Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ9 વર્ષોથી ચાલતી આવતી પરંપરા પીએમ મોદીએ આ વર્ષે પણ જાળવી રાખી:...

    9 વર્ષોથી ચાલતી આવતી પરંપરા પીએમ મોદીએ આ વર્ષે પણ જાળવી રાખી: જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા

    જ્યારથી PM બન્યા ત્યારથી મોદી દિવાળીની ઉજવણી સરહદ પર તહેનાત જવાનો સાથે કરતા આવ્યા છે. આ વર્ષે તેઓ હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા હતા અને જવાનોને મળ્યા હતા.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી સત્તા સંભાળી ત્યારથી તેઓ સરહદ પર તહેનાત જવાનો સાથે જ દિવાળીની ઉજવણી કરતા આવ્યા છે. આ વર્ષે પણ તેમણે આ પરંપરા જાળવી રાખી છે. આજે (12 નવેમ્બર) PM મોદી હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે, જ્યાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. 

    પહોંચતાંની સાથે પીએમ મોદીએ એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી. આ દરમિયાન તેઓ સેનાના યુનિફોર્મમાં જોવા મળ્યા. સરહદ પરની ચેક પોસ્ટ પર તેઓ સેનાના અધિકારીઓ અને જવાનો સાથે જોવા મળ્યા હતા.

    તે પહેલાં તેમણે X પર દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી. દેશવાસીઓને પરિવારજનો તરીકે સંબોધીને તેમણે તહેવારની શુભેચ્છાઓ આપી હતી.

    - Advertisement -

    2014થી પીએમ મોદી જવાનો સાથે જ ઉજવે છે દિવાળી

    2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ તેઓ દર વર્ષે દિવાળી જવાનો સાથે જ ઉજવતા આવ્યા છે. પહેલી વખત તેઓ સિયાચીન ગયા હતા, જ્યાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. ત્યારબાદ વર્ષ 2015માં તેઓ પંજાબમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે 1965ના યુદ્ધના વૉર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી. 

    વર્ષ 2016માં તેઓ હિમાચલના કન્નોર પહોંચ્યા હતા, જ્યાં ભારત-ચીન સરહદ પાસે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2017માં જમ્મુ-કાશ્મીરના ગુરેજમાં તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 

    2018માં તેઓ ભારત-તિબેટ સરહદ નજીક પોલીસ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. 2019માં વડાપ્રધાને એલઓસી પર જવાનો સાથે દિવાળી મનાવી હતી અને રાજૌરીમાં હાજર રહ્યા હતા. 2020માં તેઓ જેસલમેરના લોંગેવાલા પોસ્ટ પર હાજર રહ્યા હતા, જ્યાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. ત્યારબાદ વર્ષ 2021માં પીએમએ કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. 

    2021માં જવાનો સાથે દિવાળીની ઉજવણી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં સૌ કોઈ ઈચ્છે છે કે તેઓ દિવાળીની ઉજવણી પોતાના પરિવારજનો સાથે કરે. મને પણ ઈચ્છા થાય છે. અને એટલે જ દર દિવાળીએ હું મારા પરિવારજનો વચ્ચે આવું છું, કારણ કે તમે (સેનાના જવાનો) મારા પરિજનો છો. અને એટલે હું અહીં એક વડાપ્રધાન તરીકે નહીં પરંતુ તમારા પરિવારના એક સભ્ય તરીકે આવ્યો છું.’

    2022માં પીએમ મોદી કારગિલના દ્રાસ ગયા હતા અને જવાનો સાથે દિવાળી ઊજવી હતી. અહીં તેમણે કારગિલ યુદ્ધમાં વીરગતિ પામેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. 9 વર્ષોથી ચાલતી આવેલી પરંપરા પીએમ મોદીએ આ વર્ષે પણ જાળવી રાખી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં