હોમપેજદેશસાર્વજનિક જગ્યાઓ પર નમાજ પઢી શકાય નહીં: અલ્હાબાદ હાઇકોર્ટ, જાણો પ્રાઇવેટ પ્રોપર્ટી...

સાર્વજનિક જગ્યાઓ પર નમાજ પઢી શકાય નહીં: અલ્હાબાદ હાઇકોર્ટ, જાણો પ્રાઇવેટ પ્રોપર્ટી પર થતી મઝહબી પ્રવૃત્તિઓ વિશે કોર્ટે શું કહ્યું

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે રાજ્યને કોઈ સંભવિત વિવાદ અથવા અવ્યવસ્થાના વાસ્તવિક રૂપ લેવાની રાહ જોવાની જરૂર નથી. જો કોઈ પ્રવૃત્તિથી સાર્વજનિક શાંતિ પ્રભાવિત થવાની આશંકા હોય તો પ્રશાસન પહેલેથી જ સાવધાનીના પગલાં લઈ શકે છે.

- Advertisement -

ઉત્તર પ્રદેશના સંભલમાં સાર્વજનિક જમીન પર નમાજ પઢવાની મંજૂરી સાથે જોડાયેલા કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારના (1 મે 2026) રોજ ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સાર્વજનિક ઉપયોગની જમીન પર કોઈ એક સમુદાય અથવા પક્ષનો વિશેષાધિકાર ન હોય શકે અને આવી જગ્યાનો ઉપયોગ નિયમિત મજહબી પ્રવૃત્તિઓ માટે ન કરી શકાય.

કોર્ટે એ પણ કહ્યું કે મજહબી સ્વતંત્રતા પૂર્ણપણે નિરંકુશ અધિકાર નથી, પરંતુ તે અન્ય લોકોના અધિકારો, સાર્વજનિક વ્યવસ્થા અને શાંતિ સાથે જોડાયેલી બંધારણીય મર્યાદાઓને આધીન છે. કોર્ટ મુજબ જો કોઈ પક્ષ પહેલેથી ચાલી આવતી પરંપરાથી અલગ કોઈ નવી વ્યવસ્થા લાગુ કરવાનો પ્રયાસ કરે, તો કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરી શકે છે.

ખાનગી સંપત્તિ પર નિયમિત આવા આયોજન પણ નિયંત્રણના દાયરામાં

જસ્ટિસ સરલ શ્રીવાસ્તવ અને જસ્ટિસ ગરિમા પ્રસાદની ખંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું કે ખાનગી સંપત્તિ પર મર્યાદિત અને વ્યક્તિગત મજહબી પ્રવૃત્તિઓ બંધારણ હેઠળ સંરક્ષિત હોય શકે છે, પરંતુ જ્યારે તે જ પ્રવૃત્તિ નિયમિત, સંગઠિત અને મોટી સંખ્યામાં લોકોની ભાગીદારીવાળી સભાનું રૂપ લઈ લે છે, ત્યારે તેની અસર સાર્વજનિક જીવન પર પડવા લાગે છે.

- Advertisement -

કોર્ટે કહ્યું કે આવી પ્રવૃત્તિઓથી અવરજવર, ટ્રાફિક, સુરક્ષા વ્યવસ્થા, શોર અને સામાજિક સંતુલન જેવા મુદ્દાઓ પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રશાસનને આ અધિકાર છે કે તે કાયદો અને સ્થાનિક નિયમો હેઠળ જરૂરી નિયંત્રણ લાગુ કરે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ ખાનગી પરિસરને નિયમન વગર સાર્વજનિક મજહબી સ્થળમાં બદલવાનો અધિકાર કોઈને આપવામાં આવ્યો નથી.

કોર્ટે જૂના ચુકાદાઓની પણ આપી સ્પષ્ટ વ્યાખ્યા

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં તે જૂના આદેશોનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ખાનગી સંપત્તિ પર પ્રાર્થના સભા માટે મંજૂરીની જરૂરિયાત ન હોવાની વાત કહેવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે ચુકાદાઓનો અર્થ એ ન કાઢી શકાય કે ખાનગી જમીન પર થતી દરેક પ્રકારની સામૂહિક મજહબી પ્રવૃત્તિ પ્રશાસનિક નિયંત્રણથી પૂરેપૂરી બહાર છે.

કોર્ટે કહ્યું કે પહેલાં આપવામાં આવેલા નિર્ણયો માત્ર મર્યાદિત, ખાનગી ધાર્મિક પ્રવૃત્તિઓ સુધી જ લાગુ માનવામાં આવશે. જો કોઈ પ્રવૃત્તિનો દાયરો વધીને સાર્વજનિક અસર પેદા કરવા લાગે તો તેના પર કાયદો લાગુ થશે. કોર્ટે કહ્યું કે બંધારણ તમામ ધર્મોને સમાન અધિકાર આપે છે, તેથી રાજ્યની જવાબદારી છે કે તે સાર્વજનિક વ્યવસ્થા અને સમાન પહોંચ સુનિશ્ચિત કરે.

સંભલનો મામલો શું હતો?

આ આખો મામલો સંભલ જિલ્લાના ઇકૌના ગામ સાથે જોડાયેલો છે. અરજદાર અસીને દાવો કર્યો હતો કે તેમને વર્ષ 2023માં 82.80 વર્ગમીટર જમીન ઉપહાર તરીકે મળી હતી અને તે જ આધારે ત્યાં નમાજ પઢવાની મંજૂરી માંગવામાં આવી હતી.

જોકે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે સંબંધિત જમીન રાજસ્વ અભિલેખોમાં સાર્વજનિક ઉપયોગની ભૂમિ તરીકે નોંધાયેલી છે અને ત્યાં નિયમિતપણે માત્ર ઈદ પર નમાજ થતી રહી છે. સરકારે એ પણ કહ્યું કે હવે નિયમિત અને મોટા સ્તરે સામૂહિક નમાજ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગામની બહારથી પણ લોકોને બોલાવવામાં આવી રહ્યા છે.

તેના પર કોર્ટે કહ્યું કે સાર્વજનિક જમીન પર કોઈ પણ વ્યક્તિનો વિશેષ દાવો સ્વીકાર કરી શકાય નહીં. કોર્ટે એ પણ માન્યું કે ભલે જમીનને ખાનગી માનવામાં આવે તો પણ નિયમિત સામૂહિક ધાર્મિક આયોજન પ્રશાસનિક અને કાનૂની નિયંત્રણથી બહાર નથી.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે રાજ્યને કોઈ સંભવિત વિવાદ અથવા અવ્યવસ્થાના વાસ્તવિક રૂપ લેવાની રાહ જોવાની જરૂર નથી. જો કોઈ પ્રવૃત્તિથી સાર્વજનિક શાંતિ પ્રભાવિત થવાની આશંકા હોય તો પ્રશાસન પહેલેથી જ સાવધાનીના પગલાં લઈ શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં