Wednesday, May 14, 2025
More

    પહેલા કરી ઔરંગઝેબની વાહવાહી, FIR થઈ તો માંગી માફી- સપા નેતા અબુ આઝમીની દર્દભરી કહાની: હવે કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદ ગાઈ રહ્યો છે ઇસ્લામિક આક્રાંતાના ગુણ

    દેશમાં હવે ઈસ્લામિક આક્રાંતા ઔરંગઝેબને (Aurangzeb) લઈને ફરી એકવાર વિવાદ વધ્યો છે. અગાઉ, સમાજવાદી પાર્ટીના (SP) નેતા અબુ આઝમીએ (Abu Azmi) ઔરંગઝેબની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઔરંગઝેબ ક્રૂર નહીં પણ એક સારો શાસક હતો. જે બાદ મહારાષ્ટ્રમાં હોબાળો મચી ગયો. ભાજપ-શિવસેનાએ તેને રાજદ્રોહ ગણાવ્યો. આ મામલે આઝમી વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જોકે, વિવાદ વધતાં આઝમીએ માફી માંગી (apology) લીધી હતી.

    માફી માંગતા અબુ આઝમીએ કહ્યું, “મારા શબ્દો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા હતા, હું ઇતિહાસકારોએ જે કહ્યું તેનું પુનરાવર્તન કરી રહ્યો હતો. જો કોઈને દુઃખ થયું હોય તો હું નિવેદન પાછું લઉં છું.”

    આઝમી બાદ મસૂદને લાગ્યો ઔરંગઝેબનો રંગ

    અબુ આઝમીનો મુદ્દો હજુ ઠંડો પડ્યો ન હતો કે કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ ઇમરાન મસૂદે (Imran Masood) એક નવું નિવેદન આપ્યું. મસૂદે કહ્યું, “ઔરંગઝેબ કોઈ જુલમી નહોતો, તે એક એવો રાજા હતો જેણે અખંડ ભારત બનાવ્યું હતું. તેમણે 49 વર્ષ શાસન કર્યું, ભારતને કૈલાસ માનસરોવર અને બર્મા સાથે જોડ્યું. ફિલ્મ ‘છાવા’નો ઉલ્લેખ કરતા મસૂદે કહ્યું કે ફિલ્મ દ્વારા ઇતિહાસ ભૂંસી શકાતો નથી.

    બંને નેતાઓના નિવેદનોને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. માફી માંગ્યા પછી આઝમી પીછેહઠ કરી રહ્યા છે, જ્યારે મસૂદ પોતાના નિવેદન પર અડગ છે.