Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણ‘રાહત નહીં મળે તો મારી કારકિર્દીનાં 8 વર્ષ બગડી જશે, વાયનાડના લોકોને...

    ‘રાહત નહીં મળે તો મારી કારકિર્દીનાં 8 વર્ષ બગડી જશે, વાયનાડના લોકોને પણ જશે નુકસાન’: માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં રાહુલ ગાંધીની દલીલ

    ગત 7 જુલાઈ, 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવીને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો.

    - Advertisement -

    મોદી સમાજ પર કરેલી ટિપ્પણીઓ મામલેના માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળ્યા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અંતિમ વિકલ્પ તરીકે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાહુલે કોર્ટમાં અરજી કરીને કહ્યું કે જો તેમને રાહત નહીં મળે તો કારકિર્દીનાં 8 વર્ષ વેડફાય જશે અને વાયનાડના લોકોને પણ નુકસાન જશે. ઉલ્લેખનીય છે કે રાહુલ વાયનાડથી સાંસદ છે. 

    રાહુલ ગાંધીએ અરજીમાં જણાવ્યું કે જો તેમને રાહત આપવામાં નહીં આવે તો રાજકીય કારકિર્દીનાં આઠ વર્ષ બરબાદ થઇ જશે. અહીં ઉલ્લેખનીય છે કે રિપ્રેઝેન્ટેશન ઑફ પિપલ એક્ટની કલમ 8(3) હેઠળ કોઈ પણ વ્યક્તિ કોઈ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની સજા મેળવે તો સજા પૂર્ણ થયાના 6 વર્ષ સુધી તે ચૂંટણી લડી શકતો નથી. રાહુલ ગાંધીને 2 વર્ષની સજા મળી છે, જેથી જો સુપ્રીમ કોર્ટ રાહત નહીં આપે તો 8 વર્ષ માટે તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગી જશે. 

    રાહુલ ગાંધીએ અરજીમાં માનહાનિ કેસમાં તેમની સામે કરવામાં આવેલી ફરિયાદ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, આ શબ્દો એક રાજકીય ભાષણ દરમિયાન બોલવામાં આવ્યા હતા અને જેથી રાજકીય પ્રતિસ્પર્ધી માટે બોલવામાં આવ્યા હોય તે રીતે જ તેનું અર્થઘટન કરવામાં આવે અને કોઈ સમુદાય કે સમાજ વિરુદ્ધની ટિપ્પણી ગણવામાં ન આવે. તેમણે એમ પણ કહ્યું કે, ભાષણમાં કુલ ત્રણ લોકોનાં નામ લેવામાં આવ્યાં હતાં, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિએ ફરિયાદ કરી નથી. તેમના સ્થાને માત્ર મોદી અટક ધરાવતા વ્યક્તિએ ફરિયાદ કરી હતી, જેમની વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવી ન હતી. 

    - Advertisement -

    રાહુલ ગાંધીએ અરજીમાં એમ પણ કહ્યું કે, તેઓ લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળવાના કારણે મતવિસ્તારના લોકોનો અવાજ સંસદમાં ઉઠાવી શકશે નહીં અને કાર્યવાહીમાં ભાગ લઇ શકશે નહીં. તેમણે કહ્યું કે, તેમના દોષ પર રોક નહીં લગાવવામાં આવે તો વાયનાડની જનતાને પ્રતિનિધિત્વ ન મળવાના કારણે ઘણું નુકસાન જશે. 

    ઉલ્લેખનીય છે કે ગત 7 જુલાઈ, 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવીને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, તેમની સામે પહેલેથી જ ઓછામાં ઓછા 10 કેસ પેન્ડિંગ છે અને આ કેસમાં દોષ પર રોક લગાવવા માટે કોઈ વ્યાજબી કારણ જણાઈ રહ્યું નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં