Friday, April 26, 2024
More
    હોમપેજક્રાઈમ'ઇસ્લામ સ્વીકાર અને નિકાહ કર..': અંકિતા પર શાહરુખ હુસૈને કર્યું હતું ધર્માંતરણનું...

    ‘ઇસ્લામ સ્વીકાર અને નિકાહ કર..’: અંકિતા પર શાહરુખ હુસૈને કર્યું હતું ધર્માંતરણનું દબાણ, 16 વર્ષની હતી એ હિન્દૂ દીકરી જેને સળગાવીને મારી દીધી! – POSCO લાગશે

    નૂર મુસ્તફાએ હોસ્પિટલમાં જઈને અંકિતાનું નિવેદન લીધું હતું અને નિવેદનમાં લખ્યું હતું કે યુવતીએ પોતાની ઉંમર 19 વર્ષની હોવાનું જણાવ્યું હતું. જ્યારે દસ્તાવેજો મુજબ 2022માં યુવતીની ઉંમર 16 વર્ષની હતી.

    - Advertisement -

    ઝારખંડના દુમકામાં અંકિતા કુમારીની હત્યાથી વાતાવરણ હજુ પણ ગરમ છે. કેસની તપાસ કરી રહેલા દુમકા ડીએસપી નૂર મુસ્તુફા પર આરોપીઓને બચાવવાનો આરોપ લાગતા તેમને તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન અંકિતાના પિતાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે અંકિતા કેવી રીતે ડોક્ટર બનવાનું સપનું જોતી હતી, પરંતુ શાહરૂખ તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો.

    શાહરૂખ ઈચ્છતો હતો કે અંકિતા ઈસ્લામ અંગીકાર કરે

    શાહરૂખની હરકતો પર અંકિતાના પિતાનું નિવેદન ચોંકાવનારું છે. સ્વરાજ્ય પત્રકાર સ્વાતિ ગોયલ શર્માના અહેવાલ મુજબ, સંજીવ સિંહે કહ્યું કે,

    શાહરુખ હુસૈન મારી દીકરીને હેરાન કરતો રહ્યો. પુત્રીએ એમ પણ કહ્યું હતું કે શાહરૂખ તેને હેરાન કરે છે. તે તેને કહેતો – મારી સાથે દોસ્તી કર, મારી સાથે લગ્ન કર, ઈસ્લામ કબુલ કર, નહીં તો હું તારી જીંદગી નરક બનાવી દઈશ.

    અંકિતાના પિતા

    સુભી વિશ્વકર્માએ શેર કરેલા રેકોર્ડિંગમાં સંજીવ સિંહ કહે છે,

    હું ખાનગી નોકરી કરું છું. હું સવારે નીકળું છું અને રાત્રે ઘરે આવું છું. આવી સ્થિતિમાં 22 ઓગસ્ટે શાહરૂખે દીકરીને ઘણી ધમકી આપી હતી. જ્યારે હું રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે અંકિતાએ મને કહ્યું કે શાહરૂખ મને લાંબા સમયથી હેરાન કર્યા કરે છે અને હવે તેણે લગ્ન કરવાની, મિત્રતા કરવાની અને ઇસ્લામ સ્વીકારવાની ધમકી આપી છે. દીકરીએ તેને એમ પણ કહ્યું કે તેને આ બધી બાબતોમાં રસ નથી, તેને ડોક્ટર બનવા માટે ભણવું અને લખવું પડશે. પરંતુ શાહરૂખે કહ્યું કે હું તને ડોક્ટર નહીં પણ IPS ઓફિસર બનાવીશ.

    અંકિતાના પિતા
    - Advertisement -

    અંકિતાનું નિવેદન

    ઉલ્લેખનીય છે કે અંકિતાના પિતાના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે શાહરૂખ અંકિતા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. અંકિતાના નામે રજૂ કરવામાં આવેલા નિવેદનમાં તેણે જો તે નહીં માને તો ધમકી આપી આપવાનો, તેનો પીછો કરી હેરાન કરવાનો, પેટ્રોલ છાંટીને આગ લગાડવાનનો ઉલ્લેખ છે. તે નિવેદનમાં અંકિતાની ઉંમર 19 વર્ષ લખવામાં આવી છે જે દસ્તાવેજોમાં માત્ર 16 છે. વધુમાં કહેવાય છે કે શાહરૂખે અંકિતાની મિત્ર પાસેથી તેનો નંબર લઈને તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પછી રસ્તા પર આવતી જતી વખતે પણ તે પરેશાન કરતો હતો.

    22 ઓગસ્ટે પણ તેણે ધમકી આપી હતી. આ અંગે અંકિતાએ ઘરમાં જણાવ્યું હતું અને બારી પાસેના તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. સવારે જ્યારે તે જાગી ત્યારે તેનું શરીર સળગી રહ્યું હતું અને શાહરૂખ અને નઇમ બારી બહાર ઉભા હતા. તેમની પાસે પેટ્રોલનું ખાલી ડબલું હતું. અંકિતાના કહેવા પ્રમાણે, તે જ ડબ્બો તેના પર રેડવામાં આવ્યો હતો, જેના કારણે તેના શરીરના ભાગો બળી ગયા હતા અને સારવારના સમય સુધી તેમાંથી પેટ્રોલની ગંધ આવતી હતી.

    16 વર્ષની અંકિતાને ડીએસપી નૂર મુસ્તુફાએ 19ની લખી: આરોપ

    નોંધનીય છે કે અંકિતાને ન્યાય અપાવવા માટે ડીએસપી નૂર મુસ્તુફાને કેસની તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. નૂર મુસ્તુફા એ જ પોલીસ અધિકારી છે જેણે હોસ્પિટલમાં બાળકીનું નિવેદન લીધું હતું અને નિવેદનમાં લખવામાં આવ્યું હતું કે યુવતીએ પોતાની જાતને 19 વર્ષની ગણાવી છે. જ્યારે દસ્તાવેજો અનુસાર યુવતીની ઉંમર 16 વર્ષની હતી.

    નૂર મુસ્તફા પર વયની છેડછાડના કારણે આરોપીઓને બચાવવાનો આરોપ હતો. પ્રદર્શનકારીઓએ કહ્યું કે નૂર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા માટે કામ કરે છે. હવે આ કેસમાં POCSO એક્ટ લાગુ થશે.

    આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આ સામાન્ય વાત નથી. શાહરૂખ હુસૈનને બચાવવા માટે DAPએ આ કર્યું. છોટુ ખાનને છોકરીએ પહેલા જ કહી દીધું હતું. પરંતુ તેનું મૃત્યુ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ડીએસપીએ અગાઉ એસસી-એસટી પ્રિવેન્શન એક્ટમાં ફસાયેલા ઝુલ્ફીકાર ભુટ્ટોને બચાવવાનું કામ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં