Wednesday, May 7, 2025
More
    હોમપેજદેશપાકિસ્તાને ભારતીય વાયુસેનાનાં રાફેલ જેટ તોડી પાડ્યાં હોવાની વાતો ખોટી: ‘ઑપરેશન સિંદૂર’થી...

    પાકિસ્તાને ભારતીય વાયુસેનાનાં રાફેલ જેટ તોડી પાડ્યાં હોવાની વાતો ખોટી: ‘ઑપરેશન સિંદૂર’થી હતાશ પાડોશીઓ ઉતરી આવ્યા ફેક ન્યૂઝ ફેલાવવા પર, જૂના વિડીયો શૅર કરીને કર્યા ભ્રામક દાવા

    તપાસ કરતા PIBએ કરેલું ફેક્ટચેક ધ્યાને આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનો દર્શાવતા જૂના ફોટા 'ઑપરેશન સિંદૂર'ના હાલના સંદર્ભમાં પાકિસ્તાની સમર્થક હેન્ડલો દ્વારા ફરીથી વાયરલ કરવામાં આવી રહ્યા છે. જે ખોટા છે.

    - Advertisement -

    પહલગામ ઇસ્લામી આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારતે (India) પાકિસ્તાન (Pakistan) અને તેના મળતિયાં આતંકી સંગઠનોને ભયાનક ઝટકો આપ્યો છે. અચાનક ભારતીય સેનાએ મધ્યરાત્રે ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) લૉન્ચ કરીને પાકિસ્તાનમાં ઘૂસી અનેક આતંકી ઠેકાણાં ધ્વસ્ત કરી દીધાં છે. લગભગ 90 જેટલા ઇસ્લામી જેહાદી આતંકીઓ માર્યા ગયા છે અને આંકડો વધવાની સંભાવના દેખાઈ રહી છે. વધુમાં ગભરાયેલા, હારેલા, પરેશાન થયેલા પાકિસ્તાનીઓ હવે ફેક ન્યૂઝ (Fake News) ફેલાવવા ઉતરી આવ્યા છે. પાકિસ્તાનના ઘણા X યુઝરોએ ભારત વિરુદ્ધ ખોટા નેરેટિવ સેટ કરવા માટે જુઠ્ઠાણાંનો સહારો લેવાનો શરૂ કર્યો છે.

    અનેક પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ દાવો કરી રહ્યા છે કે, પાકિસ્તાની સેનાએ (Pakistan Army) ભારતીય વાયુસેનાના (IAF) રાફેટ જેટ્સને (Rafale Jets) તોડી પાડ્યાં છે. આ સાથે એક વિડીયો પણ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક એરક્રાફ્ટ તૂટેલી હાલતમાં પડ્યું છે અને તેમાં આગ પણ લાગેલી છે. સોશિયલ મીડિયા પર પાક સમર્થિત હેન્ડલ્સ આ વિડીયો શેર કરી રહ્યા છે અને પોતાની આતંકી સેનાની પ્રશંસામાં લાગી ગયા છે.

    એક પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલે વિડીયો શેર કરીને દાવો કર્યો કે, પાકિસ્તાની સેનાનો દાવો છે કે તેમણે બહાવલપુર નજીક ભારતીય વાયુસેનાના રાફેલ જેટને તોડી પાડ્યાં છે. આ સાથે જ અન્ય એક યુઝરે પણ એવો દાવો કર્યો છે કે, પાકિસ્તાની એરફોર્સે પંપોર વિસ્તારમાં પણ ભારતીય વાયુસેનાના પ્લેનને તોડી પાડ્યાં છે.

    - Advertisement -

    આ તમામ દાવાઓમાં એક જ વિડીયોનો સહારો લેવામાં આવ્યો છે. આ સિવાય પણ ઘણા પાકિસ્તાની અને પાકિસ્તાન સમર્થક સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પ્રકારના વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાની સેનાની ખોટી વાહવાહી કરવામાં આવી છે. જોકે, આ વિડીયોની તપાસ કરતા તથ્યો અલગ જ સામે આવ્યાં.

    શું છે હકીકત?

    પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોની તપાસ કરતા PIBએ કરેલું ફેક્ટચેક ધ્યાને આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનો દર્શાવતા જૂના ફોટા ‘ઑપરેશન સિંદૂર’ના હાલના સંદર્ભમાં પાકિસ્તાની સમર્થક હેન્ડલો દ્વારા ફરીથી વાયરલ કરવામાં આવી રહ્યા છે. જે ખોટા છે.

    સાથે એવું પણ કહેવાયું છે કે, આ દ્રશ્યો ભારતીય વાયુસેનાના MiG-29 ફાઇટર જેટ્સ સાથે જોડાયેલી એક જૂની ઘટનાના છે. આ પ્લેન સપ્ટેમ્બર 2024માં રાજસ્થાનના બાડમેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

    આ સાથે જ તેમણે DD Newsની 2 સપ્ટેમ્બર, 2024ના સમચારની પોસ્ટ પણ શેર કરી છે. જેમાં એક વિડીયો પણ દર્શાવવામાં આવ્યો છે. આ તે જ વિડીયો છે જે પાકિસ્તાનીઓ શેર કરી રહ્યા છે. આ ન્યૂઝમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાનના બાડમેરમાં એક ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને ક્રેશ થયું છે.

    આ સાથે સમાચારમાં એવું પણ કહેવાયું છે કે, એક ગંભીર તકનીકી ખરાબીના કારણે આ ફાઇટર જેટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટના દરમિયાન પાયલોટે ખરાબીના કારણે બહાર નીકળી જવાની ફરજ પડી હતી. જે બાદ જેટ ક્રેશ થયું હતું. પાયલોટ સુરક્ષિત રીતે લેન્ડ થયા હતા અને તેમને બચાવી પણ લેવાયા હતા. તેથી પાકિસ્તાનીઓ દ્વારા ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહેલો આ વિડીયો ફેક હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં