Thursday, May 8, 2025
More
    હોમપેજદુનિયા'અમૃતસર આર્મી બેસ પર પાકિસ્તાનનો ઘાતક હુમલો!': આતંકી દેશ સમર્થિત હેન્ડલે ફેલાવ્યો...

    ‘અમૃતસર આર્મી બેસ પર પાકિસ્તાનનો ઘાતક હુમલો!’: આતંકી દેશ સમર્થિત હેન્ડલે ફેલાવ્યો પ્રોપગેન્ડા, અહીં જાણો તેમણે જોડેલા વિડીયોનું શું છે સત્ય

    'Pakistan' લખેલા હેન્ડલ પર જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તે હનુમાન નામના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે ઑપઇન્ડિયાએ આ પ્રોફાઈલ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે આ એકાઉન્ટ ટેમ્પરરી રિસ્ટ્રિક્ટેડ જોવા મળ્યું. પરંતુ પ્રોફાઈલ ખોલતા તેમાં આવા જ બધા ફેક ન્યુઝ પોસ્ટ કરેલા હતા.

    - Advertisement -

    22 એપ્રિલે પહલગામમાં જે આતંકી હુમલો (Pakistan Pahalgam Attack) થયો તેનો પ્રતિશોધ ભારતે ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) દ્વારા લીધો. 6-7 મેએ ભારતીય સેનાએ (Indian Army) પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) સ્થિત આતંકી ઠેકાણાંઓ પર 9 મિસાઈલ હુમલા કર્યા હતા. ત્યારપછી સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝનો રાફડો ફાટી નીકળ્યો હતો. પાકિસ્તાની પ્રોપગેન્ડા ફેલાવવા માટે જૂના વિડીયો પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. આ જ ક્રમમાં એક X હેન્ડલ પરથી એક ફેક ન્યુઝ પોસ્ટ કરવામાં આવ્યા.

    આ પોસ્ટ સાથે એક જૂનો વિડીયો પોસ્ટ કરીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાને અમૃતસરમાં લશ્કરી બેઝ પર હુમલો કર્યો છે, જેમાં અનેક લોકોના મોત થયા અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે.” આ પોસ્ટ 8 મેની વહેલી સવારે કરવામાં આવી હતી. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આગના ગોટેગોટા ઉડી રહ્યા છે.

    ‘Pakistan’ લખેલા હેન્ડલ પર જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તે હનુમાન નામના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે ઑપઇન્ડિયાએ આ પ્રોફાઈલ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે આ એકાઉન્ટ ટેમ્પરરી રિસ્ટ્રિક્ટેડ જોવા મળ્યું. પરંતુ પ્રોફાઈલ ખોલતા તેમાં આવા જ બધા ફેક ન્યુઝ પોસ્ટ કરેલા હતા.

    - Advertisement -

    આ મામલે PIB ફેક્ટ ચેકે વાસ્તવિકતા ઉજગાર કરી. PIBએ લખ્યું કે, “પાકિસ્તાન પ્રોપેગેન્ડા એલર્ટ! પાકિસ્તાન સ્થિત હેન્ડલ અમૃતસરમાં લશ્કરી છાવણી પર હુમલાના ખોટા આરોપો સાથે જૂના વિડીયો ફેલાવી રહ્યા છે. શેર કરવામાં આવી રહેલો વિડીયો 2024ના જંગલની આગનો છે. ચકાસ્યા વિનાની માહિતી શેર કરવાનું ટાળો અને સચોટ માહિતી માટે ફક્ત ભારત સરકારના સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખો.”

    નોંધનીય છે કે આ પહેલાં પણ એવા ખોટા સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા કે પાકિસ્તાને ભારતના 5 ફાઈટર જેટ્સ ઉડાવી દીધા છે. જોકે ભારત સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. પાકિસ્તાન આ હુમલાથી ધૂઆંપૂઆં થયેલ છે અને પાકિસ્તાની સમર્થકો તેમજ કટ્ટરપંથીઓ આવા ફેક ન્યુઝ ફેલાવીને ખોટા પ્રોપગેન્ડા ચલાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં