Tuesday, May 21, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅધધ 40% સુધીનું વ્યાજ વસુલતા હતા અમદાવાદ શહેરના કોંગ્રેસ પ્રવક્તા જયેન્દ્રસિંહ પરમાર!:...

    અધધ 40% સુધીનું વ્યાજ વસુલતા હતા અમદાવાદ શહેરના કોંગ્રેસ પ્રવક્તા જયેન્દ્રસિંહ પરમાર!: કોંગ્રેસ નેતા સહીત 3 વ્યાજખોરોની ધરપકડ

    રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક આરોપી કોંગ્રેસના પ્રવક્તા અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર છે. સાથે જ હેલ્થ કેર કંપનીની સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક આરોપી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા છે અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર છે. સાથે જ હેલ્થ કેર કંપનીની સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા ત્રણ આરોપી વાઈટ કોલર ક્રિમિનલ એટલે કે વ્યાજખોરો છે. જેઓએ 3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ વસુલ કર્યા છે. સાથે જ બીજા 3.36 કરોડ બાકી રૂપિયાની સામે 13 કરોડ 31 લાખની ઉઘરાણી બાકી બતાવી હતી. જેની સામે મકાન પડાવી લેવાની પણ ધમકી આપી હતી.

    કોંગ્રેસ નેતાએ 38 લાખ સામે 1 કરોડનું વ્યાજ વસુલ કર્યું અને મૂડી તો હજુ બાકી જ!

    આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદી રાઈસ મિલના માલિક જીગીસ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા જયેન્દ્રસિંહ પરમાર, હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીની સીઈઓ નિરાલી શાહની ધરપકડ કરાઈ છે. સાથે જ આ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડ અને જાગૃત રાવલની શોધખોળ હાથ ધરી છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા જયેન્દ્ર પરમારના પિતા નિવૃત્ત ડીવાયએસપી છે. સાથે જ પોતે કોંગ્રેસમાં હોદેદાર તરીકે પણ જોડાયેલા હોવાની હકીકત સામે આવી છે. જયેન્દ્ર પરમારે ફરિયાદીને 38 લાખ 10% ના વ્યાજે આપ્યા હતા. તેની સામે અંદાજિત એક કરોડ રૂપિયા વસૂલી 38 લાખ બાકી હોવાની ઉઘરાણી કરી હતી.

    આ મામલે ઝડપાયેલ મહિલા આરોપી નિરાલી શાહે ફરિયાદીને એક કરોડ 33 લાખ 60 હજાર રૂપિયા 10% ના વ્યાજે આપ્યા હતા. જેની સામે 1,82,75,000 વસુલી લીધા છે, ઉપરાંત જે મકાન માટે રહેતી હતી તે મકાનનું ફર્નિચર અને ભાડું પણ ફરિયાદી પાસે ભરાવ્યું હતું. તેમ છતાં એક કરોડ 90 લાખની બાકી ઉઘરાણી માટે છ ચેકો પણ બળજબરીથી પડાવી લીધા હતા.

    અન્ય આરોપી હેમાંગ પંડિતે ફરિયાદીને 38 લાખ રૂપિયા આપ્યા હતા. તેની સામે 93,50,000 વસુલી 14 લાખ પડાવવા ધમકી આપવામાં આવતી હતી. ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ કરતા પોલીસને આરોપીઓના ઘરેથી 20 કોરા ચેક, 11 પ્રોમેશરી નોટ, 4 કોરા સ્ટેમ્પ, ડેઈલી વ્યાજના હિસાબની ડાયરી અને વાઉચરો મળી આવ્યા છે. જેમાથી નિરાલીના ઘરેથી 15 લાખની રિસિપ મળી છે સાથે જ જાગૃત રાવલના ઘરેથી પોલીસે 20 કોરા ચેક, પ્રોમેશરી નોટ સહીતના દસ્તાવેજી પુરાવા કબ્જે કર્યા છે.

    પીડિત વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવા ગયો હતો

    આ ગુનામાં ફરાર આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડે 92 લાખની સામે 40% વ્યાજ વસૂલી ત્રણ કરોડ 61 લાખ તથા મણીપુર ગામનો પ્લોટ પણ પોતાના નામે કરાવી લીધો હતો. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

    40% સુધીનું વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે તેમના બેંક સ્ટેટમેન્ટ વ્યાજખોરીના રૂપિયામાંથી ખરીદેલી મિલકત અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીઓના ત્રાસથી કંટાળી ફરિયાદી આત્મહત્યા કરવા માટે પણ મજબૂર બન્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી આત્મહત્યા માટે ઘર છોડીને પણ ફરાર થયો હતો. જોકે પોલીસે તેને સહી સલામત શોધી લેતા તે વ્યાજના ખપ્પરમાં ફસાયો હોવાની હકીકત સામે આવી હતી. જે બાદ આ ફરિયાદ નોંધાઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં