Saturday, March 22, 2025
More
    હોમપેજરાજકારણમહાશિવરાત્રી પર દિલ્હીની SAUમાં ઉપવાસી વિદ્યાર્થીઓને માંસ પીરસવા પર બબાલ: ABVPએ SFI...

    મહાશિવરાત્રી પર દિલ્હીની SAUમાં ઉપવાસી વિદ્યાર્થીઓને માંસ પીરસવા પર બબાલ: ABVPએ SFI પર બળજબરી કરવાનો લગાવ્યો આરોપ

    ABVPએ આ ઘટનાને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે આ કૃત્ય ધાર્મિક સૌહાર્દને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. ABVPએ આ મામલાની નિષ્પક્ષ તપાસની અને વાતાવરણ બગાડવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    - Advertisement -

    દક્ષિણ દિલ્હી (South Delhi) સ્થિત સાઉથ એશિયન યુનિવર્સિટીમાં (SAU) 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી (Maha Shivaratri) પર મેસમાં નોનવેજ પીરસવા મામલે વિવાદ થયો હતો. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ (ABVP) આરોપ લગાવ્યો છે કે વામપંથી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (SFI) કાર્યકર્તાઓએ મેસના ઉપવાસી ભોજનમાં નોનવેજ ભેળવીને ખવડાવવાનો પ્રયાસ કર્યો. જોકે SFI કાર્યકર્તાઓએએ ABVP પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.

    26 ફેબ્રુઆરી, મહાશિવરાત્રીના રોજ SAU ખાતે આ વિવાદ થયો હતો. અહેવાલ અનુસાર વિવાદ એટલો વધી ગયો કે વિદ્યાર્થીઓ વચ્ચે કથિત રીતે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ યુનિવર્સિટી પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે દિલ્હી પોલીસનું કહેવું છે કે કોઈ અધિકારીક ફરિયાદ મળી નથી. આ મામલે યુનિવર્સિટી પ્રશાસન આંતરિક તપાસ કરી રહ્યું છે.

    અહેવાલ મુજબ SFIએ આરોપ લગાવ્યો છે કે ABVP કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો કારણ કે તેઓ મહાશિવરાત્રી પર મેસમાં માંસાહારી ભોજન ન પીરસવાની ABVPની માંગનું પાલન કરી રહ્યા ન હતા. SFIએ દાવો કર્યો હતો ABVPના કાર્યકર્તાઓએ મેસમાં વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો તથા વિદ્યાર્થીનીઓના વાળ પકડીને ખેંચવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ABVPએ આ આરોપોને ફગાવી દીધા હતા તથા X પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, “આ આઘાતજનક છે! મહાશિવરાત્રી પર, SAUમાં SFI ગુંડાઓએ વિદ્યાર્થીઓને બળજબરીથી માંસાહારી ખોરાક ખવડાવીને, દુર્વ્યવહાર કરીને અને મારપીટ કરીને તેમનો ઉપવાસ તોડવાનો પ્રયાસ કર્યો! ધાર્મિક સ્વતંત્રતા એ બંધારણીય અધિકાર છે! કેમ્પસમાં શા માટે હુમલા થઈ રહ્યા છે? શું કથિત ધર્મનિરપેક્ષ બ્રિગેડ હવે ચૂપ રહેશે?” આગળ લખ્યું હતું કે, “ABVP આ અસામાજિક તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરે છે!”

    ABVPએ આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે ઘણા લોકો મહાશિવરાત્રીનું વ્રત રાખતા હોય છે. તેથી મેસમાં ઉપવાસી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં SFI કાર્યકર્તાઓએ બળજબરીથી માંસાહાર પીરસવાનો પ્રયાસ કર્યો હતો. ABVPએ તેને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે આ કૃત્ય ધાર્મિક સૌહાર્દને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. ABVPએ આ મામલાની નિષ્પક્ષ તપાસની અને વાતાવરણ બગાડવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    આ મામલે દિલ્હી પોલીસને બપોરે 3:45એ જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝગડો થઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીનીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેણે પોલીસને જાણ કરી હતી. જોકે આ મામલે હજી સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં