યા. ભારત જોડો યાત્રામાં મોત આંબી જનાર વ્યક્તિઓની અચરજ પમાડે તેવી ઘટનાઓ.

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા કૃષ્ણ કુમાર પાંડેનું નિધન

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ સેવા દળના મહાસચિવ કૃષ્ણ કુમાર પાંડેનું 8 નવેમ્બર, 2022 ના રોજ ભારત જોડો યાત્રા દરમિયાન 75 વર્ષની વયે નિધન થયું હતું. અહેવાલો અનુસાર, તેઓ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રા પર જઈ રહ્યા હતા, પરંતુ પછી તેઓ રસ્તા પર પડી ગયા હતા.

    આ યાત્રા દરમિયાન તેમના હાથમાં તિરંગો હતો, જે તેમણે 15 મિનિટ પહેલા જ અન્ય વ્યક્તિને સોંપી દીધો હતો. ત્યારબાદ તે જમીન પર પટકાયા હતા. પાંડેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેનો મૃતદેહ તેના પુત્ર શીલાજ પાંડેને સોંપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    કાર્યકર્તાઓને ટ્રકે ટક્કર મારી

    કૃષ્ણ કુમાર પાંડેના અવસાનના ચાર દિવસ બાદ 12 નવેમ્બર 2022ના રોજ અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. આ વ્યક્તિ 62 વર્ષીય કોંગ્રેસ કાર્યકર્તા ગણેશ પોન્નારમન હતા. મહારાષ્ટ્રના નાંદેડમાં તેમને એક ટ્રકે ટક્કર મારી હતી. તેઓ રાત્રી શિબિર માટે અર્ધપુર તહસીલના પિંપલગાંવ મહાદેવ ગામ પરત જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રાત્રે 8:20 વાગ્યે તેમને એક ટ્રકે ટક્કર મારી હતી. ત્યારે આ ટ્રકે ‘ભારત જોડોના 2 યાત્રીઓ’ને ટક્કર મારી હતી. જો કે ગણેશની સાથે 30 વર્ષીય સયુલ પણ બચી ગયો હતો, જ્યારે ગણેશે દમ તોડી દીધો હતો.

    પોલીસકર્મીને કારે કચડી નાખ્યો

    આવી જ રીતે 25 નવેમ્બરના રોજ સબ-ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્રસિંહ ભારત જોડો યાત્રા માટે અહર માવા વામાં રિહર્સલ કરી રહ્યા હતા બાબર ત્યારે જ તેમને એક કારે ટક્કર મારી હતી. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, કાર ચાલકે કાર પોલીસ કાફલા તરફ કાર હંકારી હતી, જેના કારણે ભૂપેન્દ્રસિંહને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ બચી શક્યા ન હતા. આ ઘટના સોયટકલા પોલીસ સ્ટેશનની સામે જ બની હતી. બાદમાં પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા વાહનને જપ્ત કરી લીધું હતું.

    હૃદયરોગના હુમલાથી કાર્યકર્તાનું મોત

    3 ડિસેમ્બર, 2022 ના રોજ, મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના જીરાપુરના કોંગ્રેસના કાર્યકર 55 વર્ષીય માંગીલાલ શાહનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ ભારત જોડો યાત્રાનો ભાગ બનવાના હતા. રસ્તામાં તેને હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટર પોસ્ટમોર્ટમ કરવા માંગતા હતા. જો કે શાહના સમર્થકોએ અંતિમ સંસ્કાર માટે શબને લઇ ગયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં