Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણ‘અયોધ્યાના મહંતની બળાત્કાર કેસમાં ધરપકડ’: પ્રાણપ્રતિષ્ઠા પહેલાં છાપાનું કટિંગ વાયરલ, સનાતનને બદનામ...

    ‘અયોધ્યાના મહંતની બળાત્કાર કેસમાં ધરપકડ’: પ્રાણપ્રતિષ્ઠા પહેલાં છાપાનું કટિંગ વાયરલ, સનાતનને બદનામ કરવાનું ષડ્યંત્ર કે ફેક ન્યૂઝ?- સત્ય જાણો

    ઑપઇન્ડિયાની તપાસમાં સામે આવ્યું છે કે આ મામલો વર્ષ 2018-19નો છે અને તેને આજના સમયમાં પ્રાસંગિક બનાવવાના ખરાબ ઇરાદા સાથે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આવી ગતિવિધિઓ સામે અયોધ્યા પોલીસને ફરિયાદો કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    જેમ જેમ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો પવિત્ર દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ વિપક્ષી પાર્ટીઓ અને હિંદુદ્વેષીઓ સનાતન ધર્મને બદનામ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક જૂના સમાચાર શોધીને શેર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ અયોધ્યાના એક મહંતની ધરપકડના સમાચાર ફેલાયા છે.

    પોતાને ઓબીસી સમાજનો અવાજ ગણાવનાર પ્રતિક પટેલે X પર એક ન્યૂઝ કટિંગ પોસ્ટ કર્યું છે, જેમાં હેડલાઈન છે, ‘અયોધ્યાના ચંદ્રહરિ મંદિરના મહંત કૃષ્ણકાંતાચાર્યની બળાત્કારના આરોપમાં ધરપકડ.’

    પ્રતિક પટેલની X પોસ્ટ

    તેના એક્સ એકાઉન્ટ પર ઉપલબ્ધ માહિતી દર્શાવે છે કે તેનો JDU તરફ નરમ વલણ ધરાવે છે. પોતાના બાયોમાં તેણે પોતાને નીતીશ કુમારનો સૈનિક ગણાવ્યો છે અને પોતાને જનતા દળ યુનાઈટેડમાં સામાજિક કાર્યકર ગણાવ્યો છે.

    - Advertisement -
    X પર પ્રતિક પટેલની પ્રોફાઇલ

    પોતાને એક ચિંતક, ઈતિહાસનો અભ્યાસુ, સમાજસેવક, માનવતાવાદી, સમાજવાદી, કર્પૂરવાદી, મંડલવાદી, આંબેડકરવાદી ગણાવતા અને નીતિશ સરકાર તરફ વિશેષ ઝુકાવ ધરાવતા ભાનુ નંદે પણ આ સમાચાર ખૂબ જ ચતુરાઈથી ફેલાવ્યા હતા.

    ભાનુ નંદનો X બાયો

    ભાનુ નંદે પોસ્ટમાં લખ્યું છે, “ખબરદાર જો કોઈ કાંઈ આમતેમ લખ્યું છે તો! અંધભક્તોની ભાવનાઓને આસાનીથી ઠેસ પહોંચે છે, આપણે તેમની લાગણીનું સંપૂર્ણ ધ્યાન રાખીશું. શું તમે લોકો તેમની લાગણીઓનું ધ્યાન રાખશો?”

    X પર ભાનુ નંદની પોસ્ટ

    આ સમાચાર શેર કરતી વખતે પોતાને વકીલ ગણાવતા શૈલેષ વર્માએ લખ્યું – “મામલો અયોધ્યાના મહંત કૃષ્ણકાંતાચાર્યનો છે, જેઓ લગભગ 60 વર્ષના છે. આ કિસ્સામાં અંધભક્તોની લાગણીને ક્યારેય ઠેસ પહોંચશે નહીં કારણ કે અંધભક્તોના પરિવારના સભ્યો આવા બાબાઓને વધુ પસંદ કરે છે. હવે જ્યારે રામરાજની સ્થાપના થઈ રહી છે, ત્યારે બધા ભક્તો મૌન રહેશે.”

    શૈલેષની X પોસ્ટ

    સમાચાર 5 વર્ષ જૂના, પણ ફેલાવ્યા પ્રાણપ્રતિષ્ઠા પહેલાં

    કુંઠિત માનસિકતા ધરાવતા ઘણા લોકો છે જેઓ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ પહેલાં આ સમાચારને રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડી રહ્યા છે. તેઓ અનુસાર હાલ મહંત પદ પર રહેલા વ્યક્તિની બળાત્કારના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. હવે નીચે આપેલા સમાચારોની તારીખો જુઓ, જે તમામ 1 જાન્યુઆરી, 2019ની છે.

    સમાચારની સાચી તારીખ

    ઑપઇન્ડિયાની તપાસમાં સામે આવ્યું છે કે આ મામલો વર્ષ 2018-19નો છે અને તેને આજના સમયમાં પ્રાસંગિક બનાવવાના ખરાબ ઇરાદા સાથે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આવી ગતિવિધિઓ સામે અયોધ્યા પોલીસને ફરિયાદો કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 વર્ષ જૂના ફોટા કયા ચોક્કસ હેતુ માટે શેર કરવામાં આવી રહ્યા છે તે શોધી કાઢવું ​​​​જોઈએ અને જે લોકો સામાજિક સૌહાર્દને બગાડવામાં લાગેલા છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં