Saturday, May 11, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સબૉલીવુડ ગાયકોએ કર્યું પરફોર્મ, પણ ન જોઈ શક્યા દર્શકો: ભારત-પાકિસ્તાન મેચ પહેલાં...

    બૉલીવુડ ગાયકોએ કર્યું પરફોર્મ, પણ ન જોઈ શક્યા દર્શકો: ભારત-પાકિસ્તાન મેચ પહેલાં યોજાયેલા રંગારંગ કાર્યક્રમનું પ્રસારણ ન કરાયું

    કાર્યક્રમ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે, ભારત-પાકિસ્તાન મેચની પ્રી-મેચ સેરેમનીનું પ્રસારણ કરવામાં નહીં આવે કારણ કે તે માત્ર સ્ટેડિયમના દર્શકો માટે જ છે.

    - Advertisement -

    હાલ ICC ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેની યજમાની ભારત કરી રહ્યું છે. શનિવારે (14 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વર્લ્ડ કપની લીગ મેચ રમાઈ. તે પહેલાં એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, પણ તેનું પ્રસારણ કરવામાં આવ્યું ન હતું. જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમ માત્ર સ્ટેડિયમમાં હાજર દર્શકો માટે હતો, ઓનલાઈન કે ટીવી પર જોતા લોકો માટે નહીં. 

    મેચ પહેલાં બપોરે 12:30 વાગ્યેથી જ અરિજીત સિંઘ, સુનિધિ ચૌહાણ, સુખવિંદર સિંઘ અને શંકર મહાદેવને પરફોર્મ કર્યું હતું. પરંતુ તેનું પ્રસારણ કરવામાં ન આવ્યું. સામાન્યતઃ આ પ્રકારના કાર્યક્રમો પણ બ્રોડકાસ્ટ કરવામાં આવે છે પરંતુ આ વખતે કરવામાં ન આવ્યું. કારણ સ્પષ્ટ જાણવા મળ્યું નથી પરંતુ કહેવામાં આવ્યું કે કાર્યક્રમ માત્ર સ્ટેડિયમના દર્શકો માટે હતો. જોકે, મેચનું પ્રસારણ દર વખતની જેમ જ ચાલી રહ્યું છે, જે ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ કે OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર જોઈ શકાય છે. 

    કાર્યક્રમ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે, ભારત-પાકિસ્તાન મેચની પ્રી-મેચ સેરેમનીનું પ્રસારણ કરવામાં નહીં આવે કારણ કે તે માત્ર સ્ટેડિયમના દર્શકો માટે જ છે. મેચ શરૂ થયા બાદ તમામ બાબતોનું પ્રસારણ કરવામાં આવશે અને હાઇલાઇટ્સ પણ બતાવવામાં આવશે. 

    - Advertisement -

    સોશિયલ મિડિયા પર ચર્ચા ચાલી રહી છે કે લોકોના વિરોધના કારણે આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં ન આવ્યું. જ્યારે અમુક ક્રિકેટરસિકોએ નારાજગી પણ વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન જેવા દેશ સાથે મેચ રમતાં પહેલાં આ પ્રકારે રંગરંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતાં BCCIએ દેશભરમાંથી ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. લોકોનું કહેવું છે કે પાકિસ્તાન સાથે રમવું એ મજબૂરી હોય શકે પણ વિશેષ સ્વગત કે વિશેષ કાર્યક્રમો યોજવા એ યોગ્ય નથી. 

    જોકે વિરોધ તો અમદાવાદની હયાત હોટેલમાં પાકિસ્તાની ખેલાડીઓના સ્વાગતનો પણ ખૂબ થયો હતો. ત્યારબાદ BCCIએ જાહેરાત કરી હતી કે ભારત-પાકિસ્તાન મેચ પહેલાં કાર્યક્રમ યોજાશે, જેમાં ગાયકો અને બૉલીવુડ કલાકારો પરફોર્મ કરશે. પરંતુ લોકોએ ખૂબ ટીકા કરી અને પ્રશ્ન કર્યા હતા કે જો ઓપનિંગ સેરેમની યોજાઈ ન હતી તો પાકિસ્તાન સાથેની મેચ પહેલાં શા માટે આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે?

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં