Friday, April 26, 2024
More
    હોમપેજસંપાદકની પસંદબજરંગ દળે બતાવ્યું બળ: સુરતના વેસુના ગરબા મંડપમાં રેડ પાડતા મુસ્લિમ બાઉન્સરોએ...

    બજરંગ દળે બતાવ્યું બળ: સુરતના વેસુના ગરબા મંડપમાં રેડ પાડતા મુસ્લિમ બાઉન્સરોએ ફાટેલા કપડે નાસવું પડ્યું, ખેલૈયાઓએ પણ માર્યા જૂતા

    હોબાળો થયા બાદ જયારે ખેલૈયાઓને આ વિષયની જાણ થઇ ત્યારે તેઓ પણ ખિજાયા હતા અને હિન્દૂ નામ બતાવનાર મુસ્લિમ બાઉન્સરોને છુટા જૂતાંનો માર માર્યો હતો.

    - Advertisement -

    હાલ માતાજીના પવિત્ર નોરતા ચાલી રહ્યા છે ત્યારે 9 દિવસ સુધી યોજાતા ગરબાના કાર્યક્ર્મોમાં ઇસ્લામવાદીઓ ભંગ પડાવતા હોય તેવા સમાચાર રોજ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે પહેલાથી જ બજરંગ દળ સહીત હિન્દૂ સંગઠનોએ સૌ ગરબા આયોજકોને નોટિફિકેશન આપ્યું હતું કે તેઓ પોતાના આયોજનમાં કોઈ પણ સ્તરે કોઈ બિન-હિન્દુને સંમેલિત ન કરે અને તેમને પ્રવેશ પણ ન આપે. વારંવારની આ ચીમકી બાદ પણ જયારે આયોજકો ચૂકેલા જાણવા મળ્યા ત્યારે કાલે સુરતના વેસુમાં બજરંગ દળે મેદાનમાં ઉતરવું પડ્યું હતું.

    સુરતના વેસુમાં આવેલ ઠાકોરજીની વાડીના ગરબા આયોજનમાં મુસ્લિમ બાઉન્સરો રાખવાના મુદ્દે આઠમની રાત્રીએ ભારે હોબાળો મચ્યો હતો. મળતી માહિતી મુજબ નવરાત્રીના તહેવારમાં બિન-હિંદુઓને જો પ્રવેશ આપવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પહેલાથી જ હિન્દૂ સંગઠનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી. જો કે સુરતમાં પણ ગઈકાલે આ જ મામલે ભારે ઉહાપોહ મચી ગયો હતો.

    મુસ્લિમ બાઉન્સર્સએ હિન્દૂ નામ આપ્યા

    બજરંગ દળના કાર્યકર્તાઓ ગરબા મંડપમાં પહોંચતા તેમને જયારે મુસ્લિમ બાઉન્સરોને તેમના નામ પૂછ્યા તો તેઓએ શરૂઆતમાં ખોટા હિન્દૂ નામ જણાવ્યા હતા. બાદમાં સત્ય બહાર આવતા બજરંગ દળના કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતા અને બાઉન્સરો સાથે મારામરિના દ્રશ્યો સર્જાયા હતા. બબાલ વધતા બાઉન્સરોએ ફાટેલા કપડે ગરબા મંડપમાંથી ભાગવાની ફરજ પડી હતી.

    - Advertisement -

    હોબાળો થયા બાદ જયારે ખેલૈયાઓને આ વિષયની જાણ થઇ ત્યારે તેઓ પણ ખિજાયા હતા અને હિન્દૂ નામ બતાવનાર મુસ્લિમ બાઉન્સરોને છુટા જૂતાંનો માર માર્યો હતો.

    બજરંગ દળે પોતાનો પક્ષ મુક્યો

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં બજરંગ દળના દક્ષિણ ગુજરાત પ્રાંતના સહસંયોજક કમલેશ ક્યાદાએ આ ઘટનાક્રમ વિષે સવિસ્તાર જાણકરી આપી હતી. તેમણે જણાવ્યું, “કે અમે શહેરના દરેક ગરબા આયોજકોને પહેલાથી ચેતવ્યા હતા કે આ હિન્દૂ તહેવારમાં કોઈ પણ રીતે કોઈ બિન-હિન્દુને સંમેલિત કરવા નહિ. અને આ બાબતે પોલીસને પણ જાણ કરાઈ હતી કે કોઈ વિવાદાસ્પદ આયોજકને મંજૂરી મળે નહિ. તેમ છતાં અમારા ધ્યાને આવ્યું હતું કે આ ગરબા મંડપમાં મુસ્લિમોએ ઘૂસીને હિન્દૂ છોકરીઓની છેડતી કરી હતી અને ધમાલ કરી હતી.”

    “જે બાદ અમે સુરતના વેસુમાં આવેલ ઠાકોરજીની વાડીના ગરબા આયોજનની મુલાકાત લીધી હતી જ્યાં તે ઘટનાની તો ખરાઈ થઇ સાથે જ અમારા ધ્યાને આવ્યું કે આયોજનના મોટાભાગના બાઉન્સર મુસ્લિમ હતા. જે બાબતે અમે આયોજકોને આ બાઉન્સરોને દૂર કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારે આયોજકોએ સહમતી દર્શાવી હતી પરંતુ 3 દિવસો સુધી કોઈ પગલાં ન લેવાતા અમારે જાતે કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી જેની અમે પહેલાથી ચીમકી આપી હતી.” તેમણે જણાવ્યું.

    આ હોબાળામાં થોડા સમય માટે ગરબા અટકાવવાની પણ ફરજ પડી હતી. મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે પોલીસને ફોન કરવામાં આવતા ગરબા સ્થળ પર પહોંચીને તેમણે પરિસ્થિતિને કાબુમાં કરી હતી. નોંધનીય છે કે, આ અંગે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

    મુસ્લિમોએ નવરાત્રીનો હિન્દૂ તહેવાર બગાડ્યાનાં અનેક કિસ્સા આવ્યા સામે

    એકદમ તારા ઉદાહરણ તરીકે સોમવારે (3 ઓક્ટોબર) ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. ડીએસપી ખેડાએ જણાવ્યું હતું કે ગત રાત્રે ઉંધેલા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન આરીફ અને ઝહીર નામના બે લોકોની આગેવાનીમાં મુસ્લિમ ટોળાએ હંગામો મચાવ્યો હતો. બાદમાં તેઓએ પથ્થરમારો કર્યો હતો જેમાં 6 ઘાયલ થયા હતા.

    વડોદરા જિલ્લાના સાવલીમાં 2 દિવસ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી. સાવલીની બી.કે. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રિના ગરબાના કાર્યક્રમમા ઇસ્લામી ગીત વગાડવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા બાદ કોલેજ કમ્પાઉન્ડની બહાર ટુંડાવ ગામના ચાર મુસ્લિમ યુવાઓએ પટ્ટાથી અને પથ્થરોથી હુમલો કરી છ હિન્દૂ વિદ્યાર્થીઓને ઇજા પહોંચાડી હતી.

    પૂરક માહિતી મેઘલસિંહ પરમાર દ્વારા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં