પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror ATtack) બાદ ભારત સરકાર સતત પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અનેક મહત્વપૂર્ણ નિર્ણયો વચ્ચે ભારતીય સેનાએ (Indian Army) પરાક્રમ કરી બતાવ્યું છે અને ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદને ખતમ કરવાનું કામ કર્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ભારતીય સેનાના ભયાનક હવાઈ હુમલામાં (Air Strike) 90 જેટલા આતંકવાદીઓ (Terrorists) ઠાર થયા છે અને અનેક આતંકીઓ ઘાયલ થયા છે. વધુમાં આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના (Masood Azhar) અનેક ઠેકાણાં ધ્વસ્ત થયા છે. જેમાં અનેક મદરેસા પણ સામેલ છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં એક સ્થાનિક પાકિસ્તાની નાગરિક ભારતના હવાઈ હુમલા વિશે માહિતી આપી રહ્યો છે. તે પાકિસ્તાની વ્યક્તિ કહી રહી છે કે, “પાકિસ્તાનીઓ, ભારતે જંગ શરૂ કરી દીધી છે. મારા બહાવલપુર શહેરની અંદર મૌલાના મસૂદ અઝહરની મદરેસા પર 4 મિસાઈલ છોડવામાં આવ્યા છે.”
How’s the Khauf in Pakistan pic.twitter.com/syQ6pr5lWi
— Harsh Sanghavi (@sanghaviharsh) May 7, 2025
વધુમાં તે કહે છે કે, “ચાર મિસાઈલો સાથે મૌલાના મસૂદ અઝહરની મદરેસા પર હુમલા કરવામાં આવ્યા છે.” વધુમાં તે પાકિસ્તાની એજન્સીઓ અને સેના પર પણ સવાલ ઉઠાવે છે અને કહે છે કે, પાકિસ્તાની એજન્સીઓ અને સેના ક્યાં સૂતી હતી? ભારતીય સેનાએ હવાઈ હુમલા કર્યા ત્યારે આ બધા ક્યાં જતાં રહ્યા હતા. આ સાથે જ તે કહે છે કે, ભારતીય સેનાએ બેલેસ્ટિક મિસાઈલો સાથે હુમલા કર્યા છે. આ સાથે જ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું હેડ ક્વાર્ટર પર ઉડાવી દેવામાં આવ્યું છે.
90 જેટલા ઇસ્લામી આતંકીઓ ઠાર
વધુમાં ભારતના આ હવાઈ હુમલામાં ઘણા આતંકીઓ ઠાર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) આતંકી ઠેકાણાં પર ભારતીય સેનાના હુમલા અસરકારક રહ્યા હતા. આ હુમલામાં 90થી વધુ ઇસ્લામી આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. સૌથી વધુ હુમલા બહાવલપુર અને મુરીદકેમાં થયા છે. આ વિસ્તારમાં મુખ્ય આતંકી ઠેકાણાં હોવાનું જાણવા મળ્યું છે.
આ બંને સ્થળોએ લગભગ 25-30 આતંકવાદીઓ માર્યા ગયા છે. કુલ આંકડો 90થી ઉપર જઈ શકે છે. ભારતીય એજન્સીઓ હાલ અન્ય પણ ઘણા વિસ્તારોમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા આતંકીઓની માહિતી એકત્રિત કરી રહી છે. વધુમાં ભારતીય એરસ્પેસમાં સેના અને એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે. હાલ પાકિસ્તાને પણ આ મિસાઈલ હુમલાની પુષ્ટિ કરી છે.